SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ 08:°+0°°°30 Street Ossq5008-૦૦૦ ષષ્ટ પ્રસ્તાવ. - - .-D હુવે અહીં જ ભરતક્ષેત્રને વિષે યુગાદિ જિનેશ્વરની સ ંતતિવાળા પૂર્વે પુરુ નામના રાજા હતા. તેના નામવડે કુરુ દેશ છે. તેના પુત્ર હસ્તી નામના હતા. તેણે ઘર અને દુકાનની રચનાવડે મનેહર તથા ઊંચા પ્રાકાર( કિલ્લા ) અને દરવાજાવાળુ હસ્તિનાપુર બનાવ્યું. ઘણા સુરિએએ આવાસ કરેલું, ઘણાં મંગળાવડે શે।ભતું અને અપૂર્વ ગગનના આકારવાળું તે નગર ઘણા સૂર( સૂર્ય-શૂરવીર )વાળું હતું. તેમાં શૌર્ય અને ઔદાર્ય વિગેરે સદ્ગુણૢાવડે પૃથ્વીપીઠ ઉપર પ્રસિદ્ધ વિશ્વસેનની જેવા વિશ્વસેન નામે રાજા હતા. તેને પુણ્ય અને લાવણ્યવર્ડ, મનેાહર તથા અલંકારવટે શ્રેષ્ઠ રતિની લક્ષ્મી( Àાભા )વર્ડ ભૂષિત અચિરાદેવી નામની પ્રિયા હતી. આ તરફ ભાદરવા માસની કૃષ્ણપક્ષની સાતમે ભરણી નક્ષત્રમાં ચંદ્ર હતા ત્યારે તથા સર્વ ગ્રહેા ઊંચા સ્થાને રહ્યા હતા ત્યારે રાત્રિને વિષે મેઘરથના જીવ આયુષ્યને ક્ષયે સર્વાર્થસિદ્ધ વિમાનથી ચવીને સરેશવરને વિષે રાજહુંસની જેમ અચિરાદેવીની કુક્ષિમાં અવતર્યું. તે વખતે સુખે સૂતેલી અને કાંઇક જાગૃત અવસ્થામાં રહેલી તે દેવીએ આ ચૌદ મહાસ્વપ્રો જોયાં-હાથી, વૃષભ, કેસરી સિંહ, અભિષેકવાળી લક્ષ્મી, પુષ્પની માળા, ચંદ્ર, સૂર્ય, ધ્વજ, કુંભ, સરોવર, સાગર, વિમાન, રત્નાના સમૂહ અને ધૂમ રહિત અગ્નિ. આ આગમમાં કહેલાં સ્વપ્ના જોયાં. આ સ્વપ્ના જોઈને નિદ્રાના ક્ષયને પામેલી અને હર્ષોંના સમૂહવડે વ્યાસ દેવીએ ક્ષણુવારમાં રાજા પાસે જઈને તે સ્વપ્ના કહ્યાં ત્યારે વિકસ્વર સુખકમળવાળા રાજાએ કહ્યું કે હું દેવી ! સ લક્ષણૢાવડે સંપૂર્ણ તારા પુત્ર થશે. ” પ્રસન્ન મુખવાળી તેણીએ કુસ્વપ્નને જોવાની શંકાથી ધર્માંના ચિ ંતવનવડે શેષ રાત્રિ નિમન કરી. પછી પ્રાત:કાળ થયા ત્યારે રાજાએ પેાતાના પુરુષા પાસે અષ્ટાંગ નિમિત્તના જ્ઞાનમાં પંડિત આઠ ઉપાધ્યાયેાને મેલાવ્યા. તેએ મંગળ ઉપચાર કરીને રાજાને ઘેર આવ્યા. ત્યાં આપેલા આસના ઉપર બેઠા અને રાજાએ તેમની પુષ્પાદિકવડે પૂજા કરી. રાજાએ સારા સ્વપ્નાનુ ફળ પૂછ્યું ત્યારે તે આ પ્રમાણે ખેલ્યા કે હું પૃથ્વીપતિ ! અમારા શાસ્ત્રમાં ખેતાળીશ સ્વપ્ન છે. તથા ત્રીશ મહાસ્વપ્ના પણ કહ્યાં છે. તે સ મળીને અહેાંતેર સ્વપ્ના છે. તેમાં અચિરાદેવીએ જે સ્વપ્ના જોયાં, તે પ્રગટ રીતે મહાસ્વપ્ના જ છે. આ સ્વપ્નાને અરિહંતની અને ચક્રવતીની માતાએ જીએ છે. અર્ધચક્રી( વાસુદેવ )ની માતા સાત સ્વપ્ન જુએ છે, તથા મળદેવની માતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005224
Book TitleShantinath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitprabhacharya
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy