SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૪૪ ] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. જ્યાં તું ભમ્યો?એમ વિસ્મય સહિત રાજાએ વત્સરાજને પૂછયું, ત્યારે પર્યક અને અશ્વની પ્રાપ્તિ સિવાય પિતાની વાત રાજાને તેણે નિવેદન કરી, અને વસ્ત્ર દેવતાએ આપ્યું એમ કહ્યું. પછી એક દિવસ તે કમલશ્રી પરલોકમાં ગઈ. તેના વિયેગથી તે રાજા મોટા શેકવડે વ્યાકુળ થયો. ત્યારે વત્સરાજે કહ્યું કે-“હે રાજા ! સમગ્ર અનિત્ય વસ્તુવાળા આ સંસારમાં વિવેકી મનુષ્યને કયાંઈ પણ શોક કરવો એગ્ય નથી. સર્વજ્ઞરૂપી વૈદ્ય કહેલું અને કેઝની શુદ્ધિને કરનારું શેકના આવેશરૂપી રેગની શાંતિ માટે ડાહ્યા પુરુએ ધર્મરૂપી ઔષધ કરવું.” ઈત્યાદિ અમૃતની જેવા તેના વચનવડે અભિષેક કરાયેલો તે રાજા સારી કાંતિવાળો, સારા મનવાળો અને શેક રહિત થયે. પછી એક દિવસ વત્સરાજે પિતાની પ્રિયાઓ સાથે વિચાર કર્યો કે “જો તેમને ઠીક લાગે, તે આજે હું આપણે ઘેર રાજાને ભેજન કરાવું.” તેઓએ કહ્યું કે-“રાજાને ઘેર લાવવા તે તમને ગ્ય નથી. હે પ્રિય! જે તમારે દેવાની ઈચ્છા હોય, તો ત્યાં જ તેને તે આપ.” તે બોલ્યો-“હે પ્રિયાઓ! એમ કરવાથી ગૌરવ નહીં થાય. જે રાજાને અહીં લાવીએ, તે મને નિવૃતિ (શાંતિ) થાય.” ફરીથી તેઓ બોલી કે “જે આ તમારે નિશ્ચય હોય, તે ભલે, રાજાને અહીં લાવે, પરંતુ અમને દેખાડવી નહીં.” ત્યારપછી તેણે જઈને રાજાને પરિવાર સહિત ભેજનને માટે નિમંત્રણ આપ્યું. રાજાએ પણ તેના આગ્રહથી તે માન્યું. રાજાને નિમંત્રણ કરીને વત્સરાજ પિતાને ઘેર આવ્યો. ત્યાં ઉપરની ભૂમિ (માળ) ઉપર પ્રિયા સાથે ક્રીડા કરવા લાગ્યો. “તેને ઘેર કેટલો રસોઈને પાક થાય છે?” તે જાણવા માટે રાજાએ પ્રતીહારને ત્યાં મેક. પ્રતીહારે પણ તેને ઘેર જઈને જેટલામાં જોયું, તેટલામાં ત્યાં કાંઈપણ રસોઈનો પાક જે નહીં. તેણે આવીને રાજાને તે વાત કહી. ત્યારે રાજાએ તે જોવા માટે બીજા માણસને મોકલ્યો. ધાન્યનો પાક વિગેરે સામગ્રીને તેના ઘરમાં અથવા બીજાના ઘરમાં નહીં જોઈને તેણે પણ રાજાને સર્વ કહ્યું. પછી જનને સમયે વત્સરાજે આવીને રાજાને ભેજન માટે બોલાવ્યા. રાજા પણ આ પ્રમાણે બે, કે-“જે કારણથી સામગ્રી વિના પણ તું અમને તારે ઘેર બોલાવે છે, તે શું અમે તારી હાંસીનું સ્થાન છીએ?વત્સરાજ બે કે-“હે દેવ ! સર્વ પ્રકારે તમે મારા પૂજ્ય જ છે, તે હે સ્વામી! ઉપહાસ( હાંસી)નું સ્થાન એમ આદેશ કેમ આપો છે? હે રાજા! રસોઈ છે કે નથી? તેનો તમારે શી ચિંતા છે? હે પ્રભુ! મારે વિષે પણ શું તમે અસંભાવનાનો વિચાર કરે છે?” તેના વચનથી ઉત્સાહ પામેલે રાજા પોતાના પરિવાર સહિત તેને ઘેર ગયે. ત્યાં એક મંડપ છે. તે જોઈને તેણે એમ વિચાર્યું કે “આનું વૃત્તાંત (આચરણ) અલોકિક છે, કે જેણે આ મનહર મંડપ હમણાં જ બનાવ્યા છે. તે પછી ત્યાં યોગ્યતા પ્રમાણે નાખેલા અને તે વત્સરાજે જ દેખાડેલા સુંદર આસને ઉપર રાજા વિગેરે બેઠા. તરતજ વત્સરાજના મનુષ્યએ તેઓની પાસે સુવર્ણ, રૂપા અને રત્નમય મોટા થાળે મૂક્યા. તે વખતે જાણે કલ્પવૃક્ષે જ આપી હોય તેવી દિવ્ય અને મનહર સારી શાળનું ભક્ત વિગેરે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005224
Book TitleShantinath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitprabhacharya
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy