________________
: ૧૪ :.
ત્યાંના રાજાને તે વાત તેઓ કહે છે. રાજા તેને કોણ છે તેમ પૂછતાં પોતે કહે છે કે હું વણિક છું. વહાણુ ભાંગતા પાટિયાના આધારે અહિં આવ્યો છું. તેમ કહેતાં રાજાએ પોતાની પાસે મદર નામ પાડી તેને રાખે. કેટલાક દિવસ પછી પૂર્વે અપકાર કરનાર સુદત્ત સાર્થવાહ ત્યાં આવે છે. રાજાને ભેટશું કરી, રાજાને નમસ્કાર કરી (ધનદ સ્થગિધરને) હાથે તેને તાંબૂલ અપાવતાં સાર્થવાહ તેને ઓળખે છે, તે સાર્થવાહ પોતાને સ્થાને જાય છે. એક ગીતરતિ નામને રાજાને માનીતે ચંડાળ છે તેને સ્થગિધર ચંડાલ છે તેવું કલંક રાજાની રૂબરૂ આપવા પૈસા આપવા લલચાવે છે. પછી ચંડાલ રાજાના ગીત ગાઈ ખુશ કરી સભામાં ધનદને હાથ પકડી ચંડાલ તેને પિતાનો ભાઈ છે તેમ રાજાને જણાવે છે. ધનને પૂછતાં અમારા બંનેને પિતા માટે ગાયક હતા, તેને બે ભાર્યા હતી. તેના અમે બે પુત્રો છીયે. આનો ધનદે યુક્તિપૂર્વક જવાબ આપ્યો કે-મારા માત-પિતાને મારી ઉપર અણગમો હોવાથી મારી જંધામાં પાંચ રને નાંખ્યા છે. તે પોતાની જંધા કાડી બતાવે છે અને રૂઝ લાવે છે. અને આ મારા ભાઈના અંગને વિષે ઘણા રતન નાંખ્યા છે. પછી તે ચંડાલને ગભરાટ થતાં છેવટ રાજા તેને બાંધીને મનાવતાં સાર્થવાહે મને ધન આપી આ કામ કરાવ્યું છે, તેમ જણાવતાં રાજાની પાસે ધનદ પણ પિતાની વિતક જણાવે છે. તે કાણુ છે પુછતાં તે સુવર્ણની ઈટ પર મારું નામ છે અને સાર્થવાહના વહાણુમાંથી ઈટ મંગાવી નામ જોતાં ચંડાલ અને સાર્થવાહને હણવાને વિચાર કરતાં મદર તેને છોડાવે છે. પછી પિતે ત્યાં ગુપ્ત રહે છે. તેટલામાં સાર્થવાહ દેવદત્ત પણ ત્યાં આવે છે અને તિલકસુંદરી સહિત રાજા પાસે આવે છે. રાજા સાર્થવાહને કયાંથી તું આવે છે અને આ બાલિકા કોણ છે તેમ પૂછતાં કટાહઠીપથી પોતે આવે છે અને સમુદ્રના અંતરીપમાંથી મને પ્રાપ્ત થયેલ આપની અનુમતિવડે તે મારી ભાર્યા થવા માંગે છે. તિલકસુંદરીને પૂછતાં પિતાને પતિને સમુદ્રમાં નાંખનાર, અમારું ધન રાખનાર તે જ છે અને મારા શીલનું રક્ષણ કરવા મેં ઢીલ માટે તે ઉત્તર આપ્યો હતો. હવે હું અગ્નિમાં પ્રવેશ કરવા માગું છું તેમ જણાવતાં રાજા કહે છે કે તારા પરિણિત પતિને હું દેખાડીશ. રાજા ધનદને દેખાડે છે, તેને જોઈ ઓળખે છે. સાર્થવાહને રાજા મારવા માંગતા ધનદ તેને પણ છેડાવે છે. પછી રાજાની આજ્ઞા લઈ ધનદ પિતાના પિતાને ઘેર આવે છે. રાજાને માનીતે ધારી તેને બાપ સત્કાર કરે છે. ધનદ તેના પિતાને તમારો પુત્ર ધનદ કયાં છે તેમ પૂછતાં તેના જવાના કારણે જણાવે છે અને તેની આકૃતિ અને વચનના અનુસાર તે તું જ છે તેમ તેના પિતા કહે છે. પછી ધનદ પ્રગટ થાય છે. ધનદ પિતાનું સર્વ વૃત્તાંત જણાવે છે. છેવટે ધનદના કહેવાથી ત્યાંના રાજાને વિનંતિ કરી આમંત્રણવડે રાજા, ધનદ તેની પ્રિયા સહિત ગજેન્દ્ર પર સ્વારી કરી ઘેર આવે છે. અને તેને પિતા મહોત્સવ કરે છે.
આવે છે અને નત કરી આપી છે. ધનદ વેતન
એક દિવસ રાજાના મેળામાં તેને પુત્ર બેઠે છે ત્યાં એક માળી આવી કેટલાક પુષ્પ રાજાને આપે છે. તે કુંવર સુંધતા પુપમાંહેને રાજસપ તેને ડરે છે. પછી ધનદ પિતાની પાસેના મણિના જળવડે કુંવરને વિષ રહિત કરે છે.
એક દિવસ રાજકુંવર રાજવાટિકા જતાં સુરરાજાની છીણ નામની પુત્રીને અતિશય રૂપવંત જાણી રાજાને જણાવતાં તે કુંવરીના બાપ પાસે પિતાનાં મંત્રીને એકલતાં ત્યાં પુછાવે છે ત્યાં પણ હું આત્મહત્યા કરીશ તેમ કુંવરી તેના પિતાને જણાવે છે, જેથી મંત્રી તે વાત પિતાના રાજાને જણાવે છે. તેટલામાં ધનદ રાજા પાસે આવે છે. રાજાને ચિંતાનું કારણ પૂછતાં ઉપરોક્ત હકીક્ત જણાવે છે, જેથી ધનદે ચક્રેશ્વરીદેવીએ આપેલ મણિ કુંવરને આપે છે. કુંવર તેની સાધના કરવાથી તેના પ્રભાવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org