________________
[ ૧૬૬ ]
શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર.
ફળો વડે પ્રાણવૃત્તિ કરીને તે બને ત્યાં એકાંતે લતાગૃહને વિષે રાત્રિએ સૂતા. બેચરે ફરીથી તે બન્નેને ઉપાડીને મોટા સમુદ્રમાં નાંખ્યા. ત્યાં પાટિયાને પામીને કાંઠે આવીને ફરીથી મળ્યા. કુમાર બાલ્યો કે-“અહો! આ વિધાતાના વિલાસો છે. અથવા તે વિષયમાં આસક્ત થયેલા જનને વિપદાઓ દુર્લભ નથી. આ જ વિરાગ્યવડે સમગ્ર પરિગ્રહને ત્યાગ કરીને મમતા રહિત અને મોટા સત્વ( વિર્ય )વાળા સાધુઓ તપ કરે છે.” પછી કનકવતી બોલી કે-“હે નાથ! પુરુષાર્થ છતાં પણ તમે ખેદ કેમ કરે છે? કેમકે હજુ મનુષ્યભવનું ફળ તમે પ્રાપ્ત કર્યું નથી. દીનને ઉદ્ધાર કર્યો નથી, એક છત્રવાળી પૃથ્વી કરી નથી, અને વિષયે ભેગવ્યા નથી. તો હે પ્રિય! કેમ અત્યંત ખેદ પામે છે?” ત્યારે તેણીની વાણીવડે રાત્રે જાગતા તેણે આવેલા તે ખેચરને છે, અને તે મહાત્માએ તેને જીવતે મૂક્યા. પછી કુળપતિની અનુજ્ઞા લઈને તે કેઈક પત્તનમાં ગયો. તેની બહાર ગુણરૂપી રત્નના સમુદ્ર સમાન એક સૂરિને જોયા પ્રિયા સહિત તેણે તેને નમીને મોહરૂપી નિદ્રાને નિવારણ કરનારી અને પુણ્યરૂપી વૃક્ષના બગીચાની નીક સમાન દેશના સાંભળી. પછી સૂરિને નમીને અને અન્ય સ્થળે જઈને વૈરાગ્યવાળા તેણે કહ્યું કે-“હે પ્રિયા ! હમણું આ સદગુરુની પાસે દીક્ષા ગ્રહણ કરીએ.” ત્યારે વિષયને વિષે વૈરાગ્ય નહીં પામેલી તે બોલી કે-“હે કાંત ! હજુ આપણું નવું યોવન વતે છે, તેથી વ્રત કેમ લેવાય?” તે બેલ્યો કે-“વૃદ્ધપણને વિષે પણ કેટલાકને વિષયની ઈચ્છા દેખાય છે, અને યૌવનમાં રહેલા પણ કેટલાકની વિરાગતા દેખાય છે.” ત્યારે–“કાંઈક અતિશય જ્ઞાનીને પૂછીને પિતાનું મરણ જાણીને પછી જેમ ગ્ય હોય તેમ કરશું. ” એમ તે બોલી. ત્યારે તેણીનું વચન અંગીકાર કરીને ગુણધર્મ કાંઈક ભેજન લાવવા માટે નગરમાં પેઠો અને તે ત્યાં જ રહી. તે વખતે ગુણચંદ્ર નામને રાજપુત્ર ત્યાં આવ્યા અને વનમાં રહેલી યૌવન અવસ્થાવાળી તેણીને જોઈને અનુરાગી થયે. તથા બોલ્યા કે-“હે નમ્ર અંગવાળી! તું કેણ છે? કયા કારણથી અહીં એકલી રહી છે? હે બાલા! શું તારો ભર્તા નથી?” ત્યારે તેને અનુરાગવાળે અને પિતાના પતિને વિરાગવાળો જાણીને તે પણ પિતાને વૃત્તાંત કહીને તેને વિષે અનુરાગવાળી થઈ. પ્રાર્થનામાં તત્પર થયેલા તેને તેણીએ કહ્યું કે-“કેઈ પણ રીતે મારા ભર્તાને છેતરીને હું તારે ઘેર આવીશ.” એ પ્રમાણે કહેલ તે પિતાને ઘેર ગયે. હવે ગુણધર્મ તે નગરમાં જુગારની ક્રીડાવડે કાંઈક ધન મેળવ્યું. પછી માંડા કરાવીને અને લઈને તે ઉદ્યાનમાં આવ્યા. પછી પ્રિયાની સાથે ભેજન કર્યું. ચિંતાવડે શૂન્ય ચિત્તવાળી હોવાથી અને પૃથ્વીને ખેતરવાથી ઇગિત(ચા)ને જાણનાર કુમારે તેને અન્ય પુરુષમાં આસક્ત જાણું. પછી ઉઠીને વનને છેડે સાવધાનપણે ભમતા તેને કોઈએ પૂછયું કે-“શું રાજપુત્ર હજુ સુધી અહીં છે?” ત્યારે “આ રાજપુત્ર કેણુ?” એમ ગુણધર્મના પૂછવાથી તે બે કે-“ગુણચંદ્ર નામને રાજપુત્ર અહીં આવ્યો હતો, તે કઈક સ્ત્રીની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org