________________
[ ૧૨૪ ].
શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર.
11.
આજે મારે સર્વ પણ વ્યાપાર નિરર્થક થયે. ખાલી જ કેમ ઘેર જઈશ?” આ પ્રમાણે વિચારીને તે અધમ પુરુષે તે જ વાનરીને લાકડી વડે મારીને હણી નાંખી. પછી કાવડમાં નાંખીને લઈ જવાતી તેણીને જોઈને તે વાઘ પ્રગટ થઈને બે કે-“અરે! આ તેં શું કર્યું? હે પાપી! ચિરકાળ સુધી જેણીએ પુત્રની જેમ તારું પાલન કર્યું અને લાલન કર્યું, તેને ઘાત કરનાર! તારા બંને હાથ કેમ તૂટી ગયા નહીં? હે પાપિષ્ટ ! હે અધમ ! હે અજ્ઞાની ! હે કૃતન ! હે અભવી ! હે દુર્મતિ! તું જતું રહે. મારે પણ તું વધ કરવા લાયક નથી, તારું મુખ કેમ જેવાય?” પછી તે નિષાદ ઘેર આવ્યું. તેનું વૃત્તાંત શરૂઆતથી જાણીને રાજાએ આજ્ઞા કરી કે “ઢ બંધનવડે આને બાંધીને મારી નાંખવો.” રાજાએ આદેશ કરેલા માણસો જેટલામાં તેને વધભૂમિ ઉપર લઈ ગયા, તેટલામાં વાઘ બો કે–“અહો! આને માટે નથી.” ત્યારે વિસ્મય પામેલા તેઓએ તે વાત રાજાને કહી, ત્યારે કૌતુકથી ઉસુક મનવાળો રાજા પણ પિતે ત્યાં આવ્યો. આ વાઘ તે જ પ્રમાણે છે કે-“હે રાજા! આ પાપીને વધ કરવાથી તું પણ તેના પાપના અમુક અંશને હરણ કરનાર (ભાગીદાર) ન થા. પાપી પ્રાણીઓ પોતે જ વિપત્તિમાં પડે છે જ. જેમ ભરેલે કળશ પાણીમાં તરત જ ડુબે છે.” રાજા બોલ્યા કે-“હે વાવ! તિર્યંચ જાતિવાળા પણ તારી આવી ઉત્કૃષ્ટ મનુષ્ય ભાષા કેમ છે? તથા આવું વિવેકીપણું કમ છે ? ” વ્યાધ્ર પણ આ પ્રમાણે બોલ્યા કે-“ આ ઉદ્યાનમાં વિશેષ જ્ઞાન કરીને યુક્ત સૂરિ છે તે સર્વ કહેશે.” એમ કહીને તે ગયે. પછી રાજાએ જેમ ઈ સંગમ દેવને કાઢી મૂક્યો હતો તેમ તે નિષાદને નગરમાંથી કાઢી મૂક્યો. પછી વનખંડની અંદર પિતાની આગળ( સમીપ ) રાજાએ ઘણા તપોધન( સાધુ )વડે પરિવરેલા સૂરિને દેખ્યા. ગુરુના પાદરે નમીને તથા મોટાના અનુક્રમે સર્વ મુનિઓને નમીને અને ગુરુની પાસે બેસીને બે હાથ જોડીને તેણે આ પ્રમાણે પૂછયું, કે-“હે પ્રભુ! તમે નિર્મળ જ્ઞાનરૂપી ચક્ષુવડે સર્વ જાણે છે, તેથી પૂછું છું કે-તે વાનરી મારીને કઈ ગતિમાં ગઈ?” ગુરુ બેલ્યા કે “હે રાજા ! હંસની જેવા વેત(ઉવળ) આશયવાળી, ધન્ય અને ધર્મધ્યાનમાં તત્પર રહેલી તે દેવલોકમાં ગઈ છે, કેમકે તપ, સંયમ, દાન અને ઉપકારને વિષે નિરંતર તત્પર થયેલે, ગુરુના વચનની રુચિવાળો અને દયાળુ જીવ સ્વર્ગમાં જાય છે.” ફરીથી રાજાએ પૂછયું કે-“મોટું પાપ કરવામાં તત્પર તથા જાતિ અને ક્રિયાવડે પણ નિષાદ નામને તે કઈ ગતિમાં જશે?” સૂરિ બોલ્યા કે-“આ વાત સર્વને પણ પ્રગટ છે કે–આ પાપીનું સ્થાન નરક વિના બીજું શું હોય? જીવહિંસા, મૃષાવાદ, ચેરી, પરસ્ત્રીસેવન, પરિગ્રહ, કષાય અને વિષયવડે વ્યાપ્ત થયેલ કૃતજ્ઞ, નિર્દય, પાપી, પરને દ્રોહ કરનાર, રોદ્ર-ધ્યાનમાં તત્પર અને ક્રૂર મનુષ્ય નરકને ભજનાર થાય છે. પ્રસ્તાવથી બીજી બે ગતિનું લક્ષણ પણ સાંભળ-ચાડી, પશુની જેવી બુદ્ધિવાળો અને મિત્રની ઉપર સદા શઠતા કરનાર આ જીવ આર્તધ્યાનવડે તિર્યંચ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org