SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૬૨ ] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. એમ વિચારીને વિમાનના એક પ્રદેશમાં ચડીને તે ચાલ્યે. તે વિમાન ઉત્તર દિશા તરફ દૂર જઇને ઊતર્યું. ત્યાં મેાટા સરોવરની પાસે અશેાક વનને વિષે તે કુમારે એક વિદ્યાધરને જોચે. વિમાનના મધ્યથી નીકળીને કુમારની તે પ્રિયા તેને પ્રણામ કરીને તેની સમીપે બેઠી. બીજી પણ ત્રણ સ્ત્રીઓ ત્યાં આવીને તેને પ્રણામ કરીને બેઠી. અને બીજા પણ વિદ્યાધરા ત્યાં આવ્યા. તે વનખંડની ઇશાન દિશામાં મનેાહર, વિશાળ અને નિર્મળ શ્રીમાન યુગાદિ જિનેશ્વરનું મંદિર હતું. સુવર્ણ અને મણિના પગથિયાવાળું અને ઘણા સ્ત ંભાવર્ડ ઊંચું જાણે પૃથ્વી ઉપર રહેલુ દેવાનું વિમાન ાલતું હતું. ક્ષણવાર પછી તે ખેચર વિગેરે જિનાલયમાં ગયા. ત્યાં ખેચરાએ જૈન સ્નાત્રના મહાત્સવ શરૂ કર્યા અને ખેચર રાજાએ કહ્યું કે-“ આજે નૃત્યમાં કાના વારે છે ? ” તે સાંભળી તત્કાળ કનકવતી ઊભી થઈ. પોતાના વસ્ત્રના સંયમ કરી(સકેાચી)ને તથા રંગભૂમિમાં પ્રવેશ કરીને હાવભાવ કરવામાં ચતુર એવી તે શ્રેષ્ઠ નૃત્ય કરવા લાગી. બીજી ત્રણ સ્ત્રીઓમાંથી એક ચતુર સ્ત્રી વીણા વગાડવાનું, બીજી વેણું વગાડવાનું અને ત્રીજી તાલ વગાડવાનું અનુક્રમે કરવા લાગી. અદૃશ્ય રૂપવાળા ગુણધર્મ કુમાર પણ ત્યાં એક ઠેકાણે રહીને વિસ્મય સહિત તે સર્વ સ્વરૂપને જોવા લાગ્યા. તે વખતે નૃત્ય કરતાં કનકવતીનું સૂત્ર ( કંદોરા ) તૂટીને સુવર્ણની ઘુઘરીની માળા પૃથ્વી ઉપર પડી. તરત જ ગુપ્ત રીતે કુમારે તે ગ્રહણ કરી. પછી ર ંગ નૃત્ય)ને છેડે તેણીએ તેની શેાધ કરી પણ પ્રાપ્ત થઇ નહીં. પછી સવે પેાતપેાતાને સ્થાને ગયા. કનકવતી પણ દાસી સહિત પેાતાને આવાસે ગઇ. તે કુમાર પણ તે જ પ્રમાણે તે આવાસમાં ગયા. તેણી પાતાના ઘેર રહી અને તે વિમાન તેણીએ સંયુ કુમાર પણ પેાતાના મંદિરમાં આવીને બાકીની રાત્રિને વિષે સૂતા. પ્રાત:કાલે તે કુમારે મંત્રીના પુત્ર અતિસાગર નામના પેાતાના મિત્રને તે ઘુઘરીની માળા આપી. અને “ કે ભદ્ર ! સમયને વિષે તારે આ માળા મારી પ્રિયાને આપવી. ” એમ શિખામણ આપીને તેની સાથે જ તે તેણીને પાસે ગયા. તેણીએ ઊભી થઈને તેને આસન આપ્યું. તેના ઉપર કુમાર બેઠા અને તેની પાસે તે મિત્ર બેઠા. પછી સારી( સાગઠા )ની ક્રીડા કરતી તેણીએ કુમારને જીત્યા, તેથી “ હે નાથ ! કાંઇક ઘરેણું' (ભૂષણ ) મને આપે. ” એમ કહ્યું. તેણે મિત્રનું મુખ જોયું. તેણે પણ પેાતાના વજ્રમાંથી ખેંચીને તે ઘુઘરીની માળા તેણીને આપી. તે જોઇને તે એલી કે-“ આ મારી ક્ષુદ્રટિકા ( માળા ) તમે કયાં પ્રાપ્ત કરી ? ” ત્યારે કુમાર ખેલ્યેા કે- આ તમારી માળા કયાં પડી હતી ? ત્યારે “ સમ્યક્ પ્રકારે તે સ્થાનને જાગ્રુતી નથી. ” એમ તેણીએ કહ્યું ત્યારે રાજપુત્ર ખેલ્યા કે—“ હે પ્રિયા ! આ મારા મિત્ર માટેા નૈમિત્તિક છે. તારી આ માળાનુ પડવાનું સ્થાન તે જરૂર કહેશે. ” ત્યારે તેણીએ પૂછેલા તે પણ એક્લ્યા કે “ હું કાલે તને કહીશ. ” પછી ઉડીને કુમાર પાતાના મંદિરમાં આવ્યે ફરીથી તે જ પ્રમાણે રાત્રે તેણીની સાથે તે ચૈત્યમાં ગયેા. તે વખતે વીણા વગાડવાનુ કાર્ય કરતી તેણીના પગમાંથી કાઇક રીતે નૂપુર પડી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005224
Book TitleShantinath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitprabhacharya
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy