________________
[ ૧૩૦ ]
શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર.
મહાબુદ્ધિમાન તે સમગ્ર કળા ભણવા લાગ્યો. પછી એક વખત તે રાજા આયુષ્યનો છેલ્લે કાળ હોવાથી જવર દાહ વિગેરે ગોવડે વ્યાપ્ત શરીરવાળો થયો. રેગથી પીડાતા રાજાને જોઈને તેનો પરિવાર દુઃખી થયો પછી સવે લોકો એકઠા થઈને પરસ્પર વિચારવા લાગ્યા, કે-“જે કે આ દેવરાજ વચનવડે માટે છે, તે પણ વત્સરાજ ગુણવડે મટે છે, તેથી તે રાજા થાઓ.” લેકની આ વાત સાંભળીને અને એક મંત્રીની સાથે વિચાર કરીને દેવરાજે હાથી, અશ્વ વિગેરે સૈન્ય પિતાને આધીન કર્યું. નિગીએ કરેલા તે શબ્દને સાંભળીને “આ શું છે?” એમ રાજાએ પૂછયું ત્યારે તેના પરિવારે તે સર્વ કહ્યું. ત્યારે વ્યાધિ અને આધિવડે પીડા પામેલે રાજા આ પ્રમાણે છે કે “અહો! મંત્રીએ આ કાર્ય અગ્ય કર્યું. આ વત્સરાજ કુમાર રાજ્યને એગ્ય છે. બીજે યેાગ્ય નથી. પરંતુ અહો ! આવી અવસ્થાવાળો અશક્તિમાન હું શું કરું ?” એમ કહીને તે રાજા મૃત્યુ પામ્યા. દેવરાજ રાજા થયે અને માણસોના અનુરાગ વિના તે રાજ્યનું પાલન કરવા લાગ્યો. વત્સરાજ પણ સ્વભાવથી જ વિનયવડે યુક્ત હોવાથી પિતાની જેમ દેવરાજને નમસ્કારાદિક સ&િયા કરતો હતો. તેને વિષે પ્રીતિમાં તત્પર સમગ્ર લેકને જાણીને મંત્રીએ વિચાર્યું કે-“વૃદ્ધિ પામતે આ રાજ્યનું હરણ કરશે, તેથી પિતાનું અહિત કરનાર આને વિષે ઉપેક્ષા કરવી યોગ્ય નથી. વ્યાધિની જેમ કમળ પણ શત્રુને બુદ્ધિશાળીએ છેદ જોઈએ.” આ પ્રમાણે વિચારીને તે મંત્રીએ રાજાને જણાવ્યું. ત્યારે તે બોલ્યા કે-“હે મંત્રી ! આ બાબતમાં શું કરવું ?” મંત્રી બોલ્યા કે-“ અહીં રહેલો આ વત્સરાજ તમારા હિતકારક નથી, તેથી હે દેવ! અનિષ્ટ કરનાર આ નાના ભાઈને પણ નગરમાંથી કાઢી મૂકે.” ત્યારે દેવરાજ રાજાએ નાના ભાઈને કહ્યું કે-“મારા દેશને છોડીને તારે બીજે ઠેકાણે જવું.” ભાઈની તે આજ્ઞા ગ્રહણ કરીને તેણે પિતાની માતાને તે નિવેદન કર્યું. તે સાંભળીને તત્કાળ અશ્રુમુખવાળી તે પણ દુઃખી થઈ. તેણને દુઃખી જાણીને વત્સરાજ બે કે-“હે માતા ! તું આ પ્રમાણે ખેદ કેમ કરે છે? મને આજ્ઞા આપ. હું જાઉ છું.” દેવી બોલી કે-“હે વત્સ! એમ હોય તે બહેન સહિત હું પણ તારી સાથે જ આવીશ.” વત્સરાજ બે કે-“હે માતા ! તારે અહીં જ રહેવું, કેમકે પરદેશ વિષમ છે. દેવરાજ પણ તારા પુત્ર છે.” માતા બેલી કે-“હે વત્સ! તારી સાથે જ હું આવીશ. તારે પણ જે અપકાર કરનાર છે, તે દેવરાજવડે મારે કાંઈ પણ પ્રયજન નથી.” ત્યારપછી દેવરાજ રાજાએ લઈ લીધેલા વાહનવાળી ધારિણું પગવડે ચાલતી પુત્રની સાથે ચાલી. પછી “જે માણસ આની સાથે જશે, તેને હું અવશ્ય મારીશ. ” એમ કહીને રાજાએ સર્વ પરિવારને નિવાર્યો. તે વખતે આખા નગરમાં લેકને હાહાકાર ઉછળ્યો. તે વખતે જેણે રુદન ન કર્યું હોય એવો કોઈ પણ માણસ નહોતો. માણસો બોયા કે-“આજે આ નગર નાયક (રાજા) રહિત થયું. વીરસેન રાજા આજે જ મરણ પામ્યા કે જેથી અહો! આ મહાત્માએ
૧ મનની પીડા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org