SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ : તપ, નિયમ અને સંયમવડે વિઘ્ના પણ દૂર થાય છે તેમ શાસ્ત્રકારો જણાવે છે. તે પ્રમાણે તે રીતે સાતમે દિવસ વિજળી પડતાં તે યક્ષની પ્રતિમા નાશ પામે છે અને રાજા અચી જતાં નિમિત્તયાને દ્રવ્ય આપી વિદાય કરે છે. અહીં રાજા યક્ષની નવી રત્નમય પ્રતિમા કરાવી, જિનેશ્વરાની પૂજા કરી ઉત્સવ કરે છે. હવે રાજા પોતાની રાણી સાથે ક્રીડા કરવા વનમાં જાય છે, ત્યાં એક મૃગને જોઈ રાણી લાવી આપવા જણાવે છે. તેને ગ્રહણ કરવા જતાં હરણુ આકાશમાર્ગે જાય છે અને રાણીને ત્યાં કુટ જાતિના સર્પ ડેસે છે. રાજાએ અનેક ઉપચારો કર્યા છતાં રાણી જીવ રહિત થાય છે. આકાશમાર્ગેથી એક પુરુષે ત્યાં આવી જણાવે છે કે અમિતતેજ રાજાના માનીતા સભિન્નશ્રોત નામના જોશીને હું દીપશીખ નામના પુત્ર છું. એક દિવસ જ્યોતિન તરફ જતાં ચમરચચાના ઈશ અનિલેષ સુતારા નામની રાજાની પ્રિયાને હરણ કરી લઈ જતાં મે જોઇ છે. અમારા રાજાની બહેનનું હરણુ કરી દુષ્ટ કયાં જઈશ ? એમ કહેતાં અનિષેષ ખેલ્યા કે વૈતાલિનીએ મેહ પમાડેલ રાજા સુતારાનું રૂપ કરીને વૈતાલિની સાથે મરવાને તૈયાર થયેલ છે. અત્રે રાજાને માધ કરતાં વેતાલિની નાશી ગઈ અને સુતારાની પ્રાપ્તિ માટે તૈયાર થયેલ છે તેની આજ્ઞાની હું તમાને ખબર આપવા આવ્યા છેં. અમિતતેજ રાજાના પૂછ્યાથી શ્રીવિજય રાજા પોતાના સર્વ વૃત્તાંત જણાવે છે. પછી અશનિધેાષ પાસે તે તરત મરીચી નામના દૂતને મોકલે છે. દૂત અશિનોષને રાણી સુતારા સતીને શીઘ્રપણે સાંપી દેવા વગેરે શબ્દથી જણાવતાં તે ક્રોધિત થઈ અનિવેષ દૂતના કંઠે પકડી કાઢી મૂકે છે. પછી દૂતને વૃત્તાંત સાંભળી અમિતતેજ શ્રીવિજયને શનિવારણી અને બંધમેાનિકા નામની બે વિદ્યા આપે છે, તેને તે સાધી લે છે. સાથે અમિતતેજનાં પુત્રો રશ્મિવેગ વગેરે કુમારા સાથે જાય છે. અનિર્દેષ પોતાના પુત્રાને સૈન્ય સામા મેાકલે છે, જ્યાં ભયંકર યુદ્ધ થાય છે. છેવટે અનિલેષ પોતે લડવા આવે છે. શ્રીવિજયે તેને ખડ્ગવડે હણુતાં એકના બે અર્થાનધાષ થયા. ખીજી વાર હણુતાં ચાર થયા. એમ વારંવાર હણુતાં સા થાય છે. દરમ્યાન અમિતતેજ પરની વિદ્યાના છેદ કરનારી મહાજ્વાલાનાશિની વિદ્યા સાધી ત્યાં આવે છે અને સિદ્ધ્મુખા નામની વિદ્યાને ‘ આ પાપીને મારે દૂરથી પણ અહિં લાર્વવેા. ' એમ જણાવી પોતે સીમ નામના પર્વત ઉપર જાય છે. જ્યાં શ્રી ઋષભદેવ જિતેશ્વરના મંદિરની પાસે રહેલા, કેવળજ્ઞાન પ્રાપ્ત થયેલા બલદેવ ઋષિને જોઈને વંદન કરે છે. ત્યાં વિદ્યાએ પણ સ વૃત્તાંત જણાવતાં સુતારાને લઈને પોતાની પાસે આવવા દૂતને જણાવતાં અમિતતેજ, શ્રીવિજય વગેરે સૈન્ય સહિત સીમગીરી પર્યંત ઉપર આવે છે, ભગવતને વંદન કરે છે. સુતારા શ્રીવિજય રાજાને સાંપે છે. અશનધાષ ત્યાં અને રાજાઓને ખમાવે છે. પછી દેવળી ભગવાન ઉપદેશ આપે છે કે અનથની પરંપરા કરવાથી જન્મ નિરંક કરે છે અને મેક્ષ પામતા નથી વગેરે વિષય ઉપર દેશના આપી. અને અનિલેષ સુતારાને પોતે હરણ કરી કેમ લાવ્યે તેમ પૂછતાં મુનિ જણાવે છે કે-શ્રીષેણ રાજાના ભવમાં રત્નપુરમાં કપીલ નામને બ્રાહ્મણુ હતા, પૂર્વ ભવમાં રાગરહિતપણાએ કરી આ ભવમાં તુ અશનધાષ થયા અને સત્યભામા મરી આ સુતારા થઈ છે. શ્રીષેણુ અમિતતેજ થયા છે. તે વખતે અમિતતેજ રાજા પોતે ભવ્ય છે કે અલભ્ય તેમ પૂછતાં કેવળી ભગવંત કહે છે નવમે ભવે તું પાંચમા ચક્રવર્તી અને સાલમા જિનેશ્વર થઈશ. ભવ્યાત્માઓને જ આવી શંકા ઉત્પન્ન થાય છે. હવે અનિધાષ પુત્રને ગાદી સોંપી દીક્ષા લે છે. સ્વયં’પ્રભા દેવી પણ ઘણી સ્ત્રી સહિત ચારિત્ર લે છે. શ્રીવિજય, મિતતેજ સ્વસ્થાને આવે છે. અમિતતેજ શ્રેષ્ઠ રત્નાવર્ડ તૈયાર કરેલ જિનમંદિરની પાસે પૌષધશાળામાં એસી વિદ્યાધર સભાને ધમ સભળાવે છે. દરમ્યાન એ ચારણુ મુનિએ આકાશમાર્ગે ત્યાં પધારે છે. તેમને આસન આપી વંદન કરે છે. મુનિએ ત્યાં દેશનામાં જણાવે છે કે મનુષ્યભવ પામી, ભસ્થિતિ જાણી સુખ ઈચ્છનાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005224
Book TitleShantinath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitprabhacharya
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy