________________
પષ્ટ પ્રસ્તાવ-ગુણધર્મ કુમારનું કનકાવતીના વિમાનમાં ગુપ્ત રીતે જવું.
[૧૬૩]
ગયું. તે કુમારે ગ્રહણ કર્યું. તેને પણ ઘણા પ્રકારે શોધીને પિતાને ઘેર આવી. રાજપુત્રે તે પણ મિત્રને આપ્યું. પછી બીજે દિવસે મિત્ર સહિત તે તેણીને ઘેર ગયે. ત્યાં તેણીએ આપેલા આસન ઉપર તે પ્રભુ (કુમાર) બેઠે. ક્ષણ વાર શાસ્ત્રની ગેઝી (વાત) કરીને તેણીએ મતિસાગરને પૂછયું કે-“હે ભદ્ર! તેં શું નિમિત્ત જોયું ? તે તું કહે.” ત્યારે તે બે કે-“નિમિત્તના બળવડે હું જાણું છું કે–હે સુંદર અંગવાળી ! તારું બીજું પણ કાંઈક ભૂષણ નાશ પામ્યું છે.” ત્યારે ચિત્તમાં શંકાવાળી છતાં પણ સાવધાન થઈને તે બોલી કે-“હે નિમિત્તજ્ઞ! તે વિભૂષણ પણ કર્યું? તે તું કહે.” ત્યારે “શું તું પોતે નથી જાણતી?” એમ ભર્તાએ કહેલી તે ફરીથી બેલી કે–“જાણું છું પણ પડવાનું સ્થાન મને સાંભરતું નથી. ” કુમાર બે કે-“કોઈ બીજાએ મને એમ કહ્યું કે–અહ? દૂર ગયેલી તારી પત્નીનું નૂપુર પડી ગયું છે. હે સુન્ન! તે નૂપુર જેણે ગ્રહણ કર્યું છે, તે પુરુષને મેં જાયે છે, અને તે નૂપુર તેના હાથમાંથી મેં બળાત્કારે લઈ લીધું છે.” કનકાવતીએ આ પ્રમાણે વિચાર્યું કે-“અહીં કંઈ પણ પ્રયોગ કરીને મારા ભર્તાએ મારો સર્વ વૃત્તાંત જોયે છે. અથવા તે સુરભદ્ર, ચંદ્રની કળા, ચેરી, ક્રીડા અને સુકૃત આ સર્વ ગુપ્ત કર્યા હોય તે પણ ત્રીજે દિવસે પ્રગટ થાય છે, એમ વિચારીને તે બેલી કે“હે પ્રિય! તે મારું નૂપુર કયાં છે?” ત્યારે તેની આજ્ઞાથી તેના મિત્રે તેને તે આપ્યું. તેણે ફરીથી બોલી કે-“હે કાંત ! તમે મને સત્ય કહે, કે–આ તમે કયાંથી પ્રાપ્ત કર્યું?” તે બોલ્યો કે-“ તારું તે ભૂષણ કયાં પડયું હતું ?” ત્યારે-“જે સ્થાને આ પડયું હતું, તે સ્થાન તમે જોયું છે કે નહીં?” એમ પૂછતી તેણીને તેણે ફરીથી અનિષ્ટ ઉત્તર આપ્યો. તે બોલી કે-“જે તમે તે સ્થાન પિતે જોયું હોય, તે સારું. અને જે બીજાએ જણાવ્યું હોય, તો અગ્નિવડે પણ મારી શુદ્ધિ નહીં થાય.” આ પ્રમાણે કહીને તરત જ ડાબા હાથમાં સ્થાપન કરેલી કંધરા(ક)વાળી, ચિંતાથી નાશ પામેલા ઉત્સાહવાળી અને નીચા મુખવાળી થઈ. કુમાર તેને હાસ્યની વાર્તાવડે હસાવીને પોતાને ઘેર ગયે. અને રાત્રિએ તે જ પ્રમાણે ફરીથી આવ્યો. તે વખતે સખીએ તેને કહ્યું કે “ પ્રગટ રીતે કાળને અતિક્રમ થયો છે, માટે તે સ્વામિની! તે વિદ્યાધર ક્રોધ કરશે, તે તમે વિચારો.” ત્યારે લાંબો નિશ્વાસ મૂકીને તેણીએ આ પ્રમાણે કહ્યું કે “હે સખી! આ વિષમ કાર્ય છે. મંદ ભાગ્યવાળી હું શું કરું? કેમકે પિતાને ઘેર કુમારીપણે વર્તતી મને તે વિદ્યારે આ પ્રમાણે સોગન આપ્યા છે, કે-“મારી આજ્ઞાથી તારે પતિને સેવ તથા હંમેશાં રાત્રિએ મારી પાસે અવશ્ય આવવું.” પછી મારા પિતાના આગ્રહથી અને અનુરાગ(પ્રીતિ)થી રાજપુત્રને હું પરણું, મને તે અભિમત થયા, અને તેને હું પણ સંમત થઈ. હે સખી! ત્યાં જતી મને કોઈપણ રીતે તેણે જાણું છે. તે વિદ્યાધર પણ તેણે સાક્ષાત જ જે છે, તેથી તે ખેચર મારા પતિને હણશે, અથવા તે ખેચર મને
૧ સુર એટલે સજાથા તેનાવડે કરેલું ભદ્ર, એટલે મુંડન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org