SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૩: બાળા-કન્યાને જોવે છે. તે બાળા ધનદને તું કયાંથી આવ્યું? અહિં તારા જીવિતને સંશય છે તેથી જહદી ચાલ્યો જા તેમ કહે છે. બાળાને ધનદ પૂછે છે કે-આ નગર કયું છે? જન રહિત કેમ છે? બાળા તેના ધિય અને રૂપવડે વિસ્મય પામી જણાવે છે કે-આ ભરતક્ષેત્રમાં શ્રી તિલક નામનું નગર અને તેને મહેન્દ્રરાજ નામને રાજા મારે પિતા હતો. કોઈ દિવસે બીજા રાજાઓ સાથે યુદ્ધ કરવા જતાં કઈ બંતરે આવી જણાવ્યું કે, પૂર્વ ભવને તું મારા મિત્ર છે માટે તને હું શું સહાય કરું? ત્યારે યુદ્ધમાં સહાય કરવાનું કહેતાં બીજા રાજાઓ મારાથી અધિક વ્યંતરોવડે અધિછિત હોવાથી તેમ મારાથી બની શકે તેમ નથી. પણ જેને પ્રવેશ અને નિર્ગમ કૂવામાં પડે છે તે કૂવાની પણ રક્ષા માટે બીજું નગર બનાવવાથી વહાણવડે દરેક વસ્તુઓ અહિં આવે છે, જેથી પુરના લેકે સહિત તે મારા પિતાને અહિં લાવે છે. કેટલાક વખત પછી કવાના પગથિયાં ભાંગી એક માંસલુબ્ધ રાક્ષસ અહિં આવી મનુષ્યોને ખાવા લાગ્યો અને આ નગરને મનુષ્ય રહિત કર્યું. નગરના લોકો ભયના માર્યા વહાણવડે અહીંથી ચાલ્યા ગયા અને બંને નગર શુન્ય કર્યા. પછી મને પરણવા માટે તે દુષ્ટ મારું રક્ષણ કર્યું છે અને આજથી સાતમે દિવસે આવીને મને પરણવા માટે જીવતી રાખેલ છે. આજે સાતમો દિવસ છે તેથી હે સુંદર! તું અહિંથી જતો રહે. ધનદ તેને ધીરજ આપી પોતાના હાથથી તે મરશે વગેરે નિડરપણે જણાવે છે, તેથી બાળા બેલી કે તેના મૃત્યુનો સમય વિદ્યાના પૂજાસમયે છે. તે વખતે તેને મારો કારણ કે વખતે તે બોલતું નથી. મારા પિતાનું આ ખર્શ છે તે ગ્રહણ કરી લે. પછી તે રાક્ષસ મનુષ્ય શબ લઈ ત્યાં આવે છે. ધનદને જોઈ પિતાનું ભક્ષ્ય પોતાની જાતે આવ્યું જાણે છે, પછી શબને છેડી દઈ પૂજા કરવા પ્રવર્યો ત્યારે ધનદ તેને પૂજા કરતાં ખર્ગવડે હણે છે. પછી લગ્નની સામગ્રીવડે તે ત્યાં તીલકસુંદરી બાળાને પરણે છે અને તે બંને સામગ્રી સહિત કૂવાને વિષે આવી ભક્તિપૂર્વક ચક્રેશ્વરી દેવીને વાંદે છે. અહિં કોઈક વહાણુ આવતાં કૂવામાંથી સાર્થવાહના માણસો પાણી કાઢવા આવતાં ધનદ પિતાને બહાર કાઢવા જણાવે છે. સાર્થવાહ દેવદત્ત ત્યાં આવી કુવામાંથી ધનદને બહાર કાઢે છે. તેને તે કોણ છે તેમ જણાવતાં ધનદ પિતાની પ્રિયા અને રત્નાદિ સામગ્રી કૂવામાં છે તે બહાર કાઢી હું જણાવીશ તેમ સાર્થવાહને કહે છે. તિલકસુંદરી બહાર આવતાં તેને જોઈ સાર્થવાહને ધનદ પિતાની હકીકત જણાવે છે કે કટાહઠીપે વહાણ ભાંગી જવાથી મારી સ્ત્રી સહિત અહીં આવ્યો. પાણી પીવા વ્યાકુળ બનેલી મારી સ્ત્રી કૂવામાં પડી જેથી હું પણ પડ્યો. અમે કાંઠે પડતાં જળદેવીએ મને રને આપ્યા અને કહ્યું કે અહીં વહાણ આવશે તેમાં ચડીને તારા સ્વસ્થાને જજે. મેં મારી વાત કહી. હવે સાર્થવાહને તેની વાત કહેવા જણાવવાથી સાર્થવાહ કહે છે કે-હું દેવદત્ત નામને વણિક ભરતક્ષેત્રથી કટાહદીપે ગયો હતો અને હું હવે ઘેર જાઉં છું. સાર્થવાહના કહેવાથી પિતાની સ્ત્રી તથા વસ્તુઓને વહાણુમાં મૂકે છે અને ધનદ સાર્થવાહ મીલ્કતને છઠ્ઠો ભાગ આપવા જણાવે છે. વહાણ ચાલતાં દુરાત્મા સાર્થવાહનું ચિત્ત સ્ત્રી અને ધન જોઈ ચલાયમાન થતાં, રાત્રિના વ્યુત્સર્ગને નિમિતે માંચા પર રહેલા ધનને સાર્થવાહ સમદ્રમાં ફેંકી દે છે. કેટલાક દિવસે તિલકસુંદરીને કહે છે કે તારે પતિ મરી ગયો છે માટે તું મારી પત્ની થા. એમ કહેવાથી તિલકસુંદરીએ વિચાર્યું કે મારા ધણીને જરૂર આણે મારી નાખ્યું અને મારા શીલનો પણ તે નાશ કરશે એમ વિચારીને કહ્યું કે આપણે નગરમાં ગયા પછી રાજાની આજ્ઞા લઈ તું કહીશ તેમ કરીશું. - અહિં સમદ્રમાં પડતા ધનદને એક પાટિયું હાથ લાગતાં ઘસડાતે ઘસડાતે તે પિતાના નગરની પાસેના કાંઠે પાંચમે દિવસે પહોંચે છે, જ્યાં પાટિયા સહિત એક મચ્છ તેને ગળી જાય છે. ત્યાં આપત્તિનું નિવારણ કરનાર મણિનું સ્મરણ કરતાં માછીમારોએ મયના ઉદરમાં જોઈ તેને બહાર કાઢી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005224
Book TitleShantinath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitprabhacharya
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy