________________
[ ૧૩૪ ]
શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર.
અંદરથી બહાર નીકળ, અને અમારે કંચુક મૂક, નહીં તે તારું મસ્તક અમે હરણ કરશું.” આ પ્રમાણે તેઓ વડે કહેવાય પણ તે ક્ષત્રિય હોવાથી ભય પામ્યો નહીં. અને તે સ્ત્રીઓએ ચક્ષના ભયથી કમાડ ઉઘાડ્યા નહીં. પછી પાછી વળીને તે બને એ વિચાર્યું કે-“જે કઈ અહીં રહે છે, તેને સ્વજન પુરની અંદર રેતે હશે, તેથી આપણે ત્યાં જઈને આનું નામ વિગેરે જાણીએ.” એમ વિચારીને તે બન્ને ખેચરીઓ જલદી ત્યાં ગઈ. તેટલામાં ધારિણું અને વિમલા મોટા દુઃખથી પીડા પામી તેથી પોતાના પુત્રને સંભારી સંભારીને આ પ્રમાણે વારંવાર વિલાપ કરતી હતી. “અરે વિરસેન રાજાના પુત્ર ! સુખથી લાલન કરેલા ! વત્સરાજ ! કુમાર ! તારી કેવી દુર્દશા થઈ છે ?” પ્રથમ તે રાજ્યને અપહાર (ત્યાગ), ત્યાર પછી પરદેશમાં ગમન, અન્ય ઘરમાં નિવાસ તથા કgવડે ભેજન. હે વત્સ ! આજે તને ઈધનને માટે અધન્ય એવી અમે કેમ મોકલ્યા ? કે જેથી હજુ સુધી પણ તું આવતું નથી?” તે સાંભળીને જાણેલા વૃત્તાંતવાળી તે ખેચરીઓ તે દેવકુળમાં આવી, અને માતાની જેવા સ્વરવડે આ પ્રમાણે બોલી, કે-“હે પુત્ર વત્સરાજ ! તારા વિયોગથી પીડાયેલી અમે કોઈ પણ પ્રકારે અહીં આવી છીએ, તેથી તું અમને તારા આત્માને દેખાડ.” ત્યારે તેણે વિચાર્યું કે-“હમણાં મારી બે માતાનું અહીં આવવું ઘટતું નથી તેથી ખરેખર માયાવાળી તે જ આ ખેચરીઓ છે.” એમ વિચારીને તે બુદ્ધિમાને તેઓનું વચન માન્યું નહીં. પછી સૂર્યને ઉદય થયે ત્યારે ખેદ પામેલી તેઓ પોતાને સ્થાને ગઈ. કુંચીન છિદ્રવડે સૂર્યના કિરણે અંદર પિઠા, તેને જોઈને કુહાડીને ધારણ કરતા તે દેવકુળમાંથી બહાર નીકળ્યો. શ્રીખંડ વૃક્ષના કોટરને વિષે તે કંચુકને ગોપવીને તથા કાવાકૃતિને ગ્રહણ કરીને બીજા હાથમાં કાણને લઈને તે પોતાના ઘરની સન્મુખ ચાલ્યો. પછી નગરના દરવાજામાં ગયેલા તે દરવાજાના રક્ષક તરફ એક કાષ્ટનો કકડો નાંખ્યો. પછી માર્ગમાં ચાલતા તેના તે ચંદનેને સુગંધ લાગે ત્યારે સર્વે મનુષ્ય દિશાઓના મુખને જોવા લાગ્યા. “ આ સુગંધ કયાંથી કુરાયમાન થાય છે (નીકળે) છે?” એમ તેઓ પરસ્પર બોલવા લાગ્યા, અને “આ કાષ્ટનો વહન કરનાર છે.” એમ બોલીને તેને હાલના વડે જેવા લાગ્યા. પછી પિતાને ઘેર જઈને ઘરની મધ્યે તે કાણને ગુપ્ત કર્યા, અને તેમાંથી એક કકડે પિતાની માસીના હાથમાં આપે. તેણીએ અનુમતિથી તે કકડે ગાંધીની દુકાને વેચે. તેના મૂલ્યનું ઘણું દ્રવ્ય લાવીને દેખાડયું. પછી તે બોલ્યા કે હે માતા! હવે તું નિંદિત કામને કરીશ નહીં. આ કકડા ખૂટી જાય ત્યારે બીજે કકડે વેચો. તથા શ્રેષ્ઠીને ગ્યતા પ્રમાણે ઘરનું ભાડું આપવું. અને તમારે બનેએ પિતાનો આત્મા કેઈને પરાધીન કરવો નહીં. હું તે પિતાની ઈચ્છા પ્રમાણે આ દિવસ અવશ્ય કીડા કરીશ, અને હંમેશાં રાત્રિએ સુવા માટે ઘેર આવીશ.” એમ કહીને તે રાજકુમારોની પાસે ગયો. ત્યારે તેઓએ કહ્યું કે-“હે ભાઈ ! તું ગઈકાલે કેમ અહીં આવ્યું ન હતું?ત્યારે “મારા શરીરની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org