SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ ષણ પ્રસ્તાવ-કુમારે ક્ષેત્રપાલનું વશ કરી અને મેગીને કરાવેલ વિદ્યાસિદ્ધિ. [ ૧૬૧ ] પછી પૃથ્વીના બે ભાગ થયા, તે છિદ્રવડે પાતાલમાંથી શ્યામ, વિકરાળ અને અતિ ભયંકર એક પુરુષ નીકળે અને બેલ્યો કે-“અરે ! દિવ્ય કાંતાની અભિલાષાવાળા પાપી ! અહીં રહેલા મેઘનાદ નામના ક્ષેત્રપાળને તે શું જાણે નથી ? મારી પૂજા કર્યા વિના તું મંત્રની સિદ્ધિને ઈચ્છે છે? અને આ આર્ય રાજપુત્રને પણ તે છેતર્યો છે.” એમ કહીને તેઓને હણવાની ઇચ્છાવડે તેણે સિંહનાદ કર્યો, ત્યારે ગિના તે ત્રણે શિ પૃથ્વી ઉપર પડ્યા. પછી કુમારે તેને કહ્યું કે “અરે તું વૃથા કેમ ગર્જના કરે છે? જે તારી શક્તિ હોય, તે મારી સાથે યુદ્ધ કર.” એમ કહીને તેને શસ્ત્ર રહિત જેઈને કુમારે પણ તે ખર્કનો ત્યાગ કર્યો. પછી તે બન્ને પ્રચંડ ભુજારૂપી દંડવડે યુદ્ધ કરવા લાગ્યા. પછી યુદ્ધ કરતા તે ક્ષેત્રપાળને બળવાન કુમારે એક ક્ષણ વારમાં વજની જેવા સારવાળા પિતાનાં બાવડે દબાવી દીધું. ત્યારે તુષ્ટમાન થયેલ તે બે કે-“હે સપુરુષ ! તેં મને જીતી લીધે, તેથી કાંઈપણે ઈચ્છિતને માગ કે જેથી હું તને આપું.” ત્યારે કુમારે પિતાના બાહના ગ્રહણથી તેને મુક્ત કરીને આ પ્રમાણે કહ્યું કે-“જો તું સિદ્ધ થયા હોય, તો આ ગીનું ઈચ્છિત કર.” ક્ષેત્રપતિએ કહ્યું કે-“ઈચ્છિત ફળને આપનાર આને સર્વથી ઉત્તમ મંત્ર તારા જ માહામ્યવડે સિદ્ધ થયેલ છે, તેથી તું પિતાનું ઈચ્છિત કહે કે જેથી હું તે પૂર્ણ કરુ; કેમકે હે મહાભાગ્યશાળી! દેવનું દર્શન સફળ હોય છે.” ત્યારે કુમારે કહ્યું કે–“જે એમ હોય, તે તું તે પ્રકારે કર કે જે પ્રકારે તે કનકવતી ભાર્યા મારે વશ થાય.” ત્યારે જ્ઞાનવડે જાણીને તેણે કહ્યું કે- “તે તારે વશ થશે, પરંતુ તે અનઘ ! (પાપ રહિત)! તે કામિત (ઇચ્છિત )રૂપે કરીને ધશે.” આ પ્રમાણે તેને વરદાન આપીને ક્ષેત્રપાળ અદશ્ય થ અને સિદ્ધ મંત્રવાળા તે યોગીશ્વરે કુમારની પ્રશંસા કરી. “હે પરોપકાર કરવામાં તત્પર! ફરીથી તારે મને યાદ કરો.” એમ કહીને તે ચગી શિષ્ય સહિત પોતાને સ્થાને ગયે. કુમાર પણ પોતાના શરીરને પખાળીને પોતાને ઘેર ગયો. ત્યાં તે વીરના વેષને મૂકીને શયામાં સૂતા. બીજા દિવસની રાત્રિને પહેલે પહાર ગયો ત્યારે અદશ્ય રૂપવાળો તે કુમાર પ્રિયાને ઘેર ગયો. ત્યાં બે દાસી સહિત કનકવતીને જોઈ. તેણીએ દાસીઓને આ પ્રમાણે કહ્યું કે-“હે હલા! રાત્રિ કેટલા પ્રમાણવાળી છે?” તેઓએ કહ્યું કે-“હજુ બે પહાર પૂરા થયા નથી. તે સ્વામિની ! હવે ત્યાં જવાનો સમય થયે છે.” ત્યારે સ્નાન કરી, અંગનું વિલેપન કરી તથા વસ્ત્ર અને અલંકારવડે ભૂષિત થઈને તેણીએ તત્કાળ દેવના નિવાસ જેવું વિમાન રચ્યું. જેટલામાં દાસીઓ સહિત તે તેના ઉપર ચડીને ચાલવા લાગી, તેટલામાં તે જોઈને વિરમય પામેલા ગુણધર્મો પણ વિચાર્યું, કે-“અહો! વિદ્યાધરીની જેમ આણે વિમાન શી રીતે કર્યું? તથા રાત્રિને વિષે આના ઉપર ચડીને આ કયાં જશે? અથવા તે આ કલ્પનાવડે શું? અદશ્ય રૂપવાળો થઈને હું પણ આની સાથે જઈને આજે તે જે કરે, તે હું જોઉં.” ૨૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005224
Book TitleShantinath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitprabhacharya
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy