SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચમે પ્રસ્તાવ: વત્સરાજે આપેલી પોતાની ઓળખ. [ ૧૩૫ ] કાંઈક અપટુતા, ” એમ તે છે. ત્યારે તેઓ બેલ્યા કે-“અમે તારું ઘર જાણતા નથી, જાણતા હતા તે તારી પાસે અમે આવત.” ઉપાધ્યાયે તેને કહ્યું કે-“હે વત્સ! તારું કયું કુળ છે? કેણ પિતા છે? કોણ માતા છે? અને જન્મભૂમિ કઈ છે?” ત્યારે કુમારે આ પ્રમાણે કહ્યું કે “હે તાત! હમણું તમે ન પૂછે, પરંતુ સમય આવશે ત્યારે તે સર્વ તમને અવશ્ય કહીશ.” પછી કુમારોએ તેનો અભિપ્રાય જાણીને પિતાના આકારને સંવર કર્યો, અને તેને ભેજન, વસ્ત્ર વિગેરે આપ્યું. પછી એક દિવસ તે ઉપાધ્યાય તે કુમારને લઈને તથા વત્સરાજને બેલાવીને રાજાની પાસે ગયે. તે રાજાને નમસ્કાર કરીને તે કુમારે ગ્ય સ્થાને બેઠા. તે વખતે વત્સરાજ કુમારને જોઈને રાજાએ તેઓને પૂછયું, “હે પુત્રો ! તમારી પાસે આ કયે કુમાર દેખાય છે?” ત્યારે “અમારો અંગીકાર કરે સહેદર છે ” એમ તેઓ બોલ્યા ત્યારે તે રાજાએ આચાર્યને પૂછયું કે-“હે ભદ્ર! આ કોને પુત્ર છે? અથવા તેનું વિજ્ઞાન કેવું છે?” એમ પૂછેલે તે તત્કાળ બોલ્યો કે“હે રાજા ! આ કુમારના અન્વય(વંશ)ને હું બરાબર જાણતા નથી, પરંતુ વિજ્ઞાન વડે આની તુલ્ય આ પૃથ્વી ઉપર કોઈ પણ નથી. ” પછી તે કુમારએ રાજાને પોતાનું વિજ્ઞાન દેખાડયું ત્યારે વત્સરાજે પણ તે વિજ્ઞાન તેને વિશેષ દેખાડયું. ત્યારે હર્ષ પામેલે રાજા બે કે-“હે વત્સ! તું મને પિતાનું શેત્ર કહે, કેમકે આચ્છાદન (ગુપ્ત) કરેલા મેતીનું મૂલ્ય જાણી શકાય નહીં. ” ત્યારે તેણે અવસર જાણીને નિ:શંકપણે મૂળથી આરંભીને પિતાની સર્વ વાત તેને સત્ય કહી. તે વખતે રાજાની પાસે બેઠેલી કમળાશ્રી નામની પ્રિયા અને કુમારની માસી તે વૃત્તાંત સાંભળીને સંક્રમ સહિત બોલી, કે-“હે વત્સ ! ધારિણી અને વિમલા પણ શું અહીં આવી છે?” તેણે “હા” એમ કહ્યું, ત્યારે તેણીએ રાજાને કહ્યું, કે-“હે પ્રાણનાથ! તે બન્ને મારી મોટી બહેનો છે, તેથી તમારી આજ્ઞાવડે તે બનેને મળવા માટે હું જાઉં” એમ કહ્યું ત્યારે તે રાજાએ તેણુને કહ્યું, કે-“હે દેવી! તું જા, અને કુમારે કરીને સહિત તે બન્ને બહેનોને અહીં લાવ, કેમકે ત્યાં તેઓ અત્યંત દુઃખી વતે છે.” પછી હાથણી ઉપર બેઠેલી અને છત્રને ધારણ કરેલી તે રાણી પરિવાર સહિત જેટલામાં તે શ્રેષ્ઠીને ઘેર ગઈ, તેટલામાં તે શ્રેણી સંભ્રમ સહિત અનેક ઉપચાર કરવા લાગ્યું. ત્યારે તે દેવીએ જ “બસ” એમ કહીને તેને નિવાર્યો. ધારિણી અને વિમલા માસીના બને ચરણને નમીને તથા પોતાની વાત કહીને વત્સરાજ આ પ્રમાણે બલ્ય, કે-“અહીં જે રાજા છે, તે તમારી બહેનનો પતિ છે, તે તમારી બહેન તમને મળવા માટે ઘરની આંગણામાં આવી છે.” તેઓ બોલી કે-“હે વત્સ ! તે અમે જાણીએ છીએ, પરંતુ અમે લજજાવડે આત્માને ગોપ હતે.” એમ બોલતી તે બને હર્ષથી ઘરની બહાર નીકળી. તે વખતે હાથણી ઉપરથી ઉતરીને તે કમલથી બને બહેનના કંઠકંદબને વળગીને રોતી રોતી આ પ્રમાણે બોલી કે-“હા! તમારી આવી ભયંકર અવસ્થા કેમ થઈ ! અથવા તો પુરુષોને જે વિપત્તિનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005224
Book TitleShantinath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitprabhacharya
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy