SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચમા પ્રસ્તાવ–વત્સરાજનું માતા સાથે પરદેશ ગમન. [ ૧૩૧ અમારા ત્યાગ કર્યાં.” આ પ્રમાણે લેાકેાનુ વચન સાંભળતા વત્સરાજ નગરમાંથી નીકળ્યેા. ત્યારપછી માતા અને માસી સહિત ધીમે ધીમે ચાલતા તે આવતી. દેશની મધ્યે રહેલી ઉજ્જયિની નગરીમાં ગયા. તે નગરીમાં યથાર્થ નામવાળા અને પરાક્રમી જિતશત્રુ રાજા હતા, તેને કમલશ્રી નામની શ્રેષ્ઠ મુખ્ય પટરાણી હતી. નગરીની બહાર વૃક્ષની છાયામાં વિશ્રાંતિ લેતી તે ધારિણી વિચારવા લાગી કે અરે દેવ! તેં આ શું કર્યું? કે જેથી અરે ! વીરસેન રાજાની પ્રાણપ્રિયા થઈને પણ પુત્ર સહિત મને આવી દુર્દશામાં કેમ પાડી ? ” પછી તેની અનુજ્ઞા લઈને વિમલા નામની તેની બહેને નિવાસસ્થાન કરવાની ઈચ્છાથી નગરીમાં પ્રવેશ કર્યો. ત્રાસ પામેલા હરણના જેવા નેત્રવાળી અને નગરીના જનને જોતી તેણીએ એક ઘરને વિષે સેામદત્ત નામના શ્રેષ્ઠીને જોયા. શાંતમૂર્તિ વાળા તેને જોઇને તે ખેલી કે–“હૈ તાત! પરદેશમાં રહેનારી હું, મારી બહેન અને તેણીને પુત્ર આ ત્રણ જના અહીં આવ્યા છીએ, તેથી જો તમે કાંઈક નિવાસનું સ્થાન દેખાડા, તા ત્યાં તમારી નિશ્રાએ અમે સુખેથી રહીએ. ” ત્યારે તેણે એક એરડી દેખાડીને તેણીને કહ્યું કે “ તમારે અહીં રહેવુ, પરંતુ તું મને ભાડુ' શું આપીશ ? ” વિમલા ખાલી કે-“હે ભદ્રં ! ભાડું કાંઇ પણ નથી, પરંતુ અમે એ તમારે ઘેર હુંમેશાં સમગ્ર કામ કરશું. અને હું ઉત્તમ શ્રેણી ! તમારે અમને ભેજન આપવુ. ધનવાન પુરુષાને તૃણુવડે પણ કામ હાય છે, તેા પણ મનુષ્યનું કામ કેમ ન હોય ?” ત્યારે “ભલે એમ હૈ.” એમ તેણે કહ્યુ ત્યારે ધારિણી અને પુત્ર સહિત તે (વિમલા) તે ઘરમાં રહી, અને તે બન્ને તેનું કામ કરવા લાગી. તે ધારિણી અને વિમલા વણિકને ઘેર કામ કરનારી થઇ. ઉત્તરને માટે (નિર્વાહને માટે) એવુ શું છે કે ન કરાય? એક દિવસ તે વિણકે તે અન્નને કહ્યુ કે—“આ બાળક એઠે સતા શું કરે છે ? મારા વસ-પાલક થાઓ.” પછી માતાના વચનવર્ડ તે વિનયવાળા વત્સરાજ કુમાર દેવયોગથી તેને ઘેર વત્સરૂપાનેર ચારવા લાગ્યા. એક દિવસ વત્સરૂપોને લઈને તે વનને વિષે ગયા. ત્યાં તે ચરતા હતા ત્યારે તે કુમાર ક્ષણવાર વિશ્રાંતિ પામ્યા. એક ઠેકાણે શ્રમ (કસરત) કરતા રાજપુત્રાના શબ્દને સાંભળીને તે જોવાના કૌતુકવાળા તે પણ શીઘ્રપણે ત્યાં ગયા. તેઓની મધ્યે કાઇ પણ જ્યારે ઘાતથી જરા પણ ભ્રષ્ટ થાય (ચૂકે), ત્યારે પાસે રહેલા તે વત્સરાજ શ્લાન મુખવાળા થતા હતા. અને જો ચેાગ્ય સ્થાને ઘાત થાય, તેા સંતાષથી ભરપૂર અને પ્રસન્ન મુખવાળા તે “ સારું, સારું, ” એમ મેલીને તેની પ્રશંસા કરતા હતા. તે જોઇને તેઓના કલાચાર્યે વિચાયું કે આ કાઇ પંડિત છે, કે જે ખાળક છતાં પણુ આવી રીતે શાકમને અવશ્ય જાણે છે.” પછી તેણે તેને આ પ્રમાણે પૂછ્યું કે—“ હું વત્સ ! તુ કયાંથી આવ્યા છે ? ” વત્સરાજ પણ ખેલ્યે કે હું તાત ! હું પરદેશી છું.” તેણે ફરીથી કહ્યું કે હે ભદ્રે ! પેાતાના ( તારા ) હાથમાં શસ્ર ગ્રહણ કરીને મારી પાસે તું તારા શસ્ત્રની કુશળતા પ્રગટ કર. ” ત્યારે અવસર જાણીને માટી બુદ્ધિવાળા ૧. વાછરડાને પાળનાર. ૨. વાછરડાના સમૂહને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005224
Book TitleShantinath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitprabhacharya
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy