________________
ષષ્ટ પ્રસ્તાવ–પરમાત્માની પ્રવજ્યા અને દેવોએ કરેલી સમવસરણની રચના. [ ૧૫૭]
જમણી બાજુએ અનુચરાએ, પાછલા ભાગમાં ગર્લોએ અને ઉત્તર (ડાબી) બાજુએ નાગોએ ઉપાડી. ભગવાનની આગળ નટે નૃત્ય કરવા લાગ્યા, ભાટ ચારણે “હે સ્વામી! તમે જય પામે, જય પામો” એમ ઊંચે સ્વરે બોલવા લાગ્યા. રાસક આપતા (તાળીઓ વગાડતા) મનુષ્ય વિવિધ પ્રકારના છંદ(રાગ)વડે જગદ્દભર્તાના ભુવનને વિષે શ્રેષ્ઠ ઐશ્વર્યાદિક સાગનું વર્ણન કરવા લાગ્યા. તેના અભ્યાસમાં કુશળ મનુષ્ય આટોપ(આડંબર) સહિત ભંભા, મૃદંગ વિગેરે વાજિંત્રને માટે સવારે વગાડવા લાગ્યા. હાહા અને હહ દે સાતે સ્વર સહિત સંમૂઈના, ગ્રામ, લય અને માત્રાવડે વ્યાપ્ત ઉત્તમ ગીત કરવા લાગ્યા. તથા રંભા, તિલેરામા, ઉર્વશી અને સુકેશિકા અપ્સરાઓ પ્રભુની પાસે હાવભાવ અને વિલાસવડે વ્યાપ્ત નૃત્ય કરવા લાગી. આવા પ્રકારની સામગ્રીવડે તે પ્રભુ નગરમાંથી ધીમે ધીમે નીકળીને સહસ્ત્રાપ્રવન નામના શ્રેષ્ઠ ઉદ્યાનને પામ્યા. પછી શિબિકા ઉપરથી નીચે ઉતરીને અને આભારણાને તજીને જિનેશ્વરે પાંચ મુષ્ટિવડે કેશનો લોચ કર્યો. તે કેશને વસ્ત્રના છેડામાં ગ્રહણ કરીને ઇંદ્ર ક્ષીરસાગરમાં નાંખ્યા, અને મૃદંગના નાદ સહિત તુમુલ(ઘંઘાટ)ને નિષેધ કર્યો. જેઠ વદિ ચૌદશના દિવસે ભરણી નક્ષત્રમાં ચંદ્ર રહ્યો હતો ત્યારે પ્રભુએ સિદ્ધને નમસ્કાર કરીને ચારિત્ર ગ્રહણ કર્યું. એક હજાર રાજાઓની સાથે છઠ્ઠ તપ ગ્રહણ કરીને તથા સામાયિક વ્રત ગ્રહણ કરીને તે પ્રભુ પૃથ્વીતળ ઉપર વિચારવા લાગ્યા. પછી કઈક સ્થાને સુમિત્ર નામના ગૃહસ્થ પરમેશ્વરને પરમાન (ખીર) વડે પારણું કરાવ્યું. ચાર જ્ઞાનને ધારણ કરનારા અને મહાસત્વને વિષે શિરોમણી તે સ્વામી ગ્રામ, આકર અને પુરવડે વ્યાપ્ત પૃથ્વી ઉપર વિચારવા લાગ્યા. છદ્મસ્થને કાળે (અવસ્થાએ) આઠ માસ સુધી વિહાર કરીને ફરીથી હસ્તિનાપુરને વિષે તે શ્રેષ્ઠ સહસ્ત્રાપ્રવનમાં આવ્યા. ત્યાં પત્ર અને પુષ્પાદિકવડે આનંદ કરતો નંદ નામનો અતિ વિશાળ વૃક્ષ હતું, તેની નીચે પ્રભુ બેઠા. તે વખતે શ્રેષ્ઠ શુકલધ્યાનમાં વર્તતા અને છઠ્ઠ તપવાળા તે પ્રભુને પોષ શુદિ નમને દિવસે ભરણી નક્ષત્રમાં સૂર્ય હતા ત્યારે ચાર ઘાતિ કર્મને ક્ષય થવાથી અતુલ, નિત્ય અને ઉજવલ કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. તે વખતે આસન ચલાયમાન થવાથી ચારે પ્રકારના દેએ આવીને જિનેશ્વરને માટે મને હર સમવસરણ કર્યું. તેમાં પ્રથમ એક જન પ્રમાણુ પૃથ્વી ઉપર વાયુવડે અશુભ પુદગલ દૂર કર્યા, પછી ગોદકવડે રજને શાંત કરી. પહેલો કપિશીર્ષ (કાંગરા) સહિત મણિને વપ્ર (ગઢ) કર્યો, બીજે સારા રત્નના કપિશીર્ષવાળો સુવર્ણ વપ્ર કર્યો, ત્રીજો સુવર્ણના કપિશીર્ષ વાળે રૂપાને વપ્ર બનાવ્યું. તે વો વિમાનવાસી, જતિષી અને ભુવનવાસી દેવોએ અનુક્રમે કર્યા. તે દરેક વપ્રને તેરણવાળા ચાર ચાર દ્વાર (દરવાજા) કર્યો, તેને મળે સ્વામીના શરીરથી બારગણે અશોક વૃક્ષ કર્યો. તેની તરફ ચાર શ્રેષ્ઠ સિંહાસને, ત્રણ છે અને ચામરો વ્યંતરોએ કર્યા. પછી પૂર્વ ધારવડે પ્રવેશ કરીને તથા તીર્થને નમશકાર કરીને પ્રસન્ન મુખવાળા પ્રભુ પૂર્વના સિંહાસન ઉપર બેઠા, બાકીના ત્રણ સિંહાસને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org