SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચમા પ્રસ્તાવ–વત્સરાજના સાહસભર્યા પરાક્રમા. [ ૧૪૫ ] રસેાઈ પીરસી. સારા સ્નિગ્ધ ( સ્નેહવાળા ) અતિ મધુર સ્વાદવાળા સિહકેસર માદક, મંડિકા ( માંડા ), માદ્યક ( ખાજા ) અને બીજા પકવાન્ન પીરસ્યાં. સર્વ રસાઈમાં પ્રથમ, તાજું તપાવેલુ, સારા ગંધવડે યુક્ત, ભાજનની વિધિનું સારભૂત અને ઘણું ઘી તેમાં નાખ્યું. લાપશી, ઘેખર, ગારસ ( માખણુ ) અને વ્યંજન (શાક, અથાણુ) વિગેરે અતિ મનેાહર સમગ્ર રસવતી તેમાં વાપરી (નાંખી–પીરસી ). પછી રાજા જમતા હતા ત્યારે વત્સરાજે વિચાર્યું કે આ સમગ્ર પશુ ઉત્સવ પત્ની વિના શૈાભતા નથી, ” એમ વિચારીને તેણે પેાતાની પ્રિયાને એમ કહ્યું કે—“ હું અનઘા (પાપરહિત)! તમે પ્રગટ થઇને રાજાનું ગૌરવ કરો. ” “ અમને વત્સરાજ રાજાને દેખાડે છે, તે આ પુત્રને હિતકારક નથી. ” એમ પરસ્પર ખેલતી તેઓએ તેનેા આદેશ અંગીકાર કર્યાં. રત્નસૂલા, સ્વ ચૂલા અને શ્રીદત્તાનું મનેાહર રૂપ જોઇને રાજા કામને વશ થયેા. બાદ તેણે વિચાર્યું કે- આ ધન્ય જ છે, કે જેને ત્રણ જગતની પણ સ્રીએાની જાણે વાનકી હાય તેવી આ ઉત્તમ પ્રિયાએ છે. ” ભાજન કર્યા પછી સારા તાંબૂલ અને વજ્રાદિકવર્ડ પૂજન કરેલ રાજા પરિવાર સહિત પેાતાને ઘેર ગયા. ત્યાં પણ તેઓના સંગમની લાલસા( ઇચ્છા )વાળા તે રતિ( પ્રીતિ )ને પામ્યા નહી. ત્યારે તેણે મંત્રીમડળને પેાતાના કાર્યને સાધવાના ઉપાય પૂછ્યા. મત્રીઓએ પણ વિચારીને રાજાને આ પ્રમાણે કહ્યું કે—“ હે રાજા ! વત્સરાજના જીવતા આ કાર્ય સિદ્ધ નહીં થાય, તેથી હું દેવ! કાઈ પણ ઉપાયવડે આ વત્સરાજને હણીએ. ” તે રાજા એલ્યે કે-“એમ કરીને પણ મારું વાંછિત કરવા લાયક છે.” પછી એક દિવસ તેને મારવા માટે મત્રીઓએ મેાટા રાજાની સભામાં સિંડુરાજાને સ્થાને સ્થાપન કર્યાં ( એસાડ્યો). પછી જેટલામાં ભય રહિત તે કુમાર સભામાંથી બહાર નીકળતા હતા, તેટલામાં નાકરેએ સિહરાને આ પ્રમાણે કહ્યુ કે “આને મારી નાંખ. ” સિંહદ્વારથી નીકળતા તે કુમારને સિંહે પણ કહ્યું કે—“ અતિ ધૃષ્ટ ( ગીષ્ઠ )! મારા આસન ઉપર તુ કેમ એઠા ? ” પછી તે યુદ્ધ કરવા પ્રાપ્ત થયા, ત્યારે માટા મળવાળા કુમારે તેને પેાતાના મસ્તક ઉપર ચાતરફ ભમાડીને દૂર ફેંકી દીધેા. વત્સરાજના મરણને ઇચ્છયુ હતુ. તેને બદલે તે મરણ સિ ંહતું જ થયું. આ જગતમાં જે બીજાનું ચિંતવાય છે, તે અવશ્ય પેાતાને ઘેર આવી પડે છે. તે સિંહ સહસા (એકદમ ) જ હણાયાથી હણાયેલી શક્તિવાળું તેનું સૈન્ય રાજાને શરણે ગયુ, કેમકે મરણથી કાણુ ભય ન પામે? પછી ઘેર આવેલા તે વત્સરાજને વિદ્યાધરી એ પ્રિયાએ કહ્યું કે હે નાથ ! અમારી વિદ્યાના પ્રભાવથી તમે સિદ્ધરાજાને હણ્યો છે. હું આર્યપુત્ર ! ઘેર આવેલા રાજાને તમે અમને દેખાડી, તેથી રાજાએ આ અનર્થ કર્યો છે, અને બીજો પણ અનર્થ તે કરશે.” પછી કાઇક દિવસ મંત્રીઓની સાથે વિચાર કરીને રાજાએ દ્ધ વાઘણુના દૂધવડે અમારે કાંઇક કામ છે. ” એમ વત્સરાજને કહ્યું. તથા વળી “તું મારા મિત્ર હાવાથી મારે કાંઇ પણ દુર્લભ નથી, કેમકે મહા "" 6 ૧૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005224
Book TitleShantinath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitprabhacharya
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy