________________
પાંચમે પ્રસ્તાવઃ અતિ ઉપકારી વાનરીના બચ્ચાનું નિષાદે કરેલું ભક્ષણ.
[ ૧૨૩ ]
પાણીથી ભરેલું સરેવર પણ દેખાડયું. પછી ફળને ખાઈને તથા સ્વાદિષ્ટ પાણી પીને તે રાજા જેવામાં મનની મોટી પ્રીતિને પામ્ય, તેવામાં મંત્રી, સામત, અશ્વ અને હાથીવડે સહિત તેનું સૈન્ય આવ્યું. પછી કૃતજ્ઞ તે રાજા તે વાનરને પિતાના નગરમાં લઈ ગયો. ત્યાં તે વાનરે રાજાની આજ્ઞાથી મોદકાદિક પકવાન્ન તથા કેળ અને આમ્ર વિગેરેના ફળો વારંવાર ખાધા. તેના તે ઉપકારનું સમરણ કરતા તે રાજાએ હંમેશાં તેને પિતાની પાસે રાખે, કેમકે પુરુષની આવી જ પ્રકૃતિ હોય છે. પછી એક વખત વસંત જતુ આજે ત્યારે ચિત્તવડે શોભતા કામી પુરુષોને મનહર અને કામી પુરુષને ઇષ્ટ તથા પુષ્પ અને ફળેએ કરીને વ્યાપ્ત વનને વિષે આંદોલન અને જળક્રીડાદિક કરીને તે રાજા શ્રમનો નાશ કરવા માટે તે વાનરને અંગરક્ષક તરીકે રાખીને કદલીગ્રહમાં સૂતે. તે વખતે પોતાના આત્માને સ્વામીના ભક્ત માનતા તે કુબુદ્ધિવાળા વાનરે ભમરાના મિષથી ખવડે રાજાની કંધરા કાપી નાંખી. જેમ તે રાજાએ હિતકારક પણ વાનરથી મરણ પ્રાપ્ત કર્યું, તેમ આ પણ તારા કલ્યાણને માટે નથી.” આ કથા સાંભળીને તે શિકારીએ તત્કાળ તે વાનરીને તે વાઘની પાસે નાંખી. ત્યારે તે વાઘે તેને કહ્યું, કે-“હે ભદ્ર ! તારે હદયમાં દુઃખ ધારણ કરવું નહીં, કેમકે જેવા પ્રકારના પુરુષની સેવા કરી છે, તેવા પ્રકારના ફળની પ્રાપ્તિ તને પ્રાપ્ત થઈ છે.” ત્યારે ઉત્પન્ન થયેલી સારી બુદ્ધિવાળા તેણુએ પિતાની સંજ્ઞાવડે તે વાઘને કહ્યું કે “તારે મારું રક્ષણ કરવું નહીં, કેવળ મારું ભક્ષણ જ કરવું. હે મૃગાધિપ(વાઘ) ! હું તને આ હિતકારક વચન કહું છું કે-“વાંદરાના પ્રાણ પુંછડામાં રહે છે, તેથી તારે તેનું ભક્ષણ કરવું.”
ત્યારે તત્કાળ વાઘે તે જ પ્રમાણે કર્યું. તે વખતે પોતાનું પુંછડું તેના મુખમાં મૂકીને તરત જ તે વાનરી પણ વૃક્ષ ઉપર ચડી ગઈ. ત્યારે વિલખા મુખવાળ વાઘ પાછા વળીને અદશ્યપણાને પામ્યું. પછી નિષાદ સહિત તે વાનરી તે વૃક્ષ ઉપરથી નીચે ઉતરી. તે આગળ થઈને (ચાલીને) લતાના આશ્રયવાળા પોતાના આવાસમાં તેને લઈ ગઈ. ત્યાં તેણીના બાળકે હતા, તેઓની પાસે તેને રાખીને તેનું સ્વાગત કરવા માટે આળસરહિતપણુવડે શેભતી તે સ્વાદિષ્ટ ફળ લાવવા માટે વનને વિષે ગઈ. હણવાની ઈચ્છાવાળો તે નિષાદ તેણીના તે બાળકોને પણ ખાઈ ગયે, કેમકે દુરાત્માઓને કૃત્ય અને અકૃત્યનું જ્ઞાન કયાંથી હોય? એટલામાં તે વાનરી સ્વાદિષ્ટ ફળો લઈને આવી, તેટલામાં તે નિષાદને સુતેલે છે, અને તે બાળકને જોયા નહીં. તે પણ નવડે તેને ઉઠાડીને તથા તેને ફળ આપીને બાળકોની શોધ કરવા માટે તેની સાથે ચાલી. પહેલાં પોતાને વૃક્ષ ઉપરથી પાડી હતી તે પણ તથા બાળકને ખાધા તે પણ ગર્વને પામેલા તેને વિષે તેણીએ શંકા કરી નહીં. ખેરવડે અત્યંત વ્યાકુળ થયેલા નિષાદે પણ ચિત્તમાં વિચાર્યું કે-“અહો!
- - હીંચકાવીળા ખાવા તે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org