________________
[ ૧૧૮ ].
શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર.
તે રાજગુમ સાધુએ આચાર્લી વર્ધમાન તપ કર્યું. આયુષ્યના ક્ષયે મરીને તે બ્રાહકને વિષે દેવ થયે. ત્યાંથી આવીને હે પ્રિયા ! આ સિંહરથ નામને રાજા થયો છે. તથા શંખિકા પણ તપ કરીને પાંચમા દેવલોકમાં જઈને આ વેગવતી નામની આની જ પ્રિયા થઈ છે.” આ પ્રમાણે મેઘરથે કહેલું પિતાનું ચરિત્ર સાંભળીને પ્રતિબંધ પામેલો સિંહરથ પિતાને ઘેર ગયે. પુત્રને રાજ્ય ઉપર સ્થાપન કરીને તે પ્રિયા સહિત તેણે શ્રી ધનરથ તીર્થકરના ચરણ પાસે દીક્ષા ગ્રહણ કરી. ઉગ્ર તપ-ક્રિયા કરીને તથા ઉત્તમ કેવલજ્ઞાન પામીને કર્મરૂપી મળને ધનારા તે સિંહરથ મુનિ મોક્ષને પામ્યા. પછી એક દિવસ વનમાંથી ઘેર આવેલા મેઘરથ રાજાએ અલંકારને સમૂહ ત્યાગ કરીને પૌષધ વ્રત ગ્રહણ કર્યું. પૌષધ શાળાની મધ્યે યોગ્ય આસન ઉપર રહેલા (બેઠેલા) તે બુદ્ધિમાને સર્વ રાજાઓની પાસે ધર્મદેશના આપી. આ અવસરે કંપતા શરીરવાળો, ચંચળ નેત્રવાળે, “હે મોટા રાજા ! તમારે શરણે આવેલો વર્તુ છું” એમ મનુષ્યની વાણી વડે બોલતે અને ભયથી વ્યાપ્ત થયેલે એક પારાપત (પારેવા) નામને પક્ષી કેઈક ઠેકાણેથી આવીને તે રાજાના ખોળામાં પડ્યો. ભયભીત થયેલા તેને જોઈને તે દયાળુ રાજાએ કહ્યું કે-“હે ભદ્ર! મારી પાસે રહેલો તું કેઈથી પણ ભય પામીશ નહીં.” આ પ્રમાણે રાજાએ કહેલો તે જેટલામાં નિર્ભય થયે, તેટલામાં ત્યાં એક ક્રર નન નામનું પક્ષી આવ્યું. અને બે કે-“હે રાજે! તમે સાંભળો–તમારા ખોળામાં જે પારાપત રહ્યો છે, તે મારું ભક્ષ્ય છે, તેને તમે મૂકે. હું ભૂખ્યો છું.” રાજા બોલ્યા કે “હે ભદ્ર! આ મારે શરણે આવ્યો છે, તે આપવાને
ગ્ય નથી, કેમકે બુદ્ધિશાળી કહે છે કે-શૂરવીરના શરણે આવેલા પ્રાણી, સર્પનો મણિ, સિંહની કેસરા અને સ્ત્રીનું ઉરસ્થળ આ પદાર્થો તેમના જીવતા ગ્રહણ કરાતા નથી. બીજાના પ્રાણવડે પિતાના પ્રાણનું પોષણ કરવું તે પુણ્યનું શેષણ ( નાશ ) કરનાર, સ્વર્ગને નિવારણ કરનારું અને નરકનું કારણરૂપ છે. તેથી તે તારે પણ યોગ્ય નથી. જેમ એક પણ તારું પીંછું છેદવાથી તને દુઃખ થાય છે, તેમ બીજાને પણ દુઃખ થાય, તેને તું મનમાં વિચાર કર. આનું માંસ ખાવાથી પણ તને એક ક્ષણ વાર તૃપ્તિ થશે, અને આના સર્વ પ્રાણને વિનાશ થશે. એમ તું મનમાં વિચાર કર. પંચેંદ્રિય જીવોને વધ કરીને દુષ્ટ આશયવાળા છે નરકે જાય છે. તે તું મનમાં વિચાર કર. સંભળાય છે કેજીવહિંસા કરનાર નિષાદ નરકે ગયે, અને દયાદિક ગુણે કરીને યુક્ત વાનરી સ્વર્ગે ગઈ.
અહીં અમરાવતીના શાખા નગરની જેવી સેંકડા શાખામૃગવડે વ્યાસ હરકાંતા નામની નગરી હતી. તેમાં હરિપાળ નામનો બુદ્ધિમાન રાજા હતા, કે હરિના પાલવડે કરીને તેનું નામ સત્યપણાને પામ્યું. તે જ નગરમાં યમરાજના કિંકર જેવો ક્રુર, કૃતની અને નિર્દય નિષાદ નામને હિંસક હતે. શિકારમાં આસક્ત તે પાપી હંમેશા વનને
. સિંગાણ. ૨. અશ્વ, થ, વાનર વગેરે. . કરેલા ઉપકારને હણનાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org