________________
-
-
-
-
-
[ ૧૩૬ ]
શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર.
આવવું, તે વિધાતાને જ દેષ છે. અહીં આવેલી પણ તમે તમારે આત્મા ગુપ્ત કેમ કર્યો? દેવેગવડે કણ પ્રાપ્ત થવાથી શુભ કર્મવાળા મનુષ્યોને કઈ લજજા હેય? અથવા તે હું જ અધન્ય છું, કે જે મેં પોતાના નગરમાં પુત્રરત્ન સહિત પણ રહેલી બને બહેનને જાણ નહીં. હવે ઘણું કહેવાથી શું? પુત્ર સહિત તમે આ હાથણી ઉપર ચડીને મારા આવાસમાં આવો” ત્યારપછી તે બન્નેએ તે શ્રેષ્ઠીને આ પ્રમાણે કહ્યું કે-“તારા ઘરમાં રહેલી અમે કાંઈપણ અપ્રિય કર્યું હોય, તે તું ક્ષમા કરજે.” ત્યારે તે પણ તે અને પ્રત્યે આ પ્રમાણે બોલ્યા કે-“વણિકના સ્વભાવથી મારા ઘરમાં જે કાંઈ નિંદિત મેં તમારી પાસે કરાવ્યું હોય, તે તમારે સહન કરવું.” આ પ્રમાણે પરસ્પર ખમાવીને વત્સરાજ સહિત તે બન્ને બહેનના આગ્રહથી રાજમહેલમાં ગઈ. તેમને સામગ્રી સહિત એક પ્રાસાદ આપીને રાજાએ તે કુમારને કહ્યું કે “હે વત્સ! તને હું શું આપું?” તે બોલ્યો કે-“હું બીજું કાંઈ માગતો નથી. હંમેશાં હું તમારી સેવા કરીશ, પરંતુ દિવસને છેડે (સાંજે) તમારે પોતે જ મને મારે ઘેર મોકલ.” રાજાએ તે અંગીકાર કર્યું. તે તેની સેવા કરવા લાગ્યો. રાજાએ ધાન્યાદિક વસ્તુવડે તેનું ઘર સારી સ્થિતિવાળું કર્યું. એક વખત રાજા કોઈપણ પ્રકારે તેને રજા આપ્યા વિના વાસગૃહમાં સૂતે, અને તે વાસગૃહ યામિકોએ (પહેરેગીરોએ) તરફથી વીંટડ્યું. વિનયવાળ વત્સરાજ કુમાર પણ હાથમાં ખરું રાખીને શ્રેષ્ઠ ચાકરની જેમ તે વાસગૃહની બહાર રહ્યો. મધ્ય રાત્રિએ સમય થયો ત્યારે રાજાએ અતિ દુઃખી કઈક સ્ત્રીનું કરુણ શબ્દવાળું રૂદન સાંભળ્યું. ત્યારે તેણે સર્વે પ્રારિક પુરુષને બતાવ્યા, પરંતુ પ્રમાદના દોષથી સૂતેલા તેઓએ કાંઈ પણ બોલ્યા નહીં ત્યારે વત્સરાજ બોલ્યા કે“હે સ્વામી! મને ફરમાવે.” રાજા બે કે-“હે મહાશય! આજે શું મેં તને રજા આપી નથી? ત્યારે “હા” એમ તેણે કહ્યું. તે વખતે તે બે કે-“હમણાં હું તને રજા આપું છું. તું ઘેર જા. તને મેકલ ઉચિત નથી.” તે બે કે-“તમારે આદેશ કરવામાં મને કઈ લજજા છે? તે કામ હું અવશ્ય કરીશ. હે પ્રભુ! મને આદેશ આપે. રાજાએ કહ્યું કે-“તે હે વત્સ! ત્યાં જઈને દુઃખનું કારણ પૂછીને તે દીન અને રૂદન કરતી સ્ત્રીને તું (વાન) નિષેધ કર.” પછી પરાક્રમ સહિત કુમાર શબ્દને અનુસાર કિલાનું ઉલ્લંઘન કરીને સ્મશાનના મધ્ય ભાગમાં ગયે. ત્યાં એક પ્રદેશને વિષે સારા વસ્ત્ર અને અલંકારવડે શોભતી એક સ્ત્રીને રૂદન કરતી જોઈને આ પ્રમાણે તે બે, કે-“હે મુગ્ધા! (ભેળી)! તું કેણ છે? અને અરે! આ સ્મશાનમાં તું કેમ રૂએ છે? જે ગુપ્ત કરવા લાયક ન હોય, તે તું મને તારા દુઃખનું કારણ કહે.” તે બેલી કે-“હે ભદ્ર! તું જ્યાં જાય છે, ત્યાં જા અસમર્થ શરીરવાળા તારે મારી આ ચિંતાવડે શું ફળ?” વત્સરાજ બે કે-“તને દુઃખી જોઈને હું જવાનો ઉત્સાહ કરતો નથી, કેમકે સત્પરુષો બીજાના દુખથી દુઃખી થાય છે.” તે બોલી કે “જે એવા પ્રકારના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org