________________
[ ૧૪૦ ].
શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર.
આવેલી નિદ્રાવડે જાણે આના જીવિતને માટે હોય તેમ ચેતના રહિત થઈ. પછી કુમાર ગવાક્ષ(ગોખ-બારી)વડે નીચે ઉતરીને પૃથ્વી પર રહેલા એક કાઇને ગ્રહણ કરીને તેની સહિત જ (અથવા તે જ માર્ગો ઉપર ચડ્યો. પછી તે કાકને શયામાં સ્થાપન કરીને કેશ વિનાની તરવાર સહિત સર્વ દિશાઓને જે તે દીપકની છાયામાં રહ્યો. આ અવસરે બારીના વિવરવડે પ્રવેશ કરતા એક મુખને જોઈને તે વિશેષ કરીને અપ્રમાદી થયે. તે મુખે તે વાસગૃહ બરાબર જોયું. પછી મુદ્રાના અલંકાર સહિત આંગળીવાળો એક હસ્ત પેઠે. તે હાથ ઔષધિ અને વલવડે શોભતો હતો, તેમાં એકમાંથી કુત્કાર કરતે ધૂમાડે નીકળે. તેના વડે તે ઘર વ્યાપ્ત થયું. તે હાથે પ્રવેશ કરીને જેટલામાં યામિકની શાને સ્પર્શ કર્યો, તેટલામાં વત્સરાજે પણ તીક્ષણ ખર્શવડે તેને હ. દેવતાના પ્રભાવવડે તે હાથ પૃથ્વી ઉપર પડયે નહીં, પરંતુ વેદનાથી પીડાયેલા તે હાથમાંથી તરતજ બને ઔષધિ પડી ગઈ. તે ધૂમૌષધી અને રોહિણને તે કુમારે ગ્રહણ કરી. પછી તે દેવતાને હાથ વાસમંદિરમાંથી બહાર નીકળે. “હે વત્સ! તેં મને છેતરી.” એવા તે દેવીના શબ્દને સાંભળીને “હે દાસી! તું કયાં જાય છે?” એમ બેલતે તે તેણુની પાછળ કાંઈક ગયે. પછી ઉછાળેલા ખવાળા અને પુણ્યવડે યુક્ત તે કુમારને જોઈને તેને અપકાર કરવાને અસમર્થ તે દેવતા નાશી ગઈ. વત્સરાજ પણ પાછા વળીને શય્યા ઉપરથી કાષ્ઠને દૂર કરીને તેના ઉપર જેટલામાં બેઠો, તેટલામાં રાત્રિ ક્ષય પામી. સૂર્ય પણ તે શૂરવીરના પ્રતાપને જોવા માટે જાણે ચડ્યો હોય તેમ તત્કાળ ઊંચા ઉદયાચળના શિખર ઉપર ચડ્યો. આ અવસરે તે કુમારી જાગી, અને અખંડ અંગવાળા તે કુમારને જે, ત્યારે હર્ષ પામેલી તે વિચારવા લાગી, કે-“ખરેખર આ પુરુષરૂપી રત્નને આ કોઈ પણ પ્રભાવ હવે જોઈએ, કે જેથી આ મરણ પામ્યું નહીં. અથવા મારા ભાગ્ય જાગે છે. જે આ મારો ભર્તા થાય, તો હું અવશ્ય ભોગ ભેગવું નહીં તે આ જન્મને વિષે મારે વિષયેની નિવૃત્તિ છે.” એમ વિચારીને કોયલ જેવા મધુર સ્વરવાળી તે બોલી કે–“હે નાથ ! તું શી રીતે આ કષ્ટથી મુક્ત થયે? તે તું કહે.” તેણે પણ તેને રાત્રિનું સત્ય વૃત્તાંત કહ્યું. તે સાંભળીને ઉત્પન્ન થયેલા રોમાંચરૂપી કંચુકવાળી તે હર્ષ પામી. આ પ્રમાણે તે બને સંલાપ કરતા હતા ત્યારે દાસી તેણીના મુખને જોવા માટે નિર્મળ જળ લઈને આવી. અક્ષત અંગવાળા કુમારને જોઈને હર્ષથી ભરપૂર થયેલી તેણીએ તત્કાળ તેની કુશળ વાતવડે શ્રેણીને વધામણી આપી. ત્યારે ખલના પામતી ગતિના પ્રચારવાળો અને હર્ષના અશ્રુવડે ભરપૂર નેત્રવાળે તે દત્ત શ્રેષ્ઠી સંભ્રમ સહિત તે બન્નેની સમીપે આવ્યું. શ્રીદત્તાએ પણ ઊઠીને તેને સારું આસન આપ્યું. તેના ઉપર બેઠેલા તેણે કુમારને કહાં કે-“હે વીર! રાત્રિને વિષે તું દુઃખરૂપી સાગરને શી રીતે તર્યો?” કુમારે પણ સર્વ વૃત્તાંત તેને નિવેદન કર્યો. ત્યારે તેણે કહ્યું કે “આ મારી પ્રાણથી પણ વહાલી પુત્રી મેં તને આપી છે, કેમકે એ કહ૫ (વ્યવહાર) છે માટે અન્યથા ગુણે કરીને તે પિતે જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org