________________
[ ૧૪૮].
શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર.
ભૂષણ લાગેલું છે, તે શ્રેષ્ઠ ભૂષણ તેણે આપ્યું છે. તમારા વિશ્વાસને માટે તેણે આ દ્વારપાળને મોકલે છે.” ત્યારે રાજાએ પણ તેને અનિમેષ નેત્રવાળે જોઈને તે વાત સત્ય માની. વ્યંતરેંદ્ર પણ આ પ્રમાણે છે કે “યમરાજાએ મારી પાસે કહેવરાવ્યું છે કે-હે રાજા ! તમારે મારી પાસે હંમેશાં પિતાના માણસે મેકલવા, અને તે રાજા ! ઇંદ્રના આદેશથી અમારું અહીં આવવું થતું નથી, તેથી હે મિત્ર ! તારે પણ કે પ્રકારે મને મળવા માટે આવવું.” આ પ્રમાણે તેણે કહ્યું ત્યારે તે રાજકો ત્યાં જવાને ઉત્સુક થયા. તેમને પ્રતીહારે કહ્યું કે “મારી સાથે આવો” ત્યારે રાજ વિગેરે તેઓ યમરાજના ગૃહની પાસે ગયા. તેઓ દેખતા છતાં પ્રથમ તેમાં પ્રતિહાર પેઠો. તેની પાછળ રાજાએ આદેશ કરેલા ચાર મંત્રીઓ પેઠા. દેવતાથી મોહ પામેલા તેઓ તત્કાળ ભસ્મરૂપ થયા. પછી તેમાં રાજા પણ ઝંપા (પ્રવેશ) દેવાને તૈયાર થયે ત્યારે તેને હાથમાં પકડીને વત્સરાજ કુમારે નિષેધ કર્યો. અને કહ્યું કે-“હે રાજા ! જગતમાં આ પ્રસિદ્ધ જ છે કે–અગ્નિમાં પડેલે માણસ તત્કાળ મરે છે. હે રાજા ! હું તે દેવતાના પ્રભાવથી જીવ્યો છું, તેણે જ મોહ પમાડીને આ મારા શત્રુઓ હણ્યા છે, કેમકે મને મારવાનો ઉપાય તેઓએ તમને જણાવ્યો હતો તેથી મેં તેઓને હણ્યા છે. કેમકે કરે. લાને પ્રતિકાર (બદલે) કરવો જોઈએ.” તેની ભક્તિ અને શક્તિ વડે પ્રસન્ન થયેલ રાજા પિતાને આરંભ નિષ્ફળ થવાથી કાંઈક લાંછન પામતે પિતાને ઘેર ગયે. અને વિચાર કર્યો કે-આની ભાર્યા સાથે રમવાની ઈચ્છાથી મેં ઘણું પાપ ઉપાર્જન કર્યું, અને લેકને વિષે આત્માને લઘુ (હલકે) કર્યો.” આ પ્રમાણે વિચારીને પિતાની સુંદરી કન્યા તેને આપીને (પરણાવીને ) તથા લોકોની સંમતિવડે રાજ્ય પણ આપીને તે તાપસી થ. પછી પુણ્યવાન અને દઢ વિક્રમવાળા વીરસેન રાજાને પુત્ર (વત્સરાજ ) ઘણા દેશને સાધીને મોટા રાજાની પદવીને પાપે. પછી એક દિવસ એક પુરુષે રાજાને પ્રણામ કરીને લેખ (પત્ર) આપવાપૂર્વક આ પ્રમાણે વિનંતિ કરી કે-“હે દેવ ! હું ક્ષિતિપ્રતિષ્ઠિત નગરથી અહીં આવ્યો છું. તેના લેકેએ તમારી વિનંતિનો આ લેખ મોકલ્યો છે.” રાજાએ તે લેખ પિતાના પરિગ્રહિક(છડીદારોને અપાવ્યું. તેણે પણ તે લેખને ઉઘાડીને રાજાની પાસે આ પ્રમાણે વાંચે,–“સ્વસ્તિશ્રી ઉજજયિનીપુરીમાં વત્સરાજ રાજાને નમીને ક્ષિતિપ્રતિષ્ઠિત નગરના લેકે આ પ્રમાણે વિનંતિ કરે છે, કેજેમ ગ્રીષ્મ ઋતુથી પીડા પામેલ પ્રાણ મેઘનું સ્મરણ કરે, અને શીતથી પીડાયેલો અગ્નિનું સ્મરણ કરે, તેમ દેવરાજથી પીડા પામેલ અમે તમારું સ્મરણ કરીએ છીએ, તેથી શીધ્રપણે આવીને તમે અમારું સ્વામીપણું કરે, નહીં તો ન્યાયમાં તત્પર બીજા સ્વામીને અમે આશ્રય કરશું.” તે સાંભળીને સર્વ સામગ્રી (સન્યાદિક) સહિત વત્સરાજ રાજાએ ત્યાં જઈને દેવરાજ રાજાની પાસે પિતાના દૂતને મોકલ્યા. તેને આવેલ જાણીને તે પણ બખ્તર પહેરીને નગરમાંથી બહાર નીકળ્યો, પરંતુ વિરક્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org