SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચમે। પ્રસ્તાવ : મેધરથ રાજાએ સિંહરથ વિદ્યાધરના કહેલ પૂર્વભવ. [ ૧૧૭ ] ઉપકાર કરનારા તે રાજાને નમીને, એ હાથ જોડીને તેમણે તેની સ્તુતિ કરી. પછી રાજાની અનુજ્ઞા લઇને તે અને પેાતાને સ્થાને ગયા. આ રાજાએ ચિર કાળ સુધી રાજલક્ષ્મીનુ પાલન કર્યું. પછી એક વખત લેાકાંતિક દેવાએ આવીને ધનરથ રાજાને “ તીથ પ્રવતોવા ” એમ કહીને દીક્ષાના સમય જણાત્મ્યા. ત્યારે વષીદાન દઇને તથા રાજ્ય ઉપર મેઘરથ પુત્રને સ્થાપન કરીને દેવેદ્રોવડે વઢાતા તેણે દીક્ષા ગ્રહણ કરી. પછી કેવળજ્ઞાન ઉત્પન્ન કરીને ભવ્ય થવાને પ્રતિખાધ કરતા શ્રીમાન ધનરથ જિનેશ્વરે પૃથ્વીપીઠ ઉપર વિહાર કર્યું. પછી એક દિવસ ઢરથ નામના યુવરાજવડે યુક્ત (સહિત) અને પ્રિયા સહિત મેઘરથ રાજા દેવરસણુ નામના ઉદ્યાનમાં ગયા. ત્યાં અશાક વૃક્ષના મૂળમાં (નીચે) તે રાજા બેઠા ત્યારે આગળ રહેલા કેટલાક જનાએ પ્રેક્ષણક(નાટક)ની ક્રિયા આરંભી. વિવિધ પ્રકારના શસ્રને ધારણ કરનારા, ચર્મના વસવાળા અને ભસ્મવર્ડ શાસિત તેઓએ એક ક્ષણુ વાર અતિ વિસ્મયને કરનારું નૃત્ય કર્યું. તેઓ ઘુઘરીઓને ધ્વજાવડે શેાભતા નૃત્યને કરતા હતા ત્યારે આકાશમાંથી એક વિમાન રાજાની પાસે આવ્યું. તેને વિષે સુંદર આકારવાળા સ્ત્રી-પુરુષના યુગલને જોઈને “આ એ કાણુ છે ? ” એમ દેવીએ રાજાને પૂછ્યું. રાજા આવ્યેા કે “ હે દેવી ! સાંભળ. વૈતાઢ્ય પર્વત ઉપર શ્રેષ્ઠ ઉત્તર શ્રેણિને વિષે અલકા નામની નગરી છે. તેમાં વિદ્રથ ખેચરેદ્રના પુત્ર માટી ભુજાવાળા આ સિંહરથ નામના સર્વ વિદ્યાધરાના સ્વામી છે. અને આ વેગવતી નામની તેની ભાર્યો છે. આની સાથે તે આ ધાતકી ખંડ દ્વીપને વિષે જિનેશ્વરને વાંદવા ગયા હતા, ત્યાંથી પાછા વળેલા તે હૈ પ્રિયા! જેટલામાં અહીં આન્યા, તેટલામાં તત્કાળ જ તેની ગતિના વિચ્છેદ થયા. ત્યારે મને જોઇને તેણે વિચાર્યું કે—“આ સામાન્ય રાજા નથી જ, કે જેના પ્રભાવથી મારા વિમાનની સ્ખલના થઈ.” પછી હૈ પ્રિયા ! હર્ષ પામેલા આણે અનેક ભૂતનાં રૂપા કરીને મારી પાસે પ્રેક્ષણક(નાટક)નું કૌતુક કર્યું.. ” ક્રીથી દેવીએ આ પ્રમાણે પૂછ્યું કે “હું નાથ! આણે પૂર્વ ભવે શું સુકૃત કર્યુ હતુ ? કે જેથી આવા પ્રકારની ઋદ્ધિ થઇ ? ” રાજાએ કહ્યું કે-“હે પ્રિયા! પહેલાં સંઘપુર નામના નગરમાં રાજગુસ નામના કાઇક કુલપુત્રક હતા. તેને શખિકા નામની ભાર્યો હતી. નિ તપણાએ કરીને પીડા પામેલા તે મને બીજાને ઘેર કામ કરીને પ્રાણવૃત્તિને કરતા હતા. પછી એક દિવસ કાઇ વિગેરે લાવવા માટે વનની અંદર ગયેલા તેમણે એક સાધુને જોઈને ભક્તિના વશથી નમસ્કાર કર્યો. તે સાધુએ જિનેશ્વર કહેલા ધર્મ તેમની પાસે કહ્યો. વિધિથી આરાધન કરેલા તે ધર્મ ચિંતામણિ અને કલ્પવૃક્ષની જેવા છે. તથા પૂર્વજન્મમાં ઉપાર્જન કરેલા પાપાના અંતને કરનાર ખત્રીશ કલ્યાણક નામના શ્રેષ્ઠ તપ કહ્યો. તેમાં એ અઠ્ઠમ અને ખત્રીશ ચતુર્થીક (ઉપવાસ) હેાય છે, એ પ્રમાણે તે તપ તેમણે ભક્તિપૂર્ણાંક કર્યાં. તેના પારણાને દિવસે પેાતાને ઘેર આવેલા એક સાધુને તેઓએ પ્રણામ કરીને પ્રાશ્ચક અન્ન જળવડે પ્રતિલાલ્યા. પછી કાળે કરીને તેઓએ પણ દીક્ષા ગ્રહણ કરી. અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005224
Book TitleShantinath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitprabhacharya
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy