________________
[ ૧૫૨ ]
શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર.
ચાર સ્વપ્ન જુએ છે. પ્રત્યચકી( પ્રતિવાસુદેવ )ની માતા ત્રણ સ્વપ્ન જુએ છે અને બીજા ઉત્તમ પુરુષોની માતા આ સ્વપ્નમાંથી એક એક સ્વપ્ન જુએ છે. અચિરાદેવીએ જેથી ચોદ મહાસ્વપ્નો જોયાં, તેથી હે રાજા ! તમારો પુત્ર છ ખંડ ભારતક્ષેત્રને અધિપતિ (રાજા ) થશે. અથવા તે ત્રણ જગતવડે વંદાયેલા જિનેશ્વર પણ થશે.” તે સાંભળીને રાજા હર્ષ પામે અને તેની પ્રિયા પણ હર્ષ પામી. પછી રાજાએ રજા આપેલા તે સ્વખપાઠકે પિતાને ઘેર ગયા અને પૃથ્વી જેમ નિધાનને ધારણ કરે, તેમ રાણીએ ગર્ભ ધારણ કર્યો. પછી તેણીએ અતિ સનેહવાળા, અતિ મધુર, અતિ ખારા, અતિ તીખા, અતિ કષાય (ખાટા) અને અતિ કડવા આહારને ત્યાગ કર્યો. તે વખતે તે નગરમાં પહેલાં મોટું અસિવ(અકલ્યાણ) હતું, તેથી માંદગી (મરકી)ના દેષવડે લોકોનો મોટે પ્રલય ( નાશ ) થયે હતે. તે અશિવ ગંધહસ્તીના ગંધવડે અન્ય હસ્તીના મદની જેમ ક્ષણવારમાં જ ગર્ભમાં રહેલા પ્રભુના પ્રભાવથી શાંત થયું (નાશ પામ્યો. ત્યારપછી પિતા માતાએ પોતાના હૃદયમાં આ પ્રમાણે વિચાર્યું કે-“ગર્ભમાં રહેલા આપણું અલૌકિક પુત્રનો આ પ્રભાવ છે. આ વાત યોગ્ય છે, કેમકે ગર્ભવાસને દિવસે જ દેત્રોએ આવીને આપણે સાથે તેને વંદન કર્યું છે.” પછી નવ માસ અને સાડાસાત દિવસ ગયા ત્યારે, જેઠ માસની કૃષ્ણ તેરશે, ભરણે નક્ષત્રમાં ચંદ્ર રહ્યો હતે ત્યારે, સૂર્યાદિક રહે ઉચ્ચ અને અતિ ઉચ્ચ સ્થાને રહ્યા હતા ત્યારે, શુભ લગ્ન અને શુભ મુહૂર્તને વિષે અને મનહર વાયુ વાતો હતો ત્યારે મધ્ય રાત્રિને સમયે સુવર્ણની જેવા વર્ણવાળા, સારી કાંતિવાળા અને ત્રણે જગતને સુખ કરનારા પુત્રને દેવીએ જન્મ આપે. આ અવસરે છપન દિકુમારીઓ અવધિ જ્ઞાનથી જિનેશ્વરનો જન્મ જાણીને ત્યાં આવી. અલકમાંથી ગજદંત પર્વતના કંદથકી આઠ દિકકુમારીઓ આવી, મેરૂ પર્વતમાં રહેલા નંદન વનના કૂટથી આઠ આવી, દરેક રૂચક દ્વીપથી આઠ આઠ કુમારીઓ ચાર દિશાઓમાંથી આવી, અને વિદિશાઓમાં રહેલી ચાર આવી. મધ્યના રૂચક દ્વીપથી ચાર દિકુમારીઓ આવી. આ પ્રમાણે સર્વ મળેલી તે છપ્પન થાય છે. સંવર્ત વાયુ અને મેઘનું કાર્ય, દર્પણ ધારણ કરવું, ભંગાર (ઝારી), તાલવૃત (પ), અને ચામરને ધારણ કરવું, દીવી ધારણ કરવી અને રક્ષા (રાખ) કરવી વિગેરે જિનેશ્વરના સૂતિકર્મ આ પ્રમાણે અનુક્રમે તે કુમારીઓએ કર્યા. આ અવસરે દેવેંદ્રનું અચળ (સ્થિર) આસન ચલાયમાન થયું. તે વખતે અવધિજ્ઞાનનો પ્રયોગ કરીને તેણે જિનેશ્વરનો જન્મ જાણો. ત્યારે તેણે હરિનગમેષી નામના દેવને આજ્ઞા આપીને ઘંટાને વગાડવાપૂર્વક તે વાત દેવોને જણાવી. ત્યારે તે સર્વે દે તૈયાર થઈને ઈંદ્રની પાસે આવ્યા. તે ઇ પાલક પાસે શ્રેષ્ઠ વિમાન કરાવ્યું. તેના ઉપર પરિવાર સહિત ચડીને અલંકારવડે શોભતે અને અનુપમ ભાવાળો તે ઇદ્ર જિનેશ્વરના જન્મગૃહને વિષે આ.-“જગતને નાથવાળા કરનારા! કૃપારસના સમુદ્ર! અને શ્રી વિશ્વસેનના પુત્ર! હે નાથ! તીર્થકર ! તમને નમસ્કાર છે. કુક્ષિમાં રત્નને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org