________________
આ જ ક્ષેત્રમાં અમરતિલક નામના નગરને વિષે મકરધ્વજ નામના રાજાને મદનસેના નામની ભાર્યા ને પકેશર નામને પુત્ર હતે.
એક દિવસ રાજાના કેશને સાફ કરતી (ઓળતી) રાણી સફેદ વાળને દેખાડી રાજાને દૂત આવે તેમ જણાવે છે. રાજાની વૃદ્ધાવસ્થા હોવાથી ધર્મ કરવાનો સમય થયો તેમ જાણે છે અને પિતાના પૂર્વજો પુરૂષેએ પળી જેવા પહેલાં ધર્મ કરવાને આદર કર્યો છે, જેથી મને ધિક્કાર છે કે વિષયમાં લુબ્ધ થયેલ હું હજી સુધી કંઈ કરતો નથી. એમ વિચારી રાજ ચિંતાતુર થાય છે. રાજાને શ્યામ મુખવાળાં શા માટે થયા તેમ રાણીએ પૂછતાં રાજા પોતાના વૈરાગ્યનું કારણ જણાવતાં, પછી પુત્રને રાજ્ય ઉપર બેસાડી રાણી સહિત પતે તાપસી દીક્ષા લે છે. રાણી સગર્ભા હોવાથી રાણીના ગર્ભની વાત જાણી ત્રદૂષણથી ભય પામેલે રાજા કુલપતિને જણાવતાં, તાપસીવડે પાલન કરાતી રાણીએ એગ્ય સમયે પુત્રને જન્મ આપે. રાણીને અનચિત આહારથી ભયંકર રોગ પેદા થયો. જેથી તે બાલકનું રક્ષણ ત્યાં બરાબર ને થઈ શકે, તેથી દૈવયોગથી વેપાર માટે ફરતે ઉજજયની શહેરના એક દેવધર નામને વણિક કે જે તાપસ ધર્મ પાળતા હતા, તેને કુલપતિ જન્મેલા બાળકને સેપે છે. તે વણિક પિતાની ભાર્યા દેવસેનાને (જેને પ્રથમ પુત્રી આવેલ છે તેને) સોંપે છે. ત્યાં તેનું અમરદત્ત નામ પાડવામાં આવે છે. પુત્રીનું નામ સુરસુંદરી છે. પછી ત્યાં મિત્રશ્રીની કુક્ષિમાં ઉત્પન્ન થયેલ સાગરશ્રેષ્ઠીના મિત્રોને પુત્ર આ અમરદત્તના મિત્ર થાય છે. એક વખત વષરતુ આવી. અહિં રચયિતા તે ઋતુનું અલંકારિક રીતે વર્ણન આપે છે. (૫. ૪૫.) તે વખતે ક્ષિપ્રા નદીને કાંઠે મેઈ ડાંડીયાની રમત કરતાં અમરદો મોઈ ઉડાડતાં એક વૃક્ષ ઉપર રહેલા એક ચેરના મુખમાં પડે છે. ત્યાં મિત્રાનંદ હસીને બે કે–આ મોઈ મડદાના મુખમાં પડી ત્યારે કપ પામેલા મુડદાએ મિત્રાનંદને કહ્યું કે અહિં લટકાવેલ તારા મુખમાં તે પડશે. આ સાંભળી મૃત્યુથી ભય પામેલ તે અમરદત્તને ક્રીડા બંધ કરવાનું કહેતાં બન્ને મિત્રે પોતાને ઘેર આવે છે. અને તેને ખેદયુક્ત દેખી કોઈ શબ્દ બોલતા નથી જેથી તે કોઈ વ્યંતરની કીડા હશે તે જાણવા પુરુષાર્થ કરવાનું મિત્રાનંદને કહે છે અને નિમિત્તશાસ્ત્રવડે જોયેલી જીવિતના અંતને કરનારી જ્ઞાનગર્ભ મંત્રીની આપત્તિ શાંત થઈ તેમ કહે છે. તે કોણ છે તેમ પૂછતાં તેની અમરદત્ત તે કથા કહે છે. (પા. ૪૬)
આ ભરતક્ષેત્રમાં ચંપાનગરી અને જિતશત્રુ રાજા તેને જ્ઞાનગર્ભ મંત્રી હતા. તેને ગુણાવલી નામની ભાર્યા અને તેને સુબુદ્ધિ નામને પુત્ર હતું. તે રાજાની સભામાં અષ્ટાંગને જાણનાર એક પંડિત આવે છે. રાજાને નવીન વાત જાણવાનો આશય જાણી જોશીને પૂછતાં આ જ્ઞાનગર્ભ મંત્રીને કુટુંબ સહિત મરવાના સ્વરૂપવાળ ઉપસર્ગ હું જોઉં છું. બાદ તે મંત્રીને ઘેર આવી તેના મોટા પુત્રથી થનારી આપત્તિ તેને જણાવે છે. પછી પોતાના પુત્રને ખોરાક-પાણી સાથે પેટીને બંધ કરી, રાજાને સોંપી અને જિનાલયને વિષે અષ્ટાદ્ધિક ઉત્સવ, સંધપૂજા, દાન વગેરે કરે છે. પંદર દિવસ પછી રાજાના અંતઃપુરમાં અકસ્માત એવી વાણી થઈ કે “સુબુદ્ધિ નામના મંત્રીને પુત્ર રાજકુંવરીને કેશપાશ છેદી નાશી ગયો.” એ સાંભળી રાજા મંત્રીના કુટુંબને મારી નાંખવા ઘેર સૈન્ય મોકલતાં મંત્રી એક વાર રાજાને મળ્યા પછી મારજો એમ જણાવતાં, રાજાને સભાજનો સહિત પિતે સેપેલી પેટી ઉધાડવા જણાવતાં પેટી ખોલતાં મંત્રીને પુત્ર જણાય છે. રાજાને મંત્રી કહે છે કે “ હે નાથ ! દેવ, મનુષ્ય, તિર્યંચ અને રાજાએ કરેલી આપત્તિ ધર્મના જ પ્રભાવથી નાશ પામે છે.” પછી ત્યાં પુત્રને કારભાર સેપી બંને દીક્ષા લે છે. તે કથા સાંભળી બંને મિત્રો ભય ટાળવા દૂર દેશાંતર જવાનું વિચારી કરી પાટલીપુત્ર નગરને વિષે આવે છે અને તે નગરની બહાર એક સુંદર પ્રાસાદ અને તે માંહેની પુતળી જોઈ અમરદત્ત કામાતુર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org