________________
ષષ્ટ પ્રસ્તાવ : પ્રભુની દેશના અને તે ઉપર કહેલ ગુણધર્મની કથા.
[ ૧૫૯]
તેણીને માટે તે રાજાએ સ્વયંવર મંડપ કર્યો. ત્યારે ત્યાં ગુણધર્મ તથા બીજા રાજાઓ આવ્યા. તે ગુણધમ રાજાએ આપેલા ઘરમાં રહીને સ્વયંવરમંડપને જોવા ગયે, અને તે રાજકન્યા પણ ત્યાં આવી. તેણુએ તેને જે તેણે તેણીને પણ જોઈ અને દષ્ટિને નાંખવાવડે પિતાના મનમાં તે અનુરાગવાળી થઈ. આનંદ સહિત દષ્ટિવડે તેને જોતી જોતી તે પોતાને ઘેર ગઈ. કુમાર પણ પરિવાર સહિત પાછો વળીને પિતાના નિવાસમાં ગયો. પછી રાત્રિએ તેણીએ કુમાર પાસે એક ચેટી(દાસી)ને મોકલી. તેણીએ તેને એક ચિત્રની પદ્રિકા(પાટી) આપી. તેમાં આળેખેલી કલહંસીને કુમારે જોઈ, અને તેની નીચે એક
ક દેખ્યો. ત્યારે તે તેણે વાંચે.–“પ્રિયને પ્રથમ જેવાથી આ કલહંસી અનુરાગવાળી થઈ છે, તેથી અહે! ફરીથી તેના દર્શનને તે બિચારી જલદી ઈચ્છે છે.” પછી મહાબુદ્ધિમાન કુમારે તે કલહંસીની પાસે કળહંસને આળેખીને તેની નીચે આ પ્રમાણે લેક લખે –“હે સુભ્ર આ કલહંસ પણ ક્ષણવાર જોઈને અનુરાગવાળો થયે, તેથી અહો! ફરીથી નિરંતર પ્રિયાને જેવાને ઈચછે છે.” પછી કુમારીએ મોકલેલા સારા તાંબલ, વિલેપન અને સુગંધી પુષ્પો તેણીએ કુમારને આપ્યા. કુમારે પણ તે પુ મસ્તક ઉપર બાંધ્યા. તાંબૂલને ખાધું અને વિલેપનને શરીરે લગાવ્યું. તથા તે ચેટીને પારિતોષિક (ભેટ) અને નિર્મળ હાર આપ્યો. ત્યારે તે બોલી કે-“હે કુમાર! તે કન્યાને સંદેશ તમે સાંભળો.” ત્યારે એકાંત કરીને તે સાંભળવા માટે તૈયાર થયા. તે બોલી કે-“ તે રાજકન્યાએ તમને આ પ્રમાણે કહ્યું છે. હું સવારે તમને વરમાળાનું આરોપણ કરીશ, પરંતુ હે પ્રિય! કેટલેક કાળ તમારે વિષયનું સેવન ન કરવું.” ત્યારે તેણે તે અંગીકાર કર્યું. તેણીએ તેને જણાવ્યું. પછી પ્રભાતે તેના કંઠમાં તેણીએ તે વરમાળા નાંખી. પછી તે રાજાએ સર્વ રાજાઓને સન્માન કરીને વિદાય કર્યો અને ગુણધર્મને કન્યાનો હસ્તમેળાપ કરાવ્યું. પછી સસરાની રજા લઈને, તે પ્રિયાને સાથે લઈને તથા પોતાના નગરમાં આવીને તે ડિવાને શ્રેષ્ઠ મકાનમાં રાખી. પછી કેઈક દિવસ તે રાજપુત્ર તેણીની પાસે બેઠો ત્યારે “કાંઈક પ્રહેલિકાને બોલે.” એમ તેણીએ કહેલે તે બ. “હે સુંદરી ! જે સ્થળને વિષે ઉત્પન્ન થઈ, જળને વિષે ઈચ્છા પ્રમાણે જાય છે, અને તે જળવડે પૂરાતી (ડુબતી) નથી, તથા નિરંતર લોકોને તારે છે. તે કેણ છે?” ત્યારે વિચારીને કનકવતી બોલી કે-“તરી (વહાણ-હાડકી) ” પછી તેણીએ કહ્યું (પૂછયું) કે “પધર(સ્તન, જળ અથવા દૂધ)ના ભારવડે વ્યાસ, નાના શરીરવાળી, ગુણ (દેરડા) સહિત, પુરુષના સ્કંધ ઉપર ચડેલી અને લટકતી કેણું જાય છે?” કુમારે કહ્યું કે-“કાવાકૃતિ.” આ પ્રમાણે કળાવતી તેણીની સાથે ક્ષણવાર વિનેદ કરીને ગુણધર્મ કુમાર ફરીથી પિતાના પ્રાસાદમાં આવ્યો. પછી નાન, ભેજન અને વિલેપન કરીને સભામંડપમાં બેઠેલા તેની પાસે પ્રતિહારે જણાવેલ એક પરિવ્રાજક આવ્યો. તે કુમારે આસન આપ્યા છતાં પણ પિતાના કાષ્ઠના આસન ઉપર બેઠેલા તેને તે કુમારે પ્રણામપૂર્વક આવવાનું કારણ પૂછયું.
૧ મયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org