SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ભવ્યાત્માઓએ વર્તમાનકાળે બે વખત શત્રુંજય તીર્થ કે ગિરનારજી વગેરેની, ત્રીજી એક અર્વાચીન તીર્થની યાત્રા દર વર્ષે કરવાની જરૂર છે અને તે વડે મોક્ષ મેળવવા મનુષ્ય જન્મનું સાર્થક કરી લેવાની જરૂર છે.” ત્રીજી યાત્રા તે બંને રાજવીઓ સીમગિરિ પર્વત ઉપર બળદેવ ઝડપના કેવળજ્ઞાનની ઉત્પત્તિસ્થાને શ્રી ઋષભદેવ પ્રભુનાં મંદિરમાં કરતા હતા. હજાર વર્ષ સુધી અન્ય ધર્મસાધના અને રાજ્ય કરવા સાથે કરી મેરુપર્વત પર સનાતન જિનેશ્વરનાં ચરણને વાંદે છે. ત્યાં નંદનવનમાં બિરાજમાન વિપુલમતિ અને મહામતિ નામના બે ચારણમુનિને વાંદી પિતાનું આયુષ્ય કેટલું છે તેમ પૂછતાં મુનિરાજે છવીસ દિવસનું જણાવતાં બંને રાજાઓ કહે છે કે વિષય અને અભક્ષ્યમાં લુબ્ધ થયેલા આટલા કાળમાં અમે વ્રત કર્યું નથી, હવે શું કરી શકીએ ? મુનિરાજો કહે છે કે હજી પણ તમારું કંઈ નાશ પામ્યું નથી, હજુ પણ તમે સ્વર્ગ અને મોક્ષને આપનાર વ્રત ગ્રહણ કરો. પછી બંને રાજાએ પોતાનાં નગરમાં જઈ પિતાના પુત્રોને રાજ્ય ઉપર સ્થાપન કરી અભિનંદન નામના ઉત્તમ મુનિ પાસે દીક્ષા લઈ અનશનવડે પાદપપગમવડે રહ્યા. ત્યાં વિજય પિતાના તપવડે પોતાના પિતાના બળનું સ્મરણ કરતાં પિતાની જેવા બળવાળો થાઉં એ પ્રમાણે તેણે નિયાણું કર્યું. બંને ત્યાંથી મરી પ્રાણુત નામના દેવલોકમાં જાય છે. નંદિકાવત્ત અને સ્વસ્તિકાવત્ત નામના વિમાનમાં દિવ્યચૂલ અને મણિચૂલ નામના દેવપણે ઉત્પન્ન થાય છે. (શાંતિનાથ પ્રભુને ચોથો ભવ અમિતતેજ રાજા, પાંચમે ભવ ઉપરોક્ત દેવકના દેવ થાય છે. આ સર્ગમાં અહિં ચેથા અને પાંચમાં ભવના વૃત્તાંત પૂર્ણ થાય છે.) તૃતીય પ્રસ્તાવ (પા. ૪૩ થી પા. ૭૬ સુધી) હવે ગ્રંથકાર મહારાજ આ પ્રસ્તાવમાં પ્રભુના છઠ્ઠા સાતમા ભવનું વર્ણન કરે છે. શ્રી જંબૂદીપના મહાવિદેહ ક્ષેત્રને વિષે રમણીય નામના વિજ્યમાં સુભગ નગરને વિષે તિમિતસાગર નામને રાજા, તેને વસુંધરી તથા અનુરી નામની બે ભાર્યાએ હતી. પ્રાણુત દેવલોકથી દિવ્યચુલદેવ એવી શ્રી વસુંધરી રાણીની કક્ષીને વિષે પુત્રપણે બળદેવના જન્મને સૂચિત સ્વપ્ન અને સુવર્ણની કાંતિવાળા દેહવડે જનમે છે જેનું નામ અપરાજિત ( પ્રભુને છઠ્ઠો ભવ ) પાડવામાં આવ્યું. મણિચૂલને જીવ દેવલોકમાંથી એવી અનુહરી રાણીના ઉદરમાં વાસુદેવના જન્મને સૂચવન કરનારા સ્વપ્નવડે શ્યામકાંતિવાળો વસુદેવપણે જનમ્યો જેનું નામ રાજાએ અનંતવીર્ય આપ્યું. એક દિવસ તે નગરના ઉદ્યાનને વિષે વિશિષ્ટ જ્ઞાનવાળા સ્વયંપ્રભ નામના મુનીશ્વર પધાર્યા. જ્યાં અશ્વક્રીડાવડે થાકી ગયેલ રાજા તે ઉદ્યાનમાં આવે છે. ધ્યાનવડે નિશ્ચલ તે મુનિરાજને જોઈ ભાવપૂર્વક વાંદે છે. પછી મહામુનિ દેશના આપતાં પ્રતિબંધ કરે છે કે-(ખાસ વાંચવા ગ્ય છે) કષાયે કડવા વૃક્ષ છે. દુર્થોન તેના પુખે છે અને આ ભવમાં તે પાપકર્મ અને પરલોકમાં તેની દુર્ગતિ તે તેનું કલ છે. તેથી મોક્ષના અભિલાષીઓએ ત્યાગ કરે જોઈએ. રાજા પવિત્ર મુનિરાજને તેના ભેદ માટે પૂછતાં ગુરુરાજ, તેના ભેદ, ઉપભેદો, અનંતાનુબંધી, ક્રોધ, માન, માયા ને લાભ (૨) અપ્રત્યાખ્યાનીય ક્રોધ, માન, માયા ને લેભ (૩) પ્રત્યાખ્યાનીય ક્રોધ, માન, માયા ને લેભ અને (૪) સંજવલન ક્રોધ, માન, માયા અને લેભ છે. તે ચારેના ચાર ચાર પ્રકારે અને તેને રસે કયા કયા પદાર્થો જેવા છે, તેની સ્થિતિ-કાળ કેટલું છે અને તે અનુક્રમે ચાર ગતિના કારણભૂત છે જણાવે છે માટે હે રાજા ! તારે કષાય ન કરવાં. જેમ મિત્રાનંદ વગેરે પ્રાણીઓનું તે ફળ જ્ઞાનીઓએ દેખ્યું છે. ગુરૂ મહારાજ તે મિત્રાનંદની કથા કહે છે. ૫. ૪૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005224
Book TitleShantinath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitprabhacharya
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy