________________
પાંચમે પ્રસ્તાવ ઃ વત્સરાજને પ્રાપ્ત થયેલ એ સ્ત્રીએ અને પેાતાના ધેર આવવુ. [ ૧૪૩ ]
તેથી હું રાજા ! તે દેવીને તારી બે પુત્રીઓ સાંપ. તેની પાસે રહેલી તે બન્નેને ભર્તા પાતે જ ત્યાં આવશે. દેવતાવડે કરાતા તે પુરુષાના ક્ષયને નિવારીને તે વત્સરાજ તે શ્રેષ્ઠીની પુત્રીને પણ પરણશે. ” આ પ્રમાણે સર્વ કહીને તે મુનિ અન્યત્ર ગયા. અને તે ખેચરરાજાએ અહીં આવીને તે બે પુત્રીએ મને સોંપી છે. પછી તે ખેચર રાજા કાંઇક તપ કરીને તથા મરીને વ્યંતરપતિ થયા છે. તેણે અશ્વના રૂપને ધારણ કરનાર એક યક્ષ કિંકર મને આપ્યા છે. અને સર્વ ઈચ્છિતને આપનાર પચક તથા એ ઔષધિ આપી છે. તે સર્વ પણ હૈ ભદ્ર ! તુષ્ટમાન થયેલી મેં તને આપ્યું. ” પછી વત્સરાજ તે એ કન્યાને પરણ્યા, અને ત્યાં રહેલા તે તે બન્નેની સાથે ભાગને ભાગવવા લાગ્યા. પછી એક દિવસ તે વત્સરાજે તે રત્નચૂલા અને સ્વચૂલા નામની પેાતાની પ્રિયાને પેાતાની પ્રતિજ્ઞાનું કારણ જણાવ્યું, ત્યારે તે બન્નેએ તે વાત દૈવીને જણાવી, અને તે દેવીએ તેમના વિચાગને સહન નહીં કરતી છતી પણ તેને પ્રિયાએ સહિત રજા આપી. પછી પંક ઉપર ચડીને બન્ને પ્રિયા સહિત વત્સરાજ આકાશમાર્ગે શીઘ્રપણે શ્રીદત્તના આવાસમદિરમાં આવ્યા. પછી પ્રભાતે સૂઈને ઉઠેલી તે શ્રેષ્ઠીની પુત્રીએ તેને, પ``કને અને તે અશ્વને જોચેા, તેથી આ શું? ” એમ વિસ્મય પામી. અને વિચાર કરવા લાગી કે—“ કયા કારણથી આ પર્યંક અહીં આવ્યે ? અને આ અશ્વ અહીં સાતમે માળ શી રીતે ચડ્યો?” પછી જેટલામાં તેણીએ સારી રીતે જોયુ તેટલામાં તેણીએ શય્યામાં રહેલા પેાતાના પતિને એ પ્રિયાએ સહિત જોયા. ત્યારે હવડે રિપૂર્ણ અંગવાળી તેણે પિતાની પાસે જઈને કહ્યું કે- ઘરની ઉપરની ભૂમિ (માળ) ઉપર મારા પતિ આવ્યા છે.” શ્રેષ્ઠી મેલ્યા કે હે પુત્રી! આ પ્રમાણે તેનુ આગમન કેવી રીતે થયુ?” ત્યારે તેણીએ શય્યાનુ જોવુ વિગેરે સમગ્ર વાત કહી. અતિ અદ્ભુત તે વાત સાંભળીને તે શ્રેષ્ઠી સભ્રમ સહિત ત્યાં ગયા. ત્યારે બન્ને પ્રિયા સહિત વત્સરાજ ઉઠીને તેને નમ્યા. પછી શ્રેષ્ઠીએ પૂછેલા તે વત્સરાજે પેાતાને વૃત્તાંત જણાન્યા. ત્યારે તે ચરિત્રવડે વિસ્મય પામેલે તે પેાતાનુ' મસ્તક ધૂણાવવા લાગ્યા. પછી તે દિવસને નિમન કરીને અને શ્રેષ્ઠીની રજા લઈને ત્રણે પ્રિયાએ સહિત શય્યા ઉપર ચડીને તે પેાતાને સ્થાને (ઘેર) આવ્યેા. ત્યાં પુત્રની શાની હુંમેશાં નીરાજના(આરતિ)ના વિધિને કરતી ધારિણી અને વિમલાએ તે શય્યામાં તેવી રીતે રહેલા તેને જોયા. પછી વજ્રને દૂર કરીને તથા પ્રિયાએ સહિત પુત્રને જોઇને તેની લજજાની શંકાથી તે બન્ને કાંઇક ધીમે ધીમે દૂર ગઇ. તરત જ પ્રાપ્ત થયેલી તે બન્નેને જોઇને વત્સરાજ પ્રિયાએ સહિત ઊભા થયા, અને તે બન્નેના પગને તેમણે નમસ્કાર કર્યો. અને વિસ્મય કરનારી પાતાની વાર્તા કહી. તથા સર્વ કામને પૂર્ણ કરનાર પ"કની પાસે ઉત્તરીય વજ્ર માંગ્યું. પછી રાજાની પાસે જઈને અને નમસ્કાર કરીને તેની પત્ની કમલશ્રીને તે વચ આપ્યુ. હર્ષ પામેલી તે “ુ વત્સ! તું ચિરાયુષવાળા થા.” એમ ખેલી. રાજાએ પણ આભૂષણાદિકવડે તેના સત્કાર કર્યો. પછી “હું સુંદર ! આ વસ્ર તું કયાંથી પામ્યા? અથવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org