________________
પાંચમા પ્રસ્તાવ–બ્રાહ્મણ પ્રત્યે સપનું ઉપકારપણું.
[ ૧૨૧ ]
,,
લઇ ગયા. લઈ જવાતા તે બ્રાહ્મણ ચિત્તમાં વિચારવા લાગ્યું કે અહે ! દેવના દાખવડે મારી કેવી દુર્દશા થઈ ? અહા ! દુષ્ટ અને ધૃષ્ટ( ધિઠ્ઠા ) સુવર્ણકારની કેવી કૃતઘ્નતા છે ? વ્યાઘ્ર તથા વાનરની કેવી કૃતજ્ઞતા છે ? તે તુ જો. ” પછી તેમના કહેલા વચનને અને પેાતાની અજ્ઞાનતાને સંભારીને પશ્ચાત્તાપથી તાપ પામેલા અંગવાળા તે એ શ્લોક મત્સ્યેા કે—“ વાઘ, વાનર અને સતુ વચન મેં માન્યું નહીં, તેથી હું વિનીત સુવર્ણ કારવડે નાશ કરાયા. વેશ્યા, પાસા, કૂતરા, ચેાર, જળ, બિલાડી, વાનર, અગ્નિ અને સુવર્ણ કાર આ કાઈ પણુ વખતે વિશ્વાસ કરવા લાયક નથી. આ પ્રમાણે વારંવાર તેનાવડે ખેલાતા Àાકને સાંભળીને ત્યાં રહેલા તે સર્પે તેને એાળખીને આ પ્રમાણે વિચાર્યું —“ અરેરે ! પહેલાં અરણ્યમાં જે મહાત્માએ અમને કૂવામાંથી ઉગાર્યા હતા, તે જ આ બ્રાહ્મણુ કષ્ટમાં પડ્યો છે. કહ્યું છે કે–ઉપકારી અને વિશ્વાસવાળા સારા જનને વિષે જે પાપનું આચરણ કરે છે, તે અસત્ય પ્રતિજ્ઞાવાળા મનુષ્યને હે ભગવતી પૃથ્વી ! તું કેમ ધારણ કરે છે ? આટલું પ્રાપ્ત થયા છતાં પણ હું કાંઇક ઉપાય કરીને મારી બુદ્ધિના વશથી શીઘ્રપણે આના ઉપકારના 'અનૃણુપણાને પામીશ. ” એમ વિચારીને તે સર્પ વાડીમાં જઈને સખીઓની સાથે ક્રીડા કરતી રાજપુત્રીને લતાના ગુચ્છાની અંદર રહીને કરહ્યો. તે વખતે આધાર વિનાની લતાની જેમ મૂતિ અંગવાળી તે પૃથ્વી ઉપર પડી. તરત જ પાકાર કરતી સખીઓએ તે વાત રાજાને કહી. વજ્રઘાતના જેવુ તે વચન સાંભળીને માટા શાકવર્ડ વ્યાકુલ અને અત્યંત પીડાવડે વ્યાપ્ત થયેલે તે રાજા એલ્યેા, કે—“ જેટલામાં હું એક દુ:ખના પારને પામ્યા નથી, તેટલામાં ખીજું દુ:ખ આવી પડ્યુ. અહા! છિદ્રને વિષે અનર્થ થાય છે. ” પછી રાજાએ મંત્ર અને તંત્ર જાણુનારાને મેલાવ્યા. તેની ચિકિત્સા આરભી. તેમાં એક માંત્રિક એલ્યે, કે-“હું રાજા ! મારું જ્ઞાન નિર્મળ છે, તેથી હું જાણું છું કે-જે આ બ્રાહ્મણને મારવામાં આવે છે, તેને તમે નિરપરાધી જાણેા. આણે પહેલાં વનમાં સર્પ, વાનર, વાઘ અને ચેાથા સુવર્ણકારને કૂવામાંથી ઉપય હતા, તે બ્રાહ્મણ અહીં આવ્યા છે, તેને વાનરે ફળાદિકવર્ડ પૂજ્યા છે, અને હું રાજા ! તેની પૂજાને માટે વાઘે તમારા પુત્રને હણ્યા છે. વાઘે આપેલા તે અલ કારને લઈને સફળ બુદ્ધિવાળા આ બ્રાહ્મણુ ઉપકાર કરેલા સુવર્ણ કારની પાસે આવ્યે. સુવર્ણ કારના કહેવાથી હે દેવ ! તમે હણવા માટે આદરથી આદેશ કર્યો. પછી માર્ગોમાં તેને તે સપે જોયા, તેથી તેને મુક્ત કરવા માટે તે તમારી પુત્રીને સ્યા છે. જો આ બ્રાહ્મણ મુક્ત થાય, તેા આ પુત્રી પણ જીવે.” ત્યારે “ આ બાબતમાં કાંઇ પ્રતીતિ છે ? ” એમ રાજાએ કહ્યું ત્યારે તે માંત્રિકે તે માટા સર્પને રહ્યાં ઉતાર્યો. તેણે પણ મંત્રવાદીએ
૧. દેવા રહિતપણાને. ૨. તે રાજપુત્રીને વિષે.
૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org