SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૬૦ ] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. ત્યારે તે બોલે કે-“હે ભદ્ર! ભૈરવ નામના આચાર્યો તને બોલાવવા માટે મને એક છે. કાર્યને તે જ કહેશે.” “તે ભૈરવ આચાર્ય ક્યાં છે?” એમ કુમારે કહ્યું (પૂછયું, ત્યારે તેણે “નગરની બહાર અમુક સ્થાને છે.” એમ કહ્યું. “હું પ્રાત:કાળે આવીશ.” એમ તે કુમારે કહેલે તે ગયે. આ અવસરે તેની પાસે કાળ નિવેદન કરનારાએ કહ્યું કે-“આ સૂર્ય પ્રથમ ઉદય પામીને અને પોતાના પ્રતાપને વિસ્તારીને હમણું તેજ રહિત થઈને અસ્ત પામે છે.” ત્યારે સંધ્યાકાળને ઉચિત કાર્ય કરીને તે રાજપુત્રે સુખનિદ્રાવડે રાત્રિ નિર્ગમન કરી. ફરીથી કાળ નિવેદન કરનારે કહ્યું કે-“રાત્રિને હણનાર અને સર્વ પ્રાણીઓને ઉપકાર કરનાર આ સૂર્ય ઉદય પામે છે. બીજે પણ પ્રતાપવાળો એ જ રીતે ઉદય પામે.” ત્યારે ગુણધર્મ ઉઠીને તથા પ્રાત:કાળનું કાર્ય કરીતે પરિવાર સહિત ભૈરવ આચાર્યની પાસે ગયે. વાઘના ચર્મ ઉપર બેઠેલા તેણે કુમારને જોયો. ત્યારે ભક્તિપૂર્વક પૃથ્વી ઉપર મસ્તક લગાવીને તેને વાંધો. ત્યારે સંભ્રમ સહિત તે ગીશ્વરે પિતાનું આસન દેખાડીને “તું પણ અહીં બેસ.” એમ તે કુમારને કહ્યું. વિનીત (નમ્ર) આત્માવાળા કુમારે તેને કહ્યું કે-“હે ભગવન્! ગુરુની સમાન આસન ઉપર મારે બેસવું કદાપિ ગ્ય નથી.” એમ કહીને પોતાના પદાતિના ઉત્તરીય વસ્ત્ર ઉપર બેસીને તેણે આ પ્રમાણે કહ્યું કે-“હે પ્રભુ! તમે પોતે આ નગરમાં આવીને મને કૃતાર્થ કર્યો છે.” ગીએ પણ કહ્યું કે–“તું મારે સર્વ કાળે માન્ય છે, પરંતુ આ હું અકિંચન (ધન રહિત-પરિગ્રહ રહિત) છું, તેથી તારું સ્વાગત શું કરું?” કુમાર પણ બોલ્યો કે-“તમારા જેવાને આશીર્વાદ જ અમારી સ્વાગત ક્રિયા છે.” એમ તેણે કહ્યું ત્યારે ફરીથી બે, કે-“ભક્તિ, પ્રેમ પ્રિય આલાપ(વચન) સન્માન અને વિનય આ સર્વે આ જગતમાં દાન વિના શોભતા નથી.” ફરીથી પણ કુમાર બે કે “સારી દષ્ટિવડે જેવું અને સારી આજ્ઞા આપવી એ તમારું દાન છે.” ત્યારે ગીશ્વર બે કે-“હે ભદ્ર ! મારી પાસે એક શ્રેષ્ઠ મંત્ર છે. તેને આઠ વર્ષ સુધી મેં જાપને પ્રયાસ કર્યો છે. જે એક રાત્રિ તું તેના વિનને પ્રતિઘાત કરે તે મારો આ સર્વ પ્રયાસ સફળ થાય.” તે કુમાર બોલ્યો કે “તે મારે કયે દિવસે કરવું ? તે હે પ્રભુ! તમે કહો.” ત્યારે યોગીએ કહ્યું કે-“કૃષ્ણ ચૌદશને દિવસે રાત્રિને વિષે હે રાજપુત્ર! તારે એકલાએ હાથમાં ખરું રાખીને પ્રેતવનમાં આવવું. ત્યાં હું પિતાવડે થે (ત્રણ પુરુષ સહિત) રહીશ.” ત્યારે “ભલે એમ હો.” એમ કહીને કુમાર પિતાને ઘેર ગયે અને ચૌદશની રાત્રિએ તે ત્યાં ગયો. યોગીએ કુમારને કહ્યું કે અહીં બીક (ઉપદ્રવ) થશે, તેથી તારે મારું અને આ વણ ઉત્તરસાધકનું રક્ષણ કરવું.” કુમાર બોલ્યો કે-“તમે સ્વસ્થ થઈને મંત્રનું સાધન કરો. હું રક્ષક હોવાથી તમને વિન્ન કરવા કોણ સમર્થ છે?” પછી એગીએ ત્યાં મંડપ કરીને તેમાં એક મડદું સ્થાપન કર્યું. પછી મુખમાં અગ્નિ સળગાવીને તેમની વિધિ કરી. તે વખતે જાણે દિશાઓના સમૂહને પૂરી (ભરી) દેતે હાય, જાણે આકાશને ફેડ હેય, અને જગતને બહેરું કરતે હેય તે અતિ માટે નિર્ધાત (અવાજ) થયે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005224
Book TitleShantinath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitprabhacharya
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy