SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચમા પ્રસ્તાવ : શ્રી ધનરથ ભગવંતની દેશના અને તે ઉપર કહેલ શૂર રાજાની કથા. [ ૧૨૯ ] પુરુષ પણ ઓગળી જાય છે. તેવી ચેષ્ટાવડે હું ધીર 1 તારું હૃદય જરા પણ ચલિત ન થયું. આમ કહીને પાતાના અપરાધ ખમાવીને તથા તે રાજાને નમસ્કાર કરીને તેના ગુણની પ્રશંસા કરતી તે દેવીએ પેાતાને સ્થાને ગઈ. પછી પ્રાત:કાળે મેઘરથ રાજાએ વિધિ પ્રમાણે પ્રતિમાને અને પૌષધને પાર્યો ( સમાપ્ત કર્યો ) અને પછી પારણું કર્યું. એક દિવસ તે રાજા સામત સહિત સભામાં બેઠા હતા, તેને ઉદ્યાનપાલકે આવીને ભક્તિપૂર્ણાંક આ પ્રમાણે કહ્યું, કે “ હે સ્વામી ! હું તમને બહુ સારી વધામણી આપુ છું કે આજે તમારા નગરમાં તમારા પિતા જિનેશ્વર ઘનરથ પ્રભુ સમવસર્યાં છે. ” ત્યારે તેને સુવર્ણાદિક પારિતાષિક દાન આપીને કુમાર સહિત રાજા જિનેશ્વરને નમવા ગયા. તે ભગવાનને તથા બાકીના પણ તાધનાને ( સાધુએને ) વાંદીને ભક્તિવડે ભાવિત (વ્યાસ) મનવાળા તે રાજા ચેાગ્ય સ્થાને બેઠા. આ અવસરે જિનેશ્વરે સર્વ ભાષાને અનુસરનારી વાણીવર્ડ જંતુઓના પ્રતિમાને માટે શ્રેષ્ઠ ધર્મદેશના આપી, કે—“ હું ભવ્ય પ્રાણીઓ ! અહીં જિનેશ્વરની પૂજા અને નમસ્કારને વિષે તથા અપૂર્વ (નવા ) પાઠના શ્રવણુને વિષે નિરંતર અપ્રમાદ કરવા. જે પુણ્યાત્મા જીવ ધર્મક્રિયાને વિષે અપ્રમાદી રહે છે તેની આપદા પણ શૂરની જેમ સુખને માટે થાય છે. ” આ અવસરે જિનેશ્વરને નમીને ગણધરે વિનતિ કરી કે—“ હે પ્રભુ ! ધર્માંને વિષે જે અપ્રમાદી થયા, તે શૂર નામના પુરુષ કાણુ છે ?” ત્યારે જિનેશ્વર ખેલ્યા કે—“ હું ભદ્ર ! જો તારે સાંભળવાનુ કૌતુક હાય તા મારાવડે સારી રીતે કહેવાતી તે કથા તુ સાંભળ. આ જમ્દ્વીપના મધ્ય ખંડમાં ભરતક્ષેત્રને વિષે નગરના ગુણૢાવર્ડ સહિત ક્ષિતિપ્રતિષ્ઠિત નામનું નગર છે. તે નગરને સર્વ સામતાવડે વઢાયેલા આ લેાકાના રક્ષણમાં એક રસવાળા વીરસેન નામનેા રાજા પાલન કરતા હતા. તેને પૃથ્વી પર આવેલી જાણે દેવી હોય તેવી ધારિણી નામની દેવી ( રાણી ) હતી. તેણીએ એક વખત સ્વપ્નમાં આગળ જતા સુરૈશ્વર જોયા. તેણીએ તે સ્વપ્ન પતિને કહ્યું. તે ખેલ્યા કે–“તારે પુત્ર થશે. અને ચાલતા ઇંદ્રને જોવાથી તે પણ કાંઇક ચલાચલ ચપળ )થશે. ’” પછી સમયે પુત્ર જન્મ્યા અને નામ પાડવાને દિવસે સ્વપ્નને અનુસારે તેવુ. દેવરાજ એવું નામ પાડ્યુ. તે વૃદ્ધિ પામતા હતા ત્યારે પણ કાઇક વખત રાણીએ સ્વપ્નમાં શંખની જેવા ઉજ્વળ, પુષ્ટ શરીરવાળા અને પેાતાના ઉત્સંગમાં રહેલા એક વૃષભને જોયા. તે સ્વપ્ન કહ્યું ત્યારે રાજાએ કહ્યું કે—“ હું દેવી ! તારે માટી ભુજાવાળા અને રાજ્યના ભાર ઉપાડવામાં રધર પુત્ર થશે.” પછી સમયે ઉત્પન્ન થયેલા તેનું પણ રાજાએ સ્વપ્નને અનુસારે વત્સરાજ એવું શ્રેષ્ઠ નામ કર્યું. ક્રમે કરીને વૃદ્ધિ પામતા તે આઠ વર્ષના થયા, ત્યારે કલાચાર્યની પાસે ૧. જેનાથી મનુષ્ય સતેષ પામે તે ૧૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005224
Book TitleShantinath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitprabhacharya
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy