________________
ષષ્ટ પ્રસ્તાવ : ગુણધર્મ કુમારે વિદ્યાધરને કરેલે નાશ અને વિદ્યાધરના ભાઈએ કરેલ અપહરણ. [ ૧૬૫ ]
ત્યારે તે વિદ્યાધર હસીને બે કે-“ ત્યાં જઈને પણ મારે જેને માર હતું, તે પિતે જ અહો ! મરણને માટે અહીં આવ્યા છે. ત્યાર પછી યુદ્ધ કરીને તથા છળને પામીને મોટા બળવાન ગુણધર્મ કુમારે તે વિદ્યાધર રાજાનું મસ્તક છેદી નાંખ્યું. ભયભીત થયેલા તેના સૈન્યને તેણે જ વાણીવડે આશ્વાસન આપ્યું. તે વખતે તે ત્રણે બાળાઓ આ પ્રમાણે વચન બોલી કે-“જેમ પ્રસન્ન થયેલા ગુરુ પ્રાણીઓને પાપમાંથી મુક્ત કરે છે, તેમ છે સ્વામી! આ ખેચરથી તમે અમને મુક્ત કરી.” ત્યારે “તમે કોની પુત્રી છો ?” એમ કુમારે પૂછ્યું ત્યારે તેમાંથી એક બેલી કે-“શંખપુરના સ્વામી દુર્લભરાજ નામના રાજાની કમલવતી નામની હું પુત્રી છું. આના ભયથી મેં વિવાહ ઈચ્છો નથી. ” કુમારે કહ્યું કે-“સનેહથી ઉત્પન્ન થયેલે કે કેપથી ઉત્પન્ન થયેલે ભય છે?” તે બોલી કે-“તે ભય કેપથી ઉત્પન્ન થયેલ છે. સ્નેહથી ઉત્પન્ન થયેલે કેમ હોય? કેમકે પહેલાં આણે કુદિમ( મહેલ )ના તળથી મને હરણ કરી હતી, તે વખતે તે મારી જિહાને છેદ કરતાં મને આ પ્રમાણે કહ્યું કે-“મારા કહેવાથી જ તારે પતિને અંગીકાર કરવો. તથા હંમેશા રાત્રિએ મારી પાસે આવવું. સારા શીખવાળી તારે મારી આજ્ઞાથી વિમાન થશે. જે આ પ્રમાણે તું કરે, તો હું તને મૂકું, હણું નહિ.” સોગનને નિબંધ કરીને મેં પણ તે અંગીકાર કર્યું, અને પુરુષ! નૃત્યાદિક કળાઓ તેણે મને શીખવી. એ પ્રમાણે તેણે બીજી ત્રણે રાજકન્યાઓને વશ કરી. તેને હણનારા તમે અમને સર્વને સુખ કર્યું. ” આ પ્રમાણે સાંભળીને કુમારે તે ત્રણેને પિતાને સ્થાને મોકલી, અને તે કુમાર ચેટીની સાથે પોતાની પ્રિયાને ઘેર આવ્યો. તેને જોઈને કનકવતીએ દાસીને પૂછયું કે-“હે સખી! શું આજે મારા પતિએ દુષ્ટ વિદ્યાધરને હ?ત્યારે તેણીએ તેણીને તેના વધન વૃત્તાંત જણા (કહો), ત્યારે તે પોતાના ભર્તાના પુરુષાર્થના ઉત્કર્ષને સાંભળીને હર્ષ પામી. પછી ગુણધર્મકુમાર તેણીની સાથે વાર્તા કરીને સ્નેહથી ભરપૂર થયેલો તે ત્યાં જ બાકીની રાત્રિ સૂતે. ત્યારે ક્રોધ પામેલા તે વિદ્યાધરના નાના ભાઈએ તેને ઉપાડીને સમુદ્રમાં નાંખે, અને તેની પ્રિયાને બીજે ઠેકાણે મૂકી. તે કાંઈક પાટિયું પામીને સાત રાત્રિએ સમુદ્રને કાંઠે પ્રાપ્ત થશે. ત્યાં એક તાપસને દેખે. પછી તેની સાથે તે તાપસના આશ્રમમાં ગયો. ત્યાં પોતાની પ્રિયા કનકવતીને દેખી. પછી કુમાર નમસ્કાર કરીને કુળપતિની પાસે બેઠો. કુળપતિએ તેને કહ્યું કે-“હે ભદ્ર! શું આ તારી પ્રિયા છે?” તેણે “હા” કહી ત્યારે તે બે કે-“આજના દિવસની પહેલાના ત્રીજે દિવસે આ વનને વિષે પ્રાપ્ત થઈ. ત્યાં
સુંદર ! તારા વિગથી વૃક્ષની શાખામાં પિતાને લટકાવીને મરવા માટે તૈયાર થયેલી આને મેં જોઈ. ત્યારે કેઈક પ્રકારે પાશ છેદીને મેં મરણથી તેનું રક્ષણ કર્યું. તથા જ્ઞાનના બળથી તારું આગમન જાણુને તથા તેને કહીને ખુશી કરી.” પછી કેળ વિગેરેનાં
૧ છિદ્ર-મિષ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org