________________
પાંચમે પ્રસ્તાવ વત્સરાજને પૂર્વભવ છેવટ એક્ષપ્રાપ્તિ અને પ્રભુના દશમા અગ્યારમા ભવેનું વર્ણન. [૧૪]
થયેલે તેને પરિવાર જન પણ તેની પાછળ (સાથે) ગયે નહીં. વત્સરાજને બળવાન માનીને તથા પોતાના પરિવાર જનોને તેવા પ્રકારના (વિરક્ત) માનીને તે રાજા નાશીને કેઈક ઠેકાણે જતો રહ્યો, કેમકે “ અન્યાયને વિષે મનુષ્યોને વિજય થાય નહીં.” પછી હર્ષ પામેલા તે લેકે એ મહત્સવપૂર્વક વત્સરાજ રાજાને નગરમાં પ્રવેશ કરાવ્યું. આ પ્રમાણે અને રાજ્યના સ્વામીપણાને પાળતા તેને એક દિવસ ઉદ્યાનપાળે નમસ્કારપૂર્વક વિનંતિ કરી, કે-“હે સ્વામી ! હું તમને પ્રીતિ( હર્ષ)વડે વધામણી આપું છું, કે-આજે તમારા નગરમાં ચાર જ્ઞાનને ધારણ કરનારા સૂરિ આવીને સમવસર્યા છે (રહ્યા છે).” ત્યારે તે રાજા ત્યાં જઈને, તે મુનીશ્વરને નમીને તથા યોગ્ય સ્થાને બેસીને ગુરુના મુખથી નીકળેલા દેશનારૂપી જળને પીવા લાગ્યા. ગુરુએ કહેલું સાધુ અને શ્રાવકનો ધર્મ સાંભળીને તથા શ્રાવક ધર્મ અંગીકાર કરીને તે ફરીથી પિતાને ઘેર આવ્યા. તે સૂરિ
ત્યાં માસક૯૫ કરીને બીજે સ્થાને ગયા. વત્સરાજે પણ અનેક જિન કરાવ્યાં. તેમાં જિનેશ્વરની પ્રતિમાઓ સ્થાપન કરી, અષ્ટાલિક ઉત્સવ કર્યો, તથા બીજું પણ ગુહીધર્મને
ગ્ય કાર્ય કર્યું. એક દિવસ ફરીથી પણ તે આચાર્ય ત્યાં આવ્યા અને તે રાજાએ ત્યાં જઈને તેમના બે ચરણને વાંદ્યા. અને એક દિવસ પૂછ્યું કે-“મેં પૂર્વભવે શું કર્યું હતું ? કે જેથી મને જલદીથી પ્રાપ્ત થએલી વિપદા સંપદારૂપ થઈ?” તે બોલ્યા કે-“હે રાજા ! તું સાંભળ, આ જંબદ્વીપના ભરતક્ષેત્રને વિષે વસંતપુર નામના નગરમાં તું શુર નામે રાજા હતા. તે સ્વભાવથી જ શૂરવીર, સરળ આત્માવાળો, સમર્થ, દાક્ષિણ્ય સહિત, નિર્લોભ અને દેવ તથા ગુરુની પૂજામાં રાગી, દીનાદિકને ધન આપનાર, પ્રજાને પાલન કરવામાં તત્પર, ચાર પ્રકારની નીતિવડે યુક્ત, ન્યાયવાળો અને દેષ રહિત હતું. આ પ્રકારના ગુવડે યુક્ત, શીળવડે વિશેષ કરીને શેભિત અને દાનને વિષે અતિ આસક્ત તે રાજા પૃથ્વીનું પાલન કરતો હતો. તેને વિદ્યાધરના કુળમાં ઉત્પન્ન થયેલી શૂરવેગા નામની સમગ્ર અંત:પુરની સ્ત્રીઓને વિષે અગ્રેસર (મુખ્ય) પ્રિયા હતી. તથા બીજી રત્નલા નામની રાજકન્યાને તે પરણ્યો. તેને વિષે આસક્ત ચિત્તવાળા તેણે બીજી પ્રિયાઓનો ત્યાગ કર્યો. આની પછીનું સર્વ વૃત્તાંત તને દેવતાએ કહ્યું છે, કે જેણએ તને ગંધવાહગતિની બે પુત્રી પરણાવી છે. હે મહાભાગ્યવાન! તે મરીને તું રાજપુત્ર થયો છે. અને દાનાદિક ધર્મના માહાસ્યથી ભેગ અને સંપત્તિ યુક્ત થયેલ છે. તથા ઐશ્વર્યને લીધે જે કાંઈ અંતરાય કર્મ કર્યું હતું, તેથી પૂર્વ વયમાં રાજયથી વંશ વિગેરે દુઃખ તને થયું છે.” આ પ્રમાણે સાંભળીને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થવાથી વિશેષ પુણ્યના લાભનો અથી તે રાજા દીક્ષા લેવામાં ઉત્સુક થયો. પછી શ્રીશેખર નામના પિતાના પુત્રને રાજ્ય ઉપર સ્થાપન કરી ચારે ભાર્યાઓ સહિત તે મહાવ્રતી થા. પછી ચિરકાળ સુધી દીક્ષાને પાળીને, વિવિધ પ્રકારનું તપ કરીને તથા છેવટ સમાધિવડે મરીને તે દેવલોકમાં ગયે. તે દેવકથી ચવીને, મનુષ્યજન્મ પામીને તથા સર્વ કર્મને ખપાવીને તે મુક્તિ સુખને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org