________________
બને છે. ત્યાંથી નગરમાં જવા મિત્રાનંદ કહે છે છતાં તે નાં પાડવાથી બંને મિત્રે ત્યાં રહેવા લાગે છે,
જ્યાં તે પ્રાસાદ બનાવનાર રત્નસારે શેઠ આવે છે. રોવાનું કારણ પૂછતાં સર્વ હકીક્ત જાણુ મનમાં વિચારે છે. અહીં “મુનિ, યતિ, જ્ઞાની, સારો તપસ્વી, જિતેન્દ્રિય ત્યાં સુધી હોય છે જ્યાં સુધી સ્ત્રીઓની દૃષ્ટિના વિષયમાં ન આવે.” તે શ્રેષ્ઠીને મિત્રાનંદ તેને કારીગર કોણ છે તેમ પૂછતાં સોપારકે નામના દેશમાં સુરદેવ નામને કારીગર આ પૂતળીનો બનાવનાર છે. અને પ્રાસાદને કરાવનાર હું છું. તે શ્રેણીને પિતાના મિત્રને સોંપી બે માસની અંદર તેને શેધી અહિં આવીશ એમ કહી મિત્રાનંદ ચાલી નીકળે છે અને સોપારક નગરમાં જઈ તે કારીગરને ઘેર જાય છે. તેને પુણ્યવાન જોઈ સત્કાર કરી, આવવાનું કારણ પૂછતાં મિત્રાનંદ પોતે દેવકુલિકા કરાવવાને ને તે તમારા હરતક કરાવવા વિચાર છે તેમ જણાવે છે અને કહે છે કે કાઈ પાંચાલિકા તૈયાર હોય તે બતાવો. કારીગર પાટલીપુત્ર નગરે પોતાની કરેલી છે તે અવંતિપુરીના મહાસેન રાજાની પુત્રી રત્નમંજરીને જોઈને કરી છે તેમ કહેતાં તે જાણી ઉજજયની નગરીમાં મિત્રાનંદ પહોંચે છે. ત્યાં દરવાજા પાસે દેવી મંદિરમાં રહેલા તેણે “રાત્રિના ચાર પહેાર સુધી આ મડદાનું રક્ષણ કરે તેને આ શહેરનો મોટો શ્રેણી એક હજાર દીનાર આપશે.” આ પ્રમાણે પડહની ઉષણ સાંભળી દ્વારપાળને પૂછતાં, આ ગામે મરકીને ઉપદ્રવ છે, શ્રેણીને ઘેર મારીએ કરેલું આ શબ છે તેનું રક્ષણ કરવા તે ધન આપે છે. એમ સાંભળે છે અને રાત્રિના શાકિની વગેરેના ઉપદ્ર ઘણું સહન કર્યા અને સવાર પડતાં તે શબ બાળી નાંખે છે, છતાં તે શ્રેષ્ઠીએ ધન આપ્યું નહિં. પછી ત્યાંથી ચાલી તે શહેરની વસંતતિલકા નામની વેશ્યાને ત્યાં આવી ચારસો દિનાર તેણીને આપે છે અને પછી ત્રણ રાત્રિ સુધી વેશ્યા સાથે વિલાસ કરતો નથી. પૈસા પણ નહિં આપવાથી તેની મા મિત્રાનંદને ઠપકે આપે છે. તેનું સમાધાન થતાં તેણીને રાજાના ઘરમાં તેનો પ્રવેશ છે કે નહિં તેમ પૂછતાં પોતાની પુત્રી રાજાની ચામરધારી છે, ત્યાં ગમે તે વખતે અમે જઈ શકીએ છીએ અને કુંવરીની સખી મારી પુત્રી છે. બાદ મિત્રાનંદ તેને કહે છે કે તે રાજકુંવરીને જઇને તું જણાવજે કે “જેના ગુણને સમૂહ સાંભળે છે, તે જેને લેખ મોકલ્યો છે તે અમરદત્તનો મિત્ર અહિં આવ્યો છે.” કુંવરીને તેમ જણાવતાં કુંવરી બધી વાતનું અજાણપણું બતાવી તે કઈ ધૂર્ત છે તેમ કહી તે પુરુષને તારે આજે આ ગવાક્ષના માર્ગે મારી પાસે લાવ. પછી અકકા મિત્રાનંદને ત્યાં લઈ જાય છે અને તે વાસગૃહમાં પ્રવેશ કરતાં રાજપુત્રીને સૂતેલી જોઈ તેણે તેણીના હાથમાંથી રાજાના નામવાળું કડું ગ્રહણ કર્યું અને છરીવડે તેણીના જમણા સાથળમાં ચિહ્ન કરી ત્યાંથી ચાલ્યો જાય છે. કુંવરી આથી તેને સામાન્ય પુરુષ માનતી નથી અને તેને ન બોલાવ્યો તે માટે તે ચિંતા કરી સૂઈ જાય છે. અહિં મિત્રાનંદ દેવકુલિકામાં સૂઈ સવારમાં રાજ્યગૃહના દ્વારમાં જઈ “અહે! અન્યાય,” તેમ બેલ્યો. નેકરે દ્વારા સાંભળી રાજા કારણે પૂછતાં શબ સંબંધી વાત કરી. પછી રાજા શ્રેષ્ઠીને બોલાવે છે અને તે વખતે દીનાર નહોતા આવ્યા તે મિત્રાનંદને દીનાર અપાવે છે. અહિં હવે મિત્રાનંદ શબનું રક્ષણ કેમ કર્યું તે રાજાને જણાવે છે. રાત્રિના ત્રણ પહોર થયેલા ભૂત, વૈતાલના ઉપદ્રવો સહન કરતાં ચોથા પહેરે દિવ્ય આકૃતિવાલી ભયંકર મુખવાલી વગેરે ચિન્હવાળી સ્ત્રી જોઈ આજ સ્ત્રી મહામરકી છે તેમ જાણું મારી સાથે યુદ્ધ કરતાં તે હારી. તેણી નાશી જતાં છરીવડે તેના સાથળમાં ચિન્હવાળી કરી અને તેનું કડુ મારા હાથમાં રહી ગયું. તે કહું રાજાના કહેવાથી દેખાડતાં પિતાના નામવાળું જાણું પિતાની જ કન્યા મારી થઈ છે, તેમ વિચારી રાજપુત્રી સૂતી છે ત્યાં આવતા કડા વગરની અને ત્રણ ઉપર પાટો બાંધેલી તેણીને જોતાં પિતાના કૂળને કલંક લગાડેલ છે તેમ જાણી, મિત્રાનંદ પિતાની પાસેની મંત્રશક્તિથી સર્વનું રક્ષણ કરી શકે છે. રાજા પિતાની પુત્રી છે તે મારી થઈ છે તેમ કહેતાં મિત્રાનંદ આવું નહિં વિચારવાનું જણાવી રાજકન્યાને દેખાડવા જણાવતાં રાજ તેને ત્યાં જવા આજ્ઞા કરે છે. ઉઠેલી રાજપુત્રો તેને જોઈ મારું કડું હરણ કરનાર આ પુરુષ છે, તેમ જાણી આપેલા આસન ઉપર બેસી મિત્રાનંદ કહે છે કે-હે કુંવરી!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org