SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ રાજકુંવરી શ્રીષેણા રાજપુત્ર ઉપર પ્રીતિ ધારણ કરે છે ને તેના પિતા બીજે દિવસે શુભમુહૂતે તે બંનેનાં લગ્ન કરે છે. એક દિવસ રાજા શાળના રોગથી ધનદના ઉપચારવડે મુક્ત થવાથી રાજ ભાગ્યોદય માની ધનદ મિત્રનો નિરંતર આદરસત્કાર કરે છે. એક વખત ચાર જ્ઞાનના ધારક પવિત્ર શીલંધર નામના આચાર્ય ત્યાં પધારે છે. ત્યાં આચાર્ય મહારાજ ધર્મને વિષે નિરંતર કલંકરહિત આદર કરે, પરંતુ મહણાક કે જેણે આદરને કલંકિત કરતાં દુઃખમિશ્રિત તે સુખ પામ્ય, તેના ઉપર મહેણુકની કથા કહે છે. (પા. ૪૦ ) આ ભરતક્ષેત્રમાં રત્નપુર નગરમાં શુભદત્ત નામને શ્રેણી હતો જેને વસુંધરા નામની ભાર્યા હતી. તેને મહણાક નામને પુત્ર અને તેને સોમશ્રી નામની ભાર્યા હતી. એક દિવસ મહેણુક ઉદ્યાનમાં ઉજાણી કરવા જાય છે ત્યાં એક મહામુનિને જુએ છે. અને તે તપોધનને વાંદી અને તેમનો ધર્મ ઉપદેશ સાંભળી સમ્મફત મળવાળો ગૃહીધર્મ અંગીકાર કરી પિતાને ઘેર આવે છે. ત્યાં એક સુંદર જિનાલય કરાવી ધર્મનારસથી વધારે પરાધીનપણે ધન ખરચી ઘણું દ્રવ્યનો વ્યય કર્યો, તેમ કુવિચાર કરે છે. કેટલાક દિવસ પછી લેકેના આગ્રહથી કહેવાથી ઉત્સાહ રહિત થઈ એક જિનપ્રતિમા કરાવી, જીવહિંસાનું નિવારણ કરી ઉચિત દાન આપે છે પણ ફરી તેણે વિચાર કર્યો કે આમાં પણ મેં ઘણું દ્રવ્યનો વ્યય કર્યો, અહિં તે ઉપાર્જન કરેલ ધનને ચે ભાગ વાપરો જોઈને હતે. આનું કુળ થશે કે નહિં? એમ મને સંદેહ થાય છે; અને શાસ્ત્રમાં તે થોડા વ્યયનું મોટું ફળ સંભળાય છે. આ પ્રમાણે સંશય સહિત ધર્મક્રિયા કરતે હતે. એક દિવસ પોતાને ઘેર બે તપોધન (મુનિ) આવતાં પોતે જ શુભ આહારવડે તેમને પ્રતિલાવ્યા, પિતે ધન્ય માનવા લાગ્યો. એક દિવસ રાત્રિએ જાગતાં અપ્રત્યક્ષ ફળવાળો ધર્મ કરવાથી અહિં શું છે? તે અશુભ વિચાર કર્યો. વળી કઈ દિવસ બે મુનિઓને મળવડેયુક્ત જોઈ દુર્ગચ્છા ધરી. તે મલિન સાધુને ધિક્કારે છે, પછી વિચારે છે કે મેં દુષ્ટ વિચાર કર્યો કેમકે સંયમવડે નિર્મળ ઉત્તમ મુનિઓ આવા પ્રકારના હોય છે. તેવી શુભ ભાવનાવડે પ્રથમ ધર્મકાર્યોમાં કુશંકા કરી દ્રવ્યવ્યય માટે પશ્ચાત્તાપ કર્યો. ધર્મારાધનાને કલંકિત કરી પરંતુ છેલ્લા વિચારે શુભ કર્મ બાંધી, આયુષ્ય ક્ષય થયે તે ભુવનપતિ દેવ થયું. ત્યાંથી એવી તું ધનદ થયે છે. પૂર્વે ધર્મ કરી આંતરામાં દૂષિત કર્યો તેથી અહિં દુઃખમિશ્રિત સુખ પામે. તે સાંભળી ધનદ મૂર્છા પામે છે અને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થતાં પિતાના પૂર્વભવો જોઈ, પછી ઘેર જઈ માતાપિતાને અને રાજાને પિતાના દીક્ષા લેવાના ભાવ જણાવે છે. રાજાએ પોતાના પત્રને રાય આપી. ધનદે પિતાના પુત્ર ધનાવહને ગ્રહ સેંપી, ધનદનાં માતાપિતા તથા ભાર્યા ગુરુની પાસે પ્રવ્રયા ગ્રહણ કરે છે. તેઓ સર્વે છેવટે સ્વર્ગમાં જાય છે, ત્યાંથી એવી મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્યપણું પામી સર્વ મોક્ષપદને પામે છે. વાંચકે ! ધર્મ આરાધના કર્યા પછી કુશંકા, સંદેહ પશ્ચાત્તાપ કરવાથી પછીનાં ભમાં દુઃખ ભોગવવું પડે છે તેનો વિચાર કરી ધમ-આરાધન નિરંતર ઉત્સાહપૂર્વક કરવું, એ આ કથાને સાર છે. આચાર્ય મહારાજ વિદ્યાધર રાજાને કહે છે-હે વિદ્યાધર રાજા ! આ ધનદની કથા સાંભળીને તારે નિરંતર ધર્મ કર એમ ચારણુ મુનિ મહારાજે જણાવતાં અમિતતેજ રાજા ગુરુમહારાજને વાંદે છે. ચારણ મુનિઓ ઇચ્છિત સ્થાને પધારે છે. વિજય નરેશ્વર અને અમિતતેજ નિરંતર બે યાત્રા શાશ્વતી અને એક અશાશ્વતી દરવર્ષે કરે છે. ચૈત્ર માસના શુકલપક્ષમાં એક શાશ્વતી અને આ શુકલપક્ષમાં અષ્ટાબ્લિકા નામની પ્રસિદ્ધ છે. તે દે વિદ્યાધરે નંદીશ્વરદીપમાં તથા મનુષ્ય પિતતાને સ્થાને કરે છે. “દરેક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005224
Book TitleShantinath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitprabhacharya
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy