SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૨૬ ]. શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. ગયું. તે પાણી ખૂટી જવાથી સર્વે જળજંતુઓ નાશ પામ્યા, તેથી તે સપને તેના આહારની વૃત્તિને છેદ થયે. પરંતુ ગંગદર લેક શેષ રહેલા પંકવડે આહાર કરતે જીવતે રહ્યો. એક વખત એકાંતમાં રહેલા તેને તે સપે આ પ્રમાણે કહ્યું, કે-“હે ભદ્ર! અત્યંત ક્ષુધા પામેલે હું તારી જાતિનું ભક્ષણ કરતા હતા, તે તે અનાવૃષ્ટિના દેષથી નાશ પામી; તેથી શું કરું? ” ત્યારે તેણે વિચાર્યું કે-“આ કર મને મારવા ઈ છે છે. તેથી કાંઈક ઉપાય કરીને આનાથી મારા આત્માનું રક્ષણ કરું.” એમ વિચારીને તે બો કે-“હે સ્વામી! સિંધુ દ્રહાદિકમાં જઈને પોતાની જાતિવાળાને લભ પમાડીને હું તમારે માટે તેમને અહીં લાવીશ. ચિત્રલેખા પિતાના ચંચુપુટવડે મને ત્યાં લઈ જશે, તેથી હંમેશાં તમારી મોટી પ્રાણયાત્રા થશે.” પછી તે કાર્યને માટે તેણે આદેશ કરેલી તે પક્ષિણીએ ચંચુવડે કરીને તેને લઈ જઈને કેઈ મોટા દ્રહમાં મૂકો. જળને વિષે પડેલો તે સુખનું સ્થાન થયે. તેના અભિપ્રાયને નહીં જાણતી ચિત્રલેખાએ તેને કહ્યું, કે-“હે ભદ્ર! તું પિતાનું વાંછિત કરીને શીવ્ર આવ, કેમકે કgવડે તે વતે છે.” ત્યારે તેણે તેને આ પ્રમાણે કહ્યું, કે-“હે ભદ્ર! તું પ્રિયદર્શનને કહેજે કે-હવે ગંગદત્ત ફરીથી કૂવામાં આવશે નહીં. ભૂખે પ્રાણ શું કામ નથી કરતો ? ક્ષીણ થયેલા માણસે નિર્દય હાય છે.” આ પ્રમાણે પોતાનું ચિંતવેલું તેને કહીને ફરીથી તે બોલ્યો કે-“તારે પણ કઈ પ્રકારે તેને વિશ્વાસ કરે નહીં.” આ પ્રમાણે છે રાજા ! ક્ષુધાથી પીડા પામેલે હું કૃત્ય અકૃત્યને જાણતો નથી, જેટલામાં મારા પ્રાણ જાય નહીં તેટલામાં મને તમે પ્રસન્ન કરે.” આ પ્રમાણે સ્પેને કહ્યું ત્યારે રાજા બોલ્યો કે-“હે ભદ્ર! જે તું ક્ષુધાવાળો હોય, તે હું તને શ્રેષ્ઠ આહાર આપું” પક્ષી બોલે કે-“માંસ વિના બીજે આહાર મને ઈષ્ટ નથી. ” ત્યારે “તે પણ હું મટન મારકીટમાંથી લાવીને તને આપીશ” એમ રાજાએ કહ્યું ત્યારે “મારા દેખતાં પ્રાણીનું માંસ છેદીને જે મને અપાય, તે મને તૃપ્તિ થાય.” એમ ફરીથી તે પક્ષી બોલ્યો. રાજાએ કહ્યું કે-“તુલામાં ધારણ કરેલ આ પક્ષી જેટલાં માનવાળો થાય, તેટલા પ્રમાણુવાળું મારું માંસ આપું તે કેમ? તે તું કહે.” ત્યારે “ભલે. એમ છે. ” એમ તે બે ત્યારે રાજાએ તુલા મંગાવી. તેમાં એક બાજુએ તે પારાપત પક્ષીને રાખે, અને બીજી બાજુએ કરુણરસન સાગરરૂપ તે રાજા તીક્ષણ છરીવડે પિતાના શરીરને છેદી છેદીને માંસ નાંખવા લાગે. જેમ જેમ તે પિતાના માંસને છેદીને નાંખવા લાગે, તેમ તેમ તે પારાપત અતિ અધિક વધવા લાગ્યો. મોટા ભારવાળા તે પક્ષીને જાણીને સાહસિકમાં અગ્રેસર તે રાજા પોતે જ તે તુલા ઉપર ચડ્યો. તુલા ઉપર ચડેલા રાજાને જોઈને સર્વ પણ પરિવાર હાહાકારને કરતો ખેદ સહિત આ પ્રમાણે બ, કે-“હા નાથ ! આ જીવિતના ત્યાગનું સાહસ કેમ કરો છો ? આ એક પક્ષીને માટે અમારા સર્વની અવગણના કેમ કરે છે ? હે પ્રભુ! આ કાંઈક ઉત્પાતવાળું સંભવે ૧ત્રાજવામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005224
Book TitleShantinath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitprabhacharya
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy