SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૪ર ] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર આપે?” તે બોલી કે-“હે ભદ્ર ! જે તું માગે તે તું અવશ્ય પામીશ, પરંતુ જ્યાં સુધી હું આ વાત સ્વામિનીને કહું ત્યાં સુધી તું અહીં રહે. ” એમ કહીને તેણીએ ત્યાં જઈને તે વાત કહી. તેણીએ પણ તત્કાળ તેને પાસે તેને અણા (બેલાબે) અને તેણીએ પણ આવીને તેને કહ્યું, કે-“હે ભદ્ર! જ્યારે સ્વામિની પ્રસન્ન મુખવાળી થાય, ત્યારે તું પ્રાસાદની ઉપલી ભૂમિમાં (માળમાં) રહેલી બે કન્યાને માગજો. તથા અશ્વના રૂપવાળા યક્ષને અને ઈચ્છિતને આપનારા પર્યકને માગજે.” ત્યારે હું તે પ્રમાણે કરીશ.” એમ કહીને દેવતાની પાસે તે ગયે. પછી આપેલા આસન ઉપર બેઠેલા તેને તેણીએ ગૌરવ સહિત કર્યું કે-“હે ભદ્ર! જે તે વૈદક જાણતા હૈ, તો મારી પીડા નિવારણ કર.” ત્યારે વત્સરાજ વાણીવડે વઘકને વિસ્તાર કરીને ધૂમૌષધિવડે મોટે ધૂમ કરીને બીજી ઔષધિવડે પીડાને હરણ (દુર) કરી. એટલામાં વેદના હરણ કરાઈ, અને ભુજ ફરીથી નવી થઈ, તેટલામાં તેણીએ કહ્યું કે-“હે ભદ્ર! મને ઘાત આપનાર તું જ છે.” તેણે હા” કહી ત્યારે સંતેષથી ભરપૂર થયેલી તે બોલી કે “હે ભદ્ર! હું તારા સાહસથી તુષ્ટમાન થઈ છું, તેથી તારી ઈચ્છા પ્રમાણે માગ.” ત્યારે તેણે બે શ્રેણી કન્યાઓ, અશ્વના રૂપવાળા યક્ષને તથા ઈચ્છિતને આપનાર પર્યકને માગ્યા. ત્યારે “આ ઘરનો ભેદ થયે છે.” એમ વિચારીને તે બોલી કે “આ સર્વ મેં તને આપ્યું, પરંતુ આની ઉત્પત્તિને પ્રથમથી તું સાંભળ. વૈતાઢય પર્વત ઉપર ચમરચંચા નામની નગરીમાં ગંધવાહગતિ નામનો વિદ્યાધર રાજા હતા. તેને સુવેગા અને મદનગા નામની બે પ્રિયાઓ હતી. તેમને અનુક્રમે જન્મેલી રત્નચૂલા અને સ્વર્ણચૂલા નામની બે પુત્રીઓ હતી. તે ખેચરેંદ્ર પુત્રીઓના વિવાહની ચિંતાવડે વ્યાકુળ થયો ત્યારે તેને ઘેર એક દિવસ એક વિદ્યાધર મુનિ આવ્યા. તે મુનિને ભક્તિથી રમણીય આસન ઉપર બેસાડીને તથા નમસ્કાર કરીને તેણે પૂછ્યું કે અહીં આ બે પુત્રીને ભર્તા કેણુ થશે?” તે જ્ઞાની મુનિ બોલ્યા કે-“પૃથ્વી પર રહેનાર અને ગુણવાન વત્સરાજ નામને રાજપુત્ર આ બન્નેને ભર્તા થશે, પરંતુ તારા સમીપપણામાં તેમનું પાણિગ્રહણ (વિવાહ) નહીં થાય કેમકે હે મોટા રાજા! તારું આયુષ્ય એક માસ જ બાકી રહેલું વર્તે છે.” “ત્યારે હવે શું કરવું?” એમ રાજાએ કહ્યું ત્યારે તે મુનિ બોલ્યા કે-“હે રાજા ! આ કુમાર અને ભર્તા જે પ્રકારે થશે તે તું સાંભળ. પહેલાં પિતાના મિત્ર, અને ભૂમિ ઉપર રહેલા શૂર નામના રાજાને તારા પિતાએ તારી બહન આપી હતી. તે રાજાને શુભ આકારવાળી બીજી પણ રાજપુત્રી પ્રિયા હતી. તેણીને વિષે તેને પ્રેમ પ્રકર્ષ હતું, અને તે તારી બહેન અનિષ્ટ હતી. તેણીને વિષે દ્વેષને પામેલી તે (તારી બહેન) બાળતપ કરીને તથા મરીને હે રાજા! શ્રેષ્ઠ વ્યંતરી દેવી ઉત્પન્ન થઈ છે. અને તેની તે સપત્ની શ્રેષ્ઠ ધર્મ અને દાનાદિક કરીને તથા મરીને દત્ત શ્રેણીની પુત્રી થઈ છે. પૂર્વના શ્રેષવાળી તે દેવી તેણીના યામિક પુરુષને હજુ સુધી પણ હણે છે, તેથી ત્યાં પુરુષોને ક્ષય થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005224
Book TitleShantinath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitprabhacharya
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy