________________
પાંચમો પ્રસ્તાવ: વત્સરાજની પ્રિવાઓએ કુશળતાથી દૂર કરેલ સંકટ.
[ ૧૪૭ ]
પૃથ્વીતળને વિષે આને કાંઈ પણ અસાધ્ય નથી.” પછી તેને ઘેર જવાની રજા આપીને તે રાજાએ મંત્રીઓ સાથે વિચાર કર્યો કે-“આને મારવાને બીજે કઈ પણ ઉપાય વિચાર.” ત્યારે ચાર મંત્રીઓએ વિચાર કરીને રાજાને કહ્યું કે-“હે દેવ! સુંદરી કન્યાના વિવાહના મિષથી દક્ષિણ દિશામાં આગળ યમરાજનું ઘર કરાવીને હરિને નિમંત્રણ કરવા માટે તેમાં વત્સરાજને પ્રવેશ કરાવો.” ત્યારે “સારુ, સારું.” એમ કહીને રાજાએ તેમની પ્રશંસા કરી, અને તેઓએ દક્ષિણ દિશાના પ્રદેશમાં ઇંધણાથી પૂરેલો ખાડે કરાવ્યું. તેમાં અગ્નિ સળગાવીને તેઓએ રાજાને જણાવ્યું. રાજાએ પણ યમરાજને નિમંત્રણ કરવા ભટને આજ્ઞા આપી. તે કાર્ય બીજાઓ વડે થઈ શક્યું નહીં ત્યારે રાજાએ વત્સરાજને આદેશ આપ્યો. તેણે પણ તે અંગીકાર કર્યો. ત્યારે રાજાના અનેહને અને કૃતઘપણને દેખાડતી તે ભાયઓવડે કહેવાયેલે પણ તે, તે કાર્યથી વિરામ પામ્યો નહીં. પછી પતિને ઘરમાં ગોપવીને તેના રૂપવાળા તે યક્ષ કિંકરને તેઓએ આદેશ આપે, તે પણ રાજા પાસે ગયે. ત્યારે “એક મહિને તું અહીં આવજે.” એમ રાજાએ આદેશ કરેલો તે તેના જોતાં જ અગ્નિમાં પેઠે “વત્સરાજ અગ્નિમાં પેઠે” એમ બોલતો સમગ્ર નગરીને લેક જાણે તેની સ્પર્ધાવડે જ હોય તેમ તીવ્ર શોકરૂપી અગ્નિમાં પેઠે. અને તે બોયે કે-“અહો ! આ રાજા નિર્દય મનવાળો કેવો છે? કે જેણે અનેક ગુણેના સ્થાનરૂપ આ કુમારને મારી નાખે.” સમગ્ર જન કુમારના શેકરૂપી નિદ્રામાં સૂતો ત્યારે રાત્રિને વિષે કોશિક(ઘુડ)ની જેમ રાજા હર્ષિત થશે. પછી તેણે મંત્રીઓને કહ્યું કે-“હે. મંત્રીઓ ! તેની પત્નીઓને અહીં લાવ” તેઓ બોલ્યા કે “રાજા! તમારે વિષે તેઓ પહેલેથી જ વિરક્ત છે, અને તેમ કરવાથી તમારે વિષે વિશેષ કરીને વિરાગ પામશે, કેમકે માણસના અનુરાગ વિના સંપદા પણ પ્રાપ્ત થતી નથી. તેથી હે રાજ! એક મહિના સુધી તમે પણ રાહ જુઓ. ઉતાવળા માણસને ઉંબરાના ફળ પણ પાકતા નથી.” પછી એક માસ ગમે ત્યારે રાજાએ ફરીથી ચતુર વચનવાળા ચાર મંત્રીઓને કુમારની પ્રિયાએ લાવવાનો આદેશ કર્યો. હવે અહીં બે પત્નીઓએ યક્ષને મોકલીને દેવ થયેલા પિતાના પિતા વ્યંતરેંદ્રને પાતાળમાંથી બોલા, પછી તેના આમરણના સમૂહવડે પિતાના પતિને શણગાર્યો, અને અશ્વ ઉપર બેસાડ્યો. અને અનુસરતા તે વ્યંતરેંદ્રની સાથે રાજા પાસે તેને મોકલ્યો. તેને જોઈને રાજાએ વિચાર્યું કે “આ સુભાષિતને આ વીર પુરુષે અસત્ય કર્યું. ફરીથી દિવસ થાય છે અને ફરીથી રાત્રિ થાય છે. ફરીથી સૂર્ય ઊગે છે અને ફરીથી ચંદ્ર ઉગે છે. સર્વ ફરી ફરીથી થાય છે, પણ મરેલો કઈ પણ પાછા આવતું નથી.” પછી રાજાએ પૂછયું કે-“હે વત્સ ! શું યમરાજ કુશળ છે?” તે બે કે-“હે દેવ! તમારો મિત્ર કરાળ કુશળ છે. તેણે મને આ પ્રમાણે પૂછયું કે-“હે વત્સરાજ! :મિત્રાઈમાં વર્તતા પણ મને તારા સ્વામીએ ઘણે કાળે સંભાર્યો! પછી હે પ્રભુ! મને તમારા ભૃત્યને પણ તેને ભક્તિ વડે ગોરવ (સન્માન) કર્યું. મારા શરીરે જે આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org