________________
પાંચમો પ્રસ્તાવ-વત્સરાજે હરણ કરેલ વ્યંતરીનું વસ્ત્ર
[ ૧૩૭ ]
સપુરુષો છે, તે અહીં તારે શું છે ? હે મૂઢ! જે ઘી સુગંધી હોય, તે તેલનું શું કામ હોય?” વત્સરાજ બે કે-“તેં મને કુપુરુષ કેમ જાયે?” તે બોલી કે-“જેથી કરીને તે બાળકની આકૃતિવાળો દેખાય છે, તેથી મેં કુપુરુષ જાયે.” ફરીથી તે બે કે-“શું બાલ પણ સૂર્ય અંધકારને હણતું નથી ? અથવા સિંહને બાળક શું મોટા હાથીના સમૂહને ન હણે? અથવા અe૫ (નાને) ચિંતામણિ સમગ્ર ઈચ્છિતને શું ન કરે? એ જ પ્રમાણે મારે વિષે પણ “આ બાળક છે” એમ અનાસ્થા (અશ્રદ્ધા) ન કર.” ત્યારે હસીને તે પણ આ પ્રમાણે બેલી કે “તે હે ભદ્ર ! તું કારણ સાંભળ–આ નગરમાં વસનારા ઉત્તમ પુરુષની હું સ્ત્રી છું. યોવનમાં વર્તતા પણ તે મારા પતિને અપરાધ વિના રાજાએ આ શૂલિકા ઉપર ચડાવ્યો છે. હંમેશાં ભજનની વિધિમાં તેને આ વૃતપૂર (ઘેબર) ઈષ્ટ હતા, જેથી કરીને તેના મુખમાં હું તે વૃતપૂર નાંખવા ઈચછું છું. તે કરવાને હું અશક્ત છું, કેમકે આ અતિ ઉચે છે તેથી મારું પોષણ કરનાર ભર્તાને સંભારીને હું રોઉં છું.” વત્સરાજે કહ્યું કે-“હે સુભ્ર ! મારા સકંધ ઉપર ઉપર ચડીને તારું ઈચ્છિત કર.” આ પ્રમાણે કહેલી તેણીએ તે પ્રમાણે કર્યું. તે દુષ્ટ મનવાળી માંસને કકડા કાપીને ખાવા લાગી. તેમાંથી એક કકડ કુમારના કંધપ્રદેશ ઉપર પડ્યો. ત્યારે “આ શું?” એમ વિચારીને જેટલામાં તેણે ઉંચે જોયું, તેટલામાં તેણની તે ચેષ્ટા જોઈને તે કપ પામે, તેથી ખાને ખેંચીને “અરે પ્રચંડ (ક્ર) રાંડ! તું આ શું કરે છે?” એમ વત્સરાજે કહેલી તે આકાશતળમાં ઊડી. ઊડતી તેણીને પહેરેલા વસ્ત્રમાં પકડી. ત્યારે તે વસ્ત્ર તેના હાથમાં મૂકીને તે ક્ષણવારમાં કઈક ઠેકાણે ભાગી ગઈ. આ અવસરે કોઈએ ઘરથ જિનેશ્વરને પૂછયું કે-“હે ભગવાન ! આ સ્ત્રી કોણ છે? અને આવું કર્મ તેણીએ કેમ કર્યું?” ત્યારે ભગવાન પણ બોલ્યા કે-“તે પાપી દુષ્ટ દેવતા છે. અહે મનુષ્યને છેતરવા માટે તે આવા પ્રકારનું કામ કરે છે.” ફરીથી તેણે સ્વામીને પૂછયું કે-“શું દેવતાઓ માંસને ખાય છે ? ” તે બોલ્યા કે–“નથી ખાતા, પરંતુ તેઓની આ ક્રીડા છે.” પછી વત્સરાજ તે વસ્ત્ર લઈને પિતાને ઘેર ગયો. અને જ્યાં સુધી સૂર્ય ઉદય પામ્યા ત્યાં સુધી સૂઈ રહ્યો. ત્યાર પછી તે વસ્ત્ર લઈને તે રાજાની પાસે ગયે, અને તેને નમસ્કાર કરીને સ્થિતિ પ્રમાણે બેઠો. પછી ગ્ય સમયે રાજાએ તેને રાત્રિને વૃત્તાંત પૂછો. ત્યારે તેણે પણ તેને સમગ્ર વૃત્તાંત જે પ્રકારે છે તે પ્રકારે (સત્ય) કહો. તથા તે દેવતાનું વસ રાજાને આપ્યું. શ્રેષ્ઠ રત્નથી શોભતા તે વસ્ત્રોને જોઈને તે રાજા વિસ્મય પામે. રાજાએ પાસે બેઠેલી રાણીને તે વસ્ત્ર આપ્યું. તે તેણીએ પહેર્યું ત્યારે તેને કંચુક શોભે નહીં, તેથી તે બોલી કે-“આ સારા વરુની જેવો આ કંચુક નથી.
૧. સારી ભ્રકુટીવાળી.
૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org