SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૨૮ ] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. પછી સંસારરૂપી વનમાં ભમીને આ જ ભરતાર્ધમાં અષ્ટાપદ પર્વતના મૂળમાં તે તાપસને પુત્ર થયે. તે બાળતપ કરીને તથા મરીને ઈશાનદેવલેકમાં આ સુરૂપ નામને દેવ થયે. તે વખતે છે મારી પ્રશંસા કરી. તે પ્રશંસાની શ્રદ્ધા નહીં કરતે તે અહીં આવ્યું. ત્યારપછી જે થયું, તે સર્વ હે સભાસદો! તમે પ્રત્યક્ષ જ જાણે છે. ” પછી પિતાનું વૃત્તાંત અને દેવનું વૃત્તાંત સાંભળીને તે બંને પક્ષીઓ જતિ સ્મરણને પામ્યા, અને પિતાની વાણીવડે આ પ્રમાણે બોલ્યા, કે-“હે સ્વામી! આ પિતાનું ચરિત્ર સાંભળીને અમારા ચિત્તમાં અતિ માટે સંવેગ થયે છે, તેથી જે કરવા લાયક હોય તે તમે કહો.” રાજાએ કહ્યું કે-“હે મહાશયો! સમ્યગ્દષ્ટિને પામીને ભાવથી પાપનો નાશ કરનારા અનશનને કરો.” ત્યારે તે ધન્ય પક્ષીઓ અનશન કરીને પંચ નમસ્કારનું સ્મરણ કરતા મરણ પામીને ભુવનવાસીને વિષે દેવ તરીકે ઉત્પન્ન થયા. પછી વિધિવડે તે પૌષધ પારીને તથા પારણું કરીને તે બુદ્ધિમાન મેઘરથ રાજા ફરીથી પણ બેગ ભેગવવા લાગ્યા. પરીષહ અને ઉપસર્ગોથી ભય નહીં પામેલ અને સંવેગથી વાસિત ( યુક્ત) થયેલ તે એક દિવસ અઠ્ઠમ ભક્તવડે પ્રતિમા ધારણ કરીને સ્થિર રહ્યો. તે અવસરે અઠ્ઠાવીસ લાખ વિમાનના અધિપતિ ઈશાને ભક્તિના વશથી કહ્યું, કે-“માહા"વડે સમગ્ર ત્રણ લોકને જીતનારા અને પાપ રહિત હે મહાસત્ત્વવાળા ! તમે અરિહંત થવાના છે તેવા તમને નમસ્કાર છે, નમસ્કાર છે.” તે સાંભળીને પાસે રહેલી તેની પ્રિયાઓએ આ પ્રમાણે પૂછયું, કે-“હે સ્વામી ! હમણાં તમે કોને નમસ્કાર કર્યો?” તે બોલે કે-“શૈલોક્યસુંદરી ! તું સાંભળ-પૃથ્વીમંડળ ઉપર પુંડરીકિશું નગરીમાં મેઘરથ નામને રાજા છે, તેણે અઠ્ઠમ તપની ક્રિયા કરી છે, સ્થિર પ્રતિમાએ રહ્યો છે, અને શુભ ધ્યાનમાં વતે છે, તેને મેં ભક્તિથી નમસ્કાર કર્યો છે. ધર્મને વિષે તન્મય મનવાળા તેને આવા પ્રકારના શુભ ધ્યાનથી ચળાવવાને ઇંદ્ર સહિત પણ દે શક્તિમાન નથી.” આ પ્રમાણે સાંભળીને સુરૂપ અને અતિરૂપા નામની તેની બે દેવીએ તે રાજાને ક્ષોભ પમાડવા માટે તેની સમીપે આવી. ઉત્કૃષ્ટ રૂપ, લાવણ્ય અને કાંતિવડે યુક્ત, વિલાસ કરીને સહિત અને સારા શૃંગાર વાળી તે બને તેની આગળ થઈને આ પ્રમાણે બોલી, કે-“હે સ્વામી ! અમે દેવાંગના તમારે વિષે નેહથી દેહ પામેલી હોવાથી અહીં આવી છીએ, તેથી હે પ્રિય ! અમારી ઈચ્છાને તું પૂર્ણ કર. દેવેના અધિપતિ અને અમને આધીન પિતાના પતિને મૂકીને, તારા રૂપ, ગુણ અને યોવનવડે લુબ્ધ થયેલી અમે અહીં આવી છીએ.” ઈત્યાદિ રાગ (પ્રીતિ) ઉત્પન્ન કરવામાં મનહર તેમના વચનવડે તથા વિવિધ પ્રકારના હાવભાવવડે તેનું મન ક્ષોભ પામ્યું નહીં. આ પ્રમાણે આખી રાત્રિ અનુકૂળ ઉપસર્ગો કરીને શાંત થયેલા વિકારવાળી તે બને દેવીઓએ આ પ્રમાણે તેની સ્તુતિ કરી કે-“હે સુંદર ! રાગ રહિત છતાં પણ તેં અમારું હૃદય રાગવાળું કર્યું, તેથી આ રાગમાં નાંખ્યા છતાં પણ તું રાગી થયે નહીં, તે અહે! આશ્ચર્ય છે. અમારી આવી વિપરીત ચેષ્ટાવડે લોઢામય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005224
Book TitleShantinath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitprabhacharya
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy