________________
પાંચમે પ્રસ્તાવ : સ્પેન પક્ષીને મેઘથે જીવ દયા માટે પિતાના શરીરનું આપેલું માંસ. [૧૨૫]
ગતિને પામે છે. માર્દવ અને આવવડે યુક્ત, દેષ અને કષાય રહિત, ન્યાયવાન તથા ગુણગ્રાહી જીવ મનુષ્ય ગતિને ભજનાર થાય છે.” ફરીથી રાજાએ પૂછયું કે-“તે વાવ મનુષ્યની ભાષાવાળ કેમ થયો? કે જેણે હે પ્રભુ! નિષાદને મારવાથી મને બળાત્કારે નિવાર્યો?” ફરીથી આચાર્ય બોલ્યા કે-“હે રાજા ! તેનું કારણ સાંભળ-સૌધર્મ દેવકને વિષે ઇદ્રને સામાનિક દેવ છે. તેની પ્રાપ્રિયા દેવી ચવીને કઈક ઠેકાણે મનુષ્ય થઈ છે. તેણીના રક્ષપાળ દેએ તેણીના પતિ દેવને પૂછયું, કે-“હે સ્વામી ! આ વિમાનમાં કેણ દેવી થશે? અથવા નહીં થાય?” ત્યારે તેણે તેઓને કહ્યું કે “તે વાનરી દેવતા થશે.” તેની પરીક્ષા કરવા માટે એક દેવ તેમના રૂપને ધારણ કરનાર થઈને અહીં આવે, તેથી હે રાજા ! તેની મનુષ્યના જેવી શ્રેષ્ઠ વાણી થઈ. વાનરી અને નિષાદની સાથે તથા માયા મૃગાલરૂપ અનુચરની સાથે તેણે ઘણા પ્રકારે વિવાદ કર્યો. ” ત્યારે પ્રતિબંધ પામેલે રાજા પિતાના પુત્રને રાજ્યને વિષે સ્થાપન કરીને તે જ મુનીશ્વરની પાસે મહાવ્રતવાળો થયે. તે હરિપાળ નામના રાજર્ષિ ચિરકાળ સુધી વતને પાળીને તે જ દેવલોકને વિષે મોટી દેવલક્ષમીને પાપે.
જેમ જીવહિંસાવડે આ નિષાદ નરકને પાયે, તેમ બીજે પણ તે થાય, તેથી આ જીવહિંસા સર્વથા તારે તજવી. ” આવું મેઘરથનું વચન સાંભળીને તે યેન પક્ષી બો કે-“હે રાજા ! જેથી કરીને તમે સુખી છે, તેથી કરીને ધર્મ અને અધર્મને આ વિચાર કરી છે. મારાથી ભય પામેલે આ પારાપત તમારે શરણે આવ્યો છે, તે ક્ષુધારૂપી રાક્ષસોવડે ગળાયેલે હું કોના શરણને આશ્રય કરું? હે રાજા! તમે પુરુષ છે, તમે કેઈના પણ દુઃખને ઈચ્છતા નથી, તે હે કૃપાશ્ર! આની જેમ મારું પણ તમે રક્ષણ કરો, રક્ષણ કરો. તમે પોતે કૃત્ય અને અકૃત્યને જાણે છે. પરંતુ હું તમને એક જ કહું છું કે-મારી જેવા ભૂખ્યા અને શુદ્રને વિષે કેવી ધર્મની વાસના હોય? વિવેક, લજજા, દયા, ધર્મ, વિદ્યા, નેહ, સૌમ્યતા અને સત્વ(પરાક્રમ) આ સુધાથી પીડા પામેલાને હતા જ નથી. અંગીકાર કરેલું પણ પ્રાયે કરીને સુધાથી પીડા પામેલા ત્યાગ કરે છે. આ બાબતમાં હે પ્રભુ ! નીતિશાસ્ત્રમાં કહેલું દષ્ટાંત સાંભળો. કરીના(કેરડાના) વનવડે વ્યાસ અને જળ રહિત મરુદેશને વિષે કોઈક કુવામાં પ્રિયદર્શન નામને સર્પ રહેતો હતો. જળની પાસે રહેલા બિલની અંદર સુખે કરીને રહેતો તે સર્વદા ભેક(દેડકા) વિગેરે જળ તુવડે આહાર કરતો હતો. સુખેથી તેની પ્રાપ્તિને માટે તેમાંથી એક ગંગદત્ત નામના ભેકની સાથે તેણે મિત્રતા કરી હતી. બીજા કૂવામાં કરેલા નિવાસવાળી ચિત્રલેખા નામની મધુર શબ્દવાળી તે સર્ષની વલ્લભા હતી. એ પ્રમાણે કેટલેક કાળ ગયા પછી કેઈક વખત બાર વર્ષ સુધી અનાવૃષ્ટિ થઈ, તેથી તે કૂવામાં પાણી ખૂટી
૧. વૃદ્ધિને અભાવ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org