________________
[ ૧૧૬].
શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર.
પ્રતિમાને વાંદવા માટે જિનેશ્વરના સ્નાત્રકલ્યાણકથી પવિત્ર થયેલા મેરુના શિખર ઉપર ગયા. ત્યાં સુવર્ણશિલા ઉપર બેઠેલા સાગરચંદ નામના શ્રેષ્ઠ ચારણમુનિને જોઈને હર્ષથી તે બન્નેએ નમસ્કાર કર્યા. તેઓએ તે મુનીશ્વરને પોતાના પૂર્વભવની સ્થિતિ પૂછી, ત્યારે તેણે પણ જ્ઞાનવડે જાણીને તેમને આ પ્રમાણે કહ્યું કે “અહીં ધાતકીખંડ દ્વિપના એરવત ક્ષેત્રમાં વજપુર નામનું નગર છે. તેમાં અભયઘોષ નામે રાજા હતા. તેને સુવર્ણતિલકા રાણી હતી, તેની કુક્ષિમાંથી ઉત્પન્ન થયેલા જય અને વિજય નામના બે શ્રેષ્ઠ પુત્રો હતા. તે વખતે સુવર્ણ નગરના સ્વામી શંખ રાજાની પૃથ્વી દેવીથી ઉત્પન્ન થયેલી પ્રવીરોના નામની સુંદર કન્યા હતી. તે અભયઘોષ રાજાની સ્વયંવરા તરીકે આવી, ત્યારે તે હર્ષથી મૃગનાં જેવા લોચનવાળી તેને પરો. પછી એક દિવસ વસંત ઋતુમાં સારા પુના વનવડે સુંદર ઉદ્યાનમાં ક્રીડા કરવા માટે સો રાણીઓ સહિત રાજા ગયા. ત્યાં ફરતી પૃથ્વી સેના નામની તેની પત્નીએ દાંતદમન નામના શ્રેષ્ઠ મુનિને જોયા. તેની પાસે ધર્મ સાંભળીને પ્રતિબંધ પામેલી તેણીએ રાજાની અનુજ્ઞા લઈને દીક્ષા અંગીકાર કરી. રાજા પણ ઉદ્યાનની શોભાને અનુભવ કરીને નગરમાં ગયો. એક દિવસ તેને ઘેર છઠ્ઠમસ્થ અનંત તીર્થકર આવ્યા. તેણે તેમને પ્રાસુક અન્નપાનવડે પ્રતિલાગ્યા. ત્યારે દેવોએ તેના ઘરમાં પાંચ દિવ્ય કર્યા. પછી કેવળજ્ઞાનને પામેલા તેની પાસે તે રાજાએ તે બન્ને પુત્ર સહિત પ્રવજ્યા ગ્રહણ કરી. પછી વિશ સ્થાનવડે તીર્થકર નામકર્મ બાંધીને તે બન્ને પુત્ર સહિત કાળ કરીને અમ્રુત ક૫માં દેવ થયા. પિતાના આયુષ્યનો ક્ષય થયે ત્યારે અભયશેષને જીવ ત્યાંથી ચળે, અને હેમાંગદ રાજાનો પુત્ર ઘનરથ રાજા થયે. અને સ્વર્ગથી ચવેલા જય વિજયના જીવ તમારા પુત્ર થયા. આ પ્રમાણે હે પિતા ! તે મુનીશ્વરે તે બન્નેને કહ્યું. તેથી કરીને તમને જેવાને ઉત્સુક તે બન્ને વિદ્યારે અહીં આવ્યા, અને યુદ્ધ કરતા આ બે કુકડાને કૌતુકથી જોયા. અને વિદ્યાવડે તે બેને વિષે અધિષિત થયા (પઠા). અને પોતાની વિદ્યાના પ્રભાવથી તે બને પિતાના આત્માને ગોપવીને અહીં જ રહા.” મેઘરથનું આ વચન સાંભળીને તે બન્ને ખેચરો પ્રગટ થઈને ઘનરથ રાજાના ચરણને નમ્યા. તે બન્ને તે પૂર્વ ભવના પિતાના બે ચરણને નમીને, ક્ષણવાર રહીને ફરીથી પોતાના સ્થાને ગયા. ત્યાર પછી તે બને દીક્ષા ગ્રહણ કરીને, અતિ દુર તપ કરીને, તથા કેવલજ્ઞાન પામીને સિદ્ધિપદને પામ્યા. પછી પિતાની પૂર્વ ભવની સર્વ સ્થિતિ સાંભળીને તે બે કુકડાએ મોટા પાપને કરનારા પિતાના આત્માની મનમાં નિંદા કરી. પછી તે બન્ને ધનરથ રાજાના બે ચરણને નમીને પોતાની ભાષાવડે બોલ્યા કે “હે પ્રભુ ! હવે અમે શું કરીએ ?” ત્યારે રાજાએ સમકિત સહિત અહિંસાદિ લક્ષણવાળો ધર્મ તેમને કહ્યો, તે તેમણે ભાવથી અંગીકાર કર્યો. પછી અનશન કરીને મરણ પામેલા તે તામ્રશૂલ અને સ્વર્ણચૂલ ભૂવાટવીમાં ગયેલા થઈને દેવાનિવાળા (દેવ) થયા. ત્યાર પછી વિમાન ઉપર ચડીને, ત્યાં આવીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org