SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૫૮ ]. શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. ઉપર તે પ્રભુના પ્રતિછંદ, તેની પાછળ ભામંડળ અને આગળ જાનુ પ્રમાણવાળી પુષ્પ વૃષ્ટિ દેએ કરી. તે વખતે આકાશતળમાં દેવની દુંદુભિ વાગવા લાગી. પછી અમિ પૂણામાં સાધુ, સાધ્વી અને દેવીઓ બેઠી, નાત ખૂણામાં તિષી, ભુવનપતિ અને વ્યંતરોની દેવીઓ બેઠી, વાયવ્ય ખૂણામાં તે ત્રણ પ્રકારના દે બેઠા. તથા ઇશાન ખૂણામાં વિમાનવાસી દે, મનુષ્યો અને મનુષ્યની સ્ત્રીઓ બેઠી. આ સર્વે મુખ્ય પ્રકારની મધ્યે રહેલા હોય છે. બીજા પ્રકારને વિષે પૂર્વે કહેલા દિશાઓના વિભાગમાં (ખૂણામાં) સર્વે તિર્યંચે છેષનો ત્યાગ કરીને રહે છે. ત્રીજા વપ્રને વિષે સર્વે વાહને રહેલાં હોય છે. આ પ્રમાણે સમવસરણની સ્થિતિ કાંઈક કહી. પછી કલ્યાણ નામના એક પુરુષે આવીને ચકાયુધ રાજાને પ્રભુના કેવળજ્ઞાનની ઉત્પત્તિ જણાવી ત્યારે તે ત્યાં જઈને જિનેશ્વરને વિધિપૂર્વક નમીને તથા સ્તુતિ કરીને સ્થાને સન્મુખ હાથ જોડીને બેઠો. પછી મધુ ક્ષીરાશ્રય લબ્ધિઓ વડે યુક્ત અને અતિશયવડે યુક્ત ભાષાવડે ભગવાને ધર્મદેશના આપી કે-“હે મોટા રાજા ! તે બળવડે લેકને વિષે રહેલા સર્વ શત્રુઓ જીત્યા છે, પરંતુ શરીરને વિષે રહેલા ઇન્દ્રિય નામના શત્રુઓને હજી પણ જીત્યા નથી. તે ઇન્દ્રિય નહીં જીતવાથી શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ નામના આ પાંચ વિષયે મોટો અનર્થ કરનારા થાય છે. શ્રોત્રંદ્રિયને વશ થયેલા હોવાથી કાન પહોળા કરીને શિકારીના ગીત સાંભળીને તત્પર થયેલાં હરણે મૃત્યુ પામે છે. નેત્રને નહીં જીતનાર હોવાથી શલભ (ટીડ) સુવર્ણના આકારવાળી દીવાની ઊછળતી શિખામાં પ્રવેશ કરીને તરત જ મરણ પામે છે. રસના( જિહવા)વડે જીતાયેલું હોવાથી માંસની પેશીના રસના સ્વાદમાં લુબ્ધ થયેલ મત્સ્ય અગાધ જળમાં રહ્યા છતાં પણ કેવર્ત(મચ્છીમાર)ને વશ થાય છે. હાથીના મદને સુંઘવામાં લુબ્ધ થયેલ ભમરો તરત મરણ પામે છે, અથવા ધ્રાણેન્દ્રિયમાં લુબ્ધ થયેલો નાગ (હાથી) દુઃખને સહન કરે છે. તથા હે રાજા ! હાથણીના શરીરને સ્પર્શ કરવામાં લુબ્ધ થયેલ શ્રેષ્ઠ હાથી સ્તંભના અને તીક્ષણ અંકુશના ઘાતને સહન કરે છે. આવા પ્રકારના વિષયને પુરુષો ક્ષણવારમાં જ ત્યાગ કરે છે. જેમ સ્વરૂપે કરીને પ્રિય એવા પણ તે વિષ ગુણધર્મો ત્યાગ કર્યા હતા.” ત્યારે ચક્રાયુધ રાજાએ પૂછેલા શાંતિનાથ જિનેશ્વર તેના પ્રતિબોધને માટે તે કથા કહે છે. આ ભરતક્ષેત્રને વિષે શૈર્યપુર નામના નગરમાં દઢધર્મ એવા નામે પ્રસિદ્ધ અને પરાક્રમી રાજા હતા. તેને યથાર્થ નામવાળી શીલશાલિની પ્રિયા હતી, તેની કુક્ષિથી ઉત્પન્ન થયેલો ગુણધર્મ નામને તેને પુત્ર હતો, કે જે કળાવાળ, ચંદ્રની જેમ લેકના લેચનને આનંદ આપનાર અને કામદેવની જેમ સર્વ સ્ત્રીઓને વલ્લભ હતા, ને સારા ભાગ્યવાળ, સરળ, શૂરવીર, પૂર્વના વૃત્તાંતને કહેનાર, પ્રિયવચન બેલનાર, દઢ મિત્રાઈવાળે, સારા રૂપવાળો અને સર્વગુણવડે યુક્ત હતા. તે વખતે વસંતપુર પત્તનમાં ઇશાનચંદ્ર નામના રાજાને સારા રૂપવાળી કનકવતી નામની પુત્રી હતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005224
Book TitleShantinath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitprabhacharya
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy