SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૨ : પ્રાણીઓએ નિરંતર ધર્મ કરે, પરંતુ તેમાં આંતર રાખે છે જેમ મ દર નામના ધનદને થયું તેમ સુખનું પણ આંતરું પડે છે. પછી રાજાએ પૂછતાં અહિં એક મુનિઓ મત્સ્યોદરની કથા કથા કહે છે. (પા. ૨૮.) આ ભરતક્ષેત્રમાં આવેલ કનકપુર નગરમાં કનકરથ નામને રાજા અને કનકશ્રી નામની રાણી છે. તે નગરમાં ઉદાર અને ધર્મિષ્ટ રત્નસાર નામને શ્રેણી અને તેને રત્નમૂલા નામની પ્રિયા અને અભિમાનરૂપી ધન ઉપાર્જન કરવામાં તત્પર ધનદ નામને પુત્ર હતો. ત્યાં સિંહલ નામના જુગારીને મંદભાગ્યપણુવડે એક દિવસ પિતે નહિ જીતવાથી ક્રોધવડે (દેવીના મંદિરમાં જ્યાં જુગાર રમતા હો ) દેવી મને આજે દ્રવ્ય નહિં આપ તે તારે અનર્થ કરીશ એમ કહ્યું. તે પછી દેવીએ ધન મેળવવા માટે તેના હાથમાં ગાથા સહિત એક પત્ર આપતાં તે ગાથા વેચવાથી એક લાખ સોનામહોર તું મેળવીશ તેમ કહે છે. પછી તે પત્ર લઈ ચૌટામાં જતાં કેઈએ નહિં લેવાથી શ્રેણીપુત્રની દુકાને જાય છે. શ્રેણી, “વિધાતાએ જે લેખ લખ્યા હોય તે સર્વ લોકને અવશ્ય પરિણમે છે, આ પ્રમાણે ભાવના ભાવીને ધીર પુરૂષે કચ્છમાં પણ કાયર થતાં નથી, ” એ પ્રમાણે તે ગાથાને અર્થ જાણી તેનું માંગેલું મૂલ્ય આપી તેને વિદાય કરે છે. પછી તેને પિતા ત્યાં આવે છે. વ્યાપાર સંબંધી પૂછતાં અન્ય વણિકપુત્ર ઉપરક્ત હકીકત જણાવતાં તેના પિતા તેને ત્યાંથી કાઢી મૂકે છે, જેથી તે ત્યાંથી નીકળી સાંજના એક વનમાં છે. ત્યાં એક સુંદર સરોવર જઈ, ત્યાં સ્નાન કરી એક વડના ઝાડ નીચે સૂતે છે જ્યાં એક શિકારી પાણી પીવાને તથા વનચર જેને હણવા આવે છે. તેને જોઈ શ્રેણીપુત્ર કાંઈક ચલાયમાન થાય છે જેને વનચર જાણી શિકારી બાણવડે તેના પગને વીંધે છે; પછી ત્યાં પાસે આવી ધનદને જોતાં પગમાંથી બાણ કાઢી નાંખી પાટો બાંધવાનું કહેતાં તેને નિવારી તેને પિતાને સ્થાને જવા જણાવે છે. પગમાં લેહી નીકળતું જેમાં ભાવંડ પક્ષી તેને ઉપાડીને લઈ જાય છે અને સમુદ્રના મધ્યદીપમાં જ્યાં તેને ખાવા તૈયાર થાય છે ત્યાં તેને જીવતે જાણું પક્ષી ઊડી જાય છે. અહીં ધનદ તરફ જોતાં એક શત્ય નગર જુવે છે. સવારે સુવર્ણ પૃથ્વી જોતાં આ સુવર્ણદીપ છે અને સળગતા અગ્નિવડે તત્કાળ સુવર્ણમય થઈ જાય છે. ત્યાં તે સુવર્ણ બનાવી કઈ પર્વતની ગુફામાં જતાં રત્નનો સમૂહ જોઈ તે લઈ સુવર્ણ પાસે એકઠું કરે છે. તેવામાં ત્યાં સુદત્ત નામને સાર્થવાહ આવતાં ઈધણ વગેરે ખૂટી જતાં પિતાના નકોને મોકલતાં તેઓ ધનદને દેખે છે અને પાણીનું પૂછતાં તેને કૂવો દેખાડે છે. જ્યાં સુવર્ણ વગેરે જોતાં આ ધન કેનું છે ? તેમ પૂછતાં એ ધન પિતાનું જણાવી પિતાને પોતાના સ્થાને કઈ લઈ જાય તો એ ભાગ આપવા કહે છે. તે સાર્થવાહ તે પ્રમાણે કબૂલ કરી સાથે લઇ જાય છે. અહિં સાર્થવાહની દાનત બૂરી થતાં ધનદને કૂવામાં નાંખે છે. ધનદ પાંદડાવડે વ્યાપ્ત મેખલા ઉપર પડવાથી બચી જાય છે. પ્રથમની ગાથાને સંભારતે તે સ્થળે એક વિવર જોઈ તેમાં પેસે છે. જયાંથી આગળ ચાલતાં એક દેવકલ જીવે છે. જ્યાં ગરુડ ઉપર આરૂઢ થયેલ શ્રી ચક્રેશ્વરી દેવીને જોઈ, તેને નમસ્કાર કરી વિનંતિ કરે છે કે-હે માતા ! શ્રી આદિનાથ પ્રભુની શાસનદેવી! કષ્ટ પામેલ એ હું આપના ચરણનું શરણું માગું છું. અહિં દેવી તેને “ આગળ જતાં તેને સર્વ સારું થશે.” તેમ કહી તુષ્ટમાન થઈ વર માંગતાં દેવી તેને પાંચ રને આપે છે. એક રત્ન સૌભાગ્ય કરનારું, બીજું લક્ષમીનું સ્થાન, ત્રીજું તત્કાળ રોગને નાશ કરનારું, ચોથું વિષને હરનારું અને પાંચમું આપત્તિને હણનાર છે એમ કહી દેવી અદશ્ય થાય છે. ધનદને આગળ ચાલતાં સંરહિણી નામની ઔષધિ પ્રાપ્ત થાય છે, તેનાથી પિતાને થયેલા વ્રણને રૂઝવી આગળ ચાલતાં એ મનુષ્યની શ્રેણી રહિત એક પાતાળનગર જઈ સાથે રાજમહેલ જોતાં તેમાં પ્રવેશ કરી સાતમે માળે જાય છે. જ્યાં દેવાંગના જેવા રૂપવાળી એક For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005224
Book TitleShantinath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitprabhacharya
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy