SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચમે પ્રસ્તાવ-વત્સરાને દેવકુલિકામાં પ્રાપ્ત થયેલ વિદ્યાધરીને કંચુક [ ૧૩૩ ] તે નગરીની પાસે આવ્યે તેટલામાં વચ્ચે સૂર્ય અસ્ત પામ્યું, અને નગરીના દરવાજા બંધ થયા. શાકિનીના ભયથી તે નગરીમાં એ નિયમ છે, કે સૂર્ય ઉદય પામે ત્યારે નગરીના દરવાજા ઉઘડે. ત્યારે વત્સરાજે વિચાર્યું કે-“નગરીની બહારના ઘરોમાં રહેવું નહીં, કેમકે ચંદનને ગંધ રોકી શકાય તેમ નથી. ભયંકર ઠંડી પડે છે તેથી મારે આ રાત્રી જ્યાં નિર્ગમન કરવી? અથવા તો ઠીક જાણ્યું કે તે દેવકુલિકામાં હું જાઉં.” આ પ્રમાણે વિચારીને શીદ ત્યાં જઈને એક વૃક્ષ ઉપર કાવાકતિને લટકાવીને દેવકળની અંદર તે પેઠો. તેના કમાડ બંધ કરીને તે કુહાડી પિતાની પાસે મૂકીને ત્યાં એક પ્રદેશમાં નિર્ભય વીરસેનને પુત્ર સૂતો. આ અવસરે રાત્રિને વિષે ત્યાં રહેલા વત્સરાજને એક અદ્ભુત પ્રસંગ બન્ય; તે જ્યાં સૂવે છે ત્યાં અતિ મને હર વિમાનમાં બેઠેલો વિદ્યાધરીઓને સમૂહ વૈતાઢ્ય પર્વત ઉપરથી આ યક્ષના મંદિરમાં આવ્યું. કરેલા મોટા શૃંગારવાળી, ગીત અને નૃત્ય કરવામાં તૈયાર થયેલી અને તે બાહા મંડપમાં રહેલી તે સ્ત્રીઓ પરસ્પર આ પ્રમાણે બેલી, કે-“હે પ્રવીણ ચિત્રલેખા ! તું સુંદર વીણાને વગાડ, અને હે સખી પ્રદનિકા ! તું તાલ વગાડવાનું કર. હે પરિઝા ! અત્યંત વેગવાળા પડતને તું સજજ કર, હે યવનિકા! અંગના પ્રમાણવાળા મૃદંગને તું જલદી વિસ્તાર. હે ગાંધવિકા! તું ગીત ગા, કે જેથી અમે નૃત્ય કરીએ, અને આ મનોહર સ્થાનને વિષે પિતાની ઈચ્છાને પૂર્ણ કરીએ.” આ પ્રમાણે બોલતા, હાસ્ય અને સંતેષને પરવશ થયેલી તથા મોટા વિસ્મયને કરનારી તેઓ જેમ સુખ ઉપજે તેમ ક્રીડા કરવા લાગી. ત્યારપછી પરસેવાના જળવડે આદ્ધ થયેલા વસ્ત્રોને મૂકીને તથા બીજાં વસ્ત્રો પહેરીને તેઓ એક ક્ષણવાર વિશ્રાંતિ લઈને પિતાના સ્થાન તરફ ચાલી. વત્સરાજ કુમારે પણ છિદ્રવડે તેઓની તે સર્વ ચેષ્ટા કૌતુકથી જોઈ હતી. તે જ ઠેકાણે ભક્તિથી વિચિત્ર રત્નના સમૂહથી શેજિત અને મોટી કાંતિવાળે કેઈક સ્ત્રીને એક સારો કંચુક વિરમૃત થયે હતા, તે તેણે જોયે. ત્યારે કમાડ ઉઘાડીને તથા તે શ્રેષ્ઠ કંચુકને ગ્રહણ કરીને જલદીથી જ દેવકુળની અંદર તે ફરીથી પડે. પછી તે ખેચરીની મથે પ્રભાવતી તેને સંભારીને બેલી કે-“હે સખી! માથા મૂલ્યવાળો મારે કંચુક ત્યાં ભૂલી જવાય છે.” ત્યારે તેઓએ કહ્યું કે-“વેગવતીની સાથે જલદી ત્યાં જઈને તું તારા તે કંચુકને લાવ.” એમ કહેલી તે જલદી ત્યાં ગઈ અને તે કંચુક જે નહીં. તેથી બેલી કે-“હે સખી! આટલી ( અ૫) વેળામાં આ કંચુક કયાં ગયે? આ સ્થાન મનુષ્ય રહિત છે, ત્રણ પહાર વીતી ગયેલી રાત્રિ છે, તેથી એમ સંભવે છે, કે ખરેખર તેને ગ્રહણ કરનાર કોઈ પણ નથી. ” વેગવતી બોલી કે–“ખરેખર વાયુવડે તે દૂર લઈ જવાય છે, તેથી પ્રમાદને ત્યાગ કરીને અહીં સર્વ ઠેકાણે આપણે જોઈએ.” પછી જેતી એવી તે બન્નેએ વૃક્ષ ઉપર લટકાવેલી તે વિહંગિકા દેખી અને પરસ્પર આ પ્રમાણે બોલી, કે-“આ દેવકુળની અંદર કેઈક ગુપ્ત પુરુષ કંચુકને હરણ કરનાર છે. તેથી આપણે કોઈ પણ પ્રકારે ભય પમાડીએ.” પછી તે આ પ્રમાણે બોલી કે-“હે મનુષ્ય તું આની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005224
Book TitleShantinath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitprabhacharya
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy