SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૬૪] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર હણશે, એમ હું શંકા કરૂં છું. વળી બીજું–નવા યોવનનો આરંભ ઘણા વિક્તવાળ હોય છે. મારા પિતા અને મારા સસરાના કુળ ઉત્તમ અને પ્રસિદ્ધ છે. આ અતિ વિષમ લોક જેમ તેમ બોલનાર હોય છે, તેથી કાર્યના ગહનપણાએ કરીને હું સર્વ પ્રકારે વ્યાકુળ થઈ છું.” તે બોલી કે-“હે સ્વામિની! જે એમ હોય, તે તમે અહીં રહે. હું ત્યાં જાઉં. અને “મારી સખીનું શરીર સારું નથી.” એમ હું તેની પાસે કહીશ.” ત્યારે કનકવતી બોલી કે- “હે શુભ ચિત્તવાળી ! એમ કર.” એ પ્રમાણે કહીને વિમાન રચીને તેણીને આપ્યું. તેના ઉપર ચડીને તે દાસી ત્યાં ગઈ. તેની સાથે ગુણધર્મકુમાર પણ મનમાં આ પ્રમાણે વિચારતો ગયો. “આજે હું અવશ્ય તેનું વિદ્યાધરનું સ્વામીપણું નાશ કરીશ, અને જીવલેકમાં વસનારાની મોટી પ્રેક્ષકની શ્રદ્ધા નાશ કરીશ. પછી બેચરોએ શ્રીમાન જિનેશ્વરનું સ્નાત્ર પ્રારંવ્યું. તે વખતે તે ચેટી( દાસી) વિમાનથી ઉતરીને જિનાલયમાં પેઠી. સર્વને જેતે કુમાર પણ તે જ પ્રમાણે ગુપ્ત રહ્યો. પછી એક ખેચરે તે ચેટીને આ પ્રમાણે કહ્યું, કે-“આજે બહુ જ વાર કેમ લાગી? અથવા તારી સ્વામિની કયાં છે?” તેણુએ પૂર્વનો ઉત્તર આપીને કહ્યું કે-“તેણીએ મને મોકલી છે.” તે સાંભળી તે ખેચરેશ્વર ક્રોધવડે હોઠ ફરકાવીને બોલે, કે-“હે ખેચરો! તમે વૃષભ પ્રભુનું સ્નાત્ર કરો. હું તો આ પાપીણીના શરીરની ચિકિત્સા(દવા) કરીશ.” એમ કહીને તેણે દાસીને મસ્તકના કેશમાં પકડી. તે વખતે કુમારે પણ દઢ રીતે કેડ બાંધી, અને ખડ્ઝને તૈયાર કર્યું. તથા પ્રેક્ષણને ઉત્સવ બંધ થયો. વિદ્યારે ચેટીને કહ્યું કે-“પ્રથમ તારા રુધિરવડે મારે કપાગ્નિ શાંત કરું. પછી યોગ્ય કરીશ. તેથી તું હમણુ મરણને સમયે ઈષ્ટદેવનું સ્મરણ કર, અને જે તેને ભાસે, તેનું શરણ અંગીકાર કર.” તે બેલી કે-“સર્વજ્ઞ, દેવ, અસુર અને મનુષ્યએ પૂજેલા, અભિષ્ટ દેવ ભગવાન શ્રીવૃષભસ્વામીનું મેં સ્મરણ કર્યું, તથા હે ખેચર! આ અટવીમાં મરણ જ મારું શરણ છે. બીજે કઈ રક્ષણ કરનાર નથી, તે પણ અહો ! આ પ્રમાણે હું કહું છું, કે-શૂરવીર, ધીર, મોટે ઉદાર, શત્રુરૂપી હાથીના સમૂહને સિંહ સમાન અને ગુણાનું એક સ્થાન આર્યપુત્ર જ મારું શરણ હે.” ત્યારે ખેચર બોલ્યો કે-“હે અધમ! તે આર્યપુત્ર કયું છે? તે તું કહે.” કુમારે પણ વિચાર્યું કે-“આણે ઠીક પૂછયું, કેમકે મારા ચિત્તમાં પણ આ સંદેહ વર્તે છે.” ત્યારે તે ચેટી બોલી કે “રાજાઓની સમક્ષ મારી સ્વામિની સ્વયંવરમાં જેને પરણી છે, અને તે પાપી ! જેના વડે જેવાયેલ તું અધ ક્ષણમાં જ નહીં રહે ( જીવે છે, તે ગુણધર્મ કુમારનું જ મેં શરણ કર્યું છે.” પછી તલવારને ઊંચી કરીને તે બેચર તેણીને હણવા ઉદ્યમવાળો થયે, ત્યારે ખર્શને કેશ રાહત કરીને કુમારે આ પ્રમાણે કહ્યું કે “વિશ્વાસુ, વ્યાકુળ, દીન, બાળ, વૃદ્ધ અને સ્ત્રીજનને વિષે જે પાપીઓ પ્રહાર કરે છે, તેઓ અવશ્ય દુર્ગતિમાં જાય છે. અરે ! સ્ત્રીહત્યાનું પાપ કરવા ઉદ્યમી થયેલા તારા પ્રાયશ્ચિતના વિધાનમાં આજે હું જ ગુરુ થઈશ.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005224
Book TitleShantinath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitprabhacharya
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy