SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચમે પ્રસ્તાવ-મેઘથે કહેલ દેવ સાથેને પિતાને પૂર્વભવ. [ ૧૨૭ ] છે, કેમકે શુદ્ધ કાયાવાળ પક્ષીનો આટલો બધો ભાર ન હોય.” પરોપકાર કરવામાં રસિક અને સરલ આશયવાળા આ રાજાએ જ્ઞાનવાન છતાં પણ તેવા પ્રકારનો ઉપયોગ આપે નહીં. અને તેણે આ પ્રમાણે વિચાર્યું કે-“અંગીકાર કરેલા શુભ કાર્યને જેઓ નિર્વાહ કરે છે, તેઓ આ પૃથ્વીતળને વિષે ધન્ય છે. આ સર્વ પણ પરિવાર ચલાયમાન નેહવાળા અને સ્વાર્થમાં લુબ્ધ છે, તથા કૃતજ્ઞ અને અશુચિના ઘરરૂપ આ શરીર પણ નાશવંત છે. આ બન્નેની અપેક્ષાવડે હું સ્વાર્થને બંશ(નાશ) કેમ કરું? અહા ! મારી પ્રતિજ્ઞા હું પૂર્ણ કરીશ. જે થવાનું હોય તે થાઓ.” આ અવસરે ચલાયમાન સુવર્ણના કુંડલવડે શોભતા કર્ણવાળો અને મુગટ, હાર તથા કટક( કડા)ને ધારણ કરનાર કઈ શ્રેષ્ઠ દેવ પ્રગટ થઈને આ પ્રમાણે બોલ્યા, કે-“ હે રાજા ! તું ધન્ય છે. હે ધીર! હે દયાવીર ! તારે જન્મ અને જીવિત સફળ છે કે જેથી આજે 'વિસ્મય પામેલા ઈશાને સભાને વિષે ચંદ્રના કિરણે જેવા નિર્મળ તારા ગુણસમૂહની પ્રશંસા કરી. તેની શ્રદ્ધા નહીં કરતો હું તારી પરીક્ષા કરવા માટે અહીં આવ્યું, અને પૂર્વના સરવાળા આ બે પક્ષીઓને મેં અધિષિત કર્યા (તેમાં હું પેઠે). ” પછી રાજાએ પૂછયું કે-“હે દેવ! આ બે પક્ષીનું વેર કેમ થયું? તે તમે કહો, કેમકે અમને મોટું કૌતુક વર્તે છે.” ત્યારે દેવે કહ્યું કે પહેલાં આ જ નગરમાં સાગરદત્ત નામને વણિક હતું, અને તેને વિજયસેના નામની પ્રિયા હતી. તેમને યુગલપણે ઉત્પન્ન થયેલા ધન અને નંદન નામના બે પુત્ર વાણિજ્યકળાવડે યુક્ત હતા. એક વખત પિતાની અનુજ્ઞા લઈને સાર્થ સહિત તે બન્ને વેપાર માટે નાગપુર નામના નગરમાં ગયા. વેપારને કરતા તેમણે કોઈ પણ પ્રકારે દેવગથી મોટા મૂલ્યવાળું એક રન ઉપાર્જન કર્યું. ત્યારે તેના લેભથી પરસ્પર હણવાની ઈચ્છાવાળા તે બને એક દિવસ નદીમાં સ્નાન કરતા આ પ્રમાણે વિવાદ કરવા લાગ્યા. કે-“મેં જ આ મનોહર રત્ન ઉપાર્જન કર્યું છે.” એમ એક બે , બીજે કે-“મેં ઉપાર્જન કર્યું છે. તું ફેગટ લેભ કરે છે.” આ પ્રમાણે ક્રોધવડે વ્યાસ અને રાતા નેત્રવાળા તે બને પરસ્પર યુદ્ધ કરીને નદીના જળમાં પડ્યા, અને આર્તધ્યાનવડે મરણ પામ્યા અને તે બને વનને વિષે પક્ષી થયા. પછી હમણાં તેઓ મળ્યા, અને કલહ કરવા લાગ્યાં, તે વખતે હે રાજા ! મેં તેમને અધિષિત કર્યા.” એમ કહીને તે દેવ સ્વર્ગમાં ગયો. પછી વિસ્મય પામેલા સભાસદોએ મેઘરથ રાજાને પૂછયું, કે-“હે નરનાથ! આ દેવ કોણ છે? કે જેણે નિરપરાધી તમને ઘણા પ્રકારની માયા કરીને પ્રાણુના સંશયમાં પાડ્યા?” ત્યારે મેઘરથ રાજા બેલ્યો કે-“જે તમને કોતક હેય, તે સાવધાન થઈને મારું વચન સાંભળે. આ ભવની પૂર્વના પાંચમા ભાવમાં હું અનંતવીર્યને મોટે ભાઈ અપરાજિત નામને બળદેવ હતું. તે વખતે મહાભુજાવાળો દમિતારિ અમારે શત્રુ હતો. તેની પુત્રીનું હરણ કરીને અમે તેને મારી નાંખ્યું હતું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005224
Book TitleShantinath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitprabhacharya
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy