SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૨૨ ] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. જે કહ્યું, તે સર્વ કબૂલ કર્યું. ત્યારે વિશ્વાસ પામેલા રાજાએ તે બ્રાહ્મણને મુક્ત કર્યો. બ્રાહમણને મૂકેલ જોઈને તે સર્ષ ગૌરવથી વ્યાપ્ત પિતાના વિષને દંશના છેવાથી હરણ કર્યું. તે વખતે તે રાજપુત્રી કૌમુદીની જેમ ઉદય પામી, તે વખતે સર્વ રાજલેક ખુશી થયે. તે બ્રાહ્મણની પાસે માંત્રિકે કહ્યું કે “આ સર્વે જ તને જીવિત દાન આપ્યું છે.” બ્રાહ્મણ બે કે-“અહો! આ જગતમાં પ્રાણીઓનું ચરિત્ર રમણીય છે, કે જેથી ક્રૂર પ્રાણીઓ કૃતજ્ઞપણને ધારણ કરે છે, અને બીજા (મારા) પ્રાણુઓ કૃતઘપણને ધારણ કરે છે. આ પ્રાણીઓની પૃથ્વી હંમેશાં તે બે જ પુરુષને ધારણ કરો. એક તો જેની મતિ ઉપકારને વિષે હાય, અને બીજે જે ઉપકારને હરે (ભૂલે) નહીં.” ત્યારે વિસ્મયથી રાજાએ પૂછેલા તેણે પ્રવાસથી આરંભીને બંધન પર્યત પિતાની કથા કહી. તથા ફરીથી બોલ્યા કે-“હે મોટા રાજા ! આ જગતમાં સર્વ પ્રાણીઓને સુખ દુઃખ કરવામાં (આપવામાં) એક યમરાજા જ કુશળ છે.” પછી તેની કથા સાંભળવાથી અતિ તુષ્ટમાન થયેલા રાજાએ તે શિવસ્વામીને મોટા દેશને સ્વામી કર્યો. કૃતજ્ઞને વિષે શિરોમણિ(મુગટ)રૂપ તે શિવસ્વામીએ પિતાના દેશમાં નાગપૂજા કરવા માટે નાગપંચમી પ્રવર્તાવી.” આ કથા કહીને ફરીથી વાઘ આ પ્રમાણે બોલ્યા કે-“હે વાનરી! જેમ તે સરળ બ્રાહ્મણ સુવર્ણકારથી વિપદા પાયે, તેમ જ આ નિષાદ તારે મોટો અનર્થ કરશે, તેથી આ મારા ભેજનને તું છોડી દે.” આ પ્રમાણે કહા છતાં પણ સારી પ્રકૃતિઓવાળી તે વાનરીએ એટલામાં તેને મૂળે નહીં, તેટલામાં તે વાઘ તે વૃક્ષની નીચે બેઠો. અને આ પ્રમાણે તેણે વિચાર્યું કે-“અહો! યોગીને પણ જે બુદ્ધિ દુર્લભ છે, તે મિત્રી આદિક બુદ્ધિ તિર્યચેના ચિત્તમાં પણ દેખાય છે.” પછી દુષ્ટ, દુરાત્મા અને જાગેલા તે નિષાદના ખેાળામાં પિતાનું મસ્તક સ્થાપન કરીને તે વાનરી પણ સૂતી. વાધે પણુ પાસે આવીને તે નિષાદને કહ્યું કે- આ વાનરીવડે મને મિત્ર કરીને તે સર્વથા નિર્ભય થા. સાત દિવસથી ભૂખ્યા એવા મને આ વાનરી આપ. જે નહીં આપે, તે ઘણું કાળે પણ તું તારે ઘેર જઈશ નહીં. વળી આને સંગ તારા શુભ પરિણામ માટે નથી જ, કેમકે વાનરાએ રાજાને હણ્યો હતો, તે તે પહેલાં શું નથી સાંભળ્યું ? આ બાબતમાં હે ભદ્ર ! તું સાંભળ. હું કથા કહું છું.” ત્યારે હર્ષ સહિત નિષાદ પણ બે કે“તું કહે. હું સાંભળું છું.” નાગપુર નામના નગરમાં રૂપવડે કામદેવને જીતનાર અને શત્રુરૂપી વાંસના સમૂહને બાળવામાં દાવાનળ જેવો પાવક નામને રાજા હતા. એક દિવસ શુકલ જાતિનો અશ્વ વનને વિષે વાહકેલિ (અશ્વક્રીડા) માટે તે રાજાને બળાત્કારે લઈ ગયો, અને લાંબા માર્ગ ઉ૯લંઘન કર્યો. તે વખતે તે વનમાં એકલા ભમતા તથા સુધા અને તૃષાથી પીડા પામતા તે રાજાને એક વાનર મળે. તેણે સુંદર ફળ લાવીને રાજાને આપ્યા અને સ્વચ્છ ૧. ચંદ્રષ્ના . ૨, વિપરીત શિક્ષાવાળા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005224
Book TitleShantinath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitprabhacharya
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy