________________
જાહ૦૦
૦૦
પંચમ પ્રસ્તાવ
––
–
છે આ તરફ જંબદ્વીપના પૂર્વ મહાવિદેહના ભૂષણરૂપ પુષ્કલાવતી નામના
8aee0%e092009 ~ વિજયમાં પુંડરીકિણી નામની નગરી છે. તે નગરીમાં નીતિ, કીર્તિ અને જયલક્ષ્મીરૂપ સ્ત્રીઓના સંકેતના મંદિરરૂપ ઘનરથ નામના રાજા તીર્થકર હતા. તેને રૂપ અને લાવયવડે યુક્ત બે પ્રિયાઓ હતી, તેમાં પહેલી પ્રીતિમતિ નામની અને બીજી અનેહરી હતી. પછી વજાયુધનો જીવ એકત્રીશ સાગરોપમની સ્થિતિવાળા તે સર્વોત્તમ શૈવેયકથી આયુષ્યના ક્ષયે ચવ્યો, અને તેની પહેલી પ્રિયાની કુક્ષિરૂપી શુક્તિ( છીપલી )ને વિષે મુક્તામણિની કાંતિવાળો, મેઘના સ્વપ્નવડે સૂચવન કરે તે પુત્રપણે ઉત્પન્ન થયેલ. તથા સહસ્ત્રાયુધનો જીવ ત્યાંથી ચવીને રાજાની બીજી રાણના ઉદરમાં સારા રથના સ્વપ્નવડે સૂચન કરાયેલે તે પુત્રપણે ઉત્પન્ન થયું. પછી પૂર્ણકાળે તે બન્ને દેવીઓએ શુભ લક્ષણવાળા મેઘરથ અને દરથ નામના શ્રેષ્ઠ પુત્રોને ઉત્પન્ન કર્યો. બાળપણને ઉલ્લંઘન કરેલા, સારા વિનયવાળા અને મોટી બુદ્ધિવાળા તે બને કળાચાર્યની પાસે આ પ્રમાણે સારી કળાઓ ભણવા લાગ્યા–લેખ, ગણિત, આલેખ્ય, નાટ્ય, ગીત, વાજિત્ર અને તે સ્વરગત, પુષ્કરગત અને સમતાલ એમ ત્રણ પ્રકારના છે, અષ્ટાપદ, નાલિકા, તથા જનવાદ, ત્રણ પ્રકારનું ધૂત, શયન સહિત અન્નપાનની વિધિ, આભરણને વિધિ, આર્યા ગાથા, ગીતિ, પ્રહેલિકા, લેક, ગંધયુક્ત યુવાન સ્ત્રીઓનું સાધન, નગર, સ્ત્રી, અશ્વ, હાથી અને ગાયનાં લક્ષણે, તામ્રચૂડ( મયૂર )નું લક્ષણ, તથા મેનું લક્ષણ, ચક્ર, છત્ર, મણિ, દંડ, કાકિણી(કેડી), ખડગ અને ચર્મ, દરેકનાં આ આઠ લક્ષણે અહીં કળા જાણનારે જાણવા. ચંદ્ર, સૂર્ય, ગ્રહ અને રાહુને સંચાર, સૂપકારતા ( રાઈ ), વિદ્યાકાર, મંત્રગત તથા રહસ્યગત, બૃહ અને પ્રતિબૃહ, ચાર અને પ્રતિચાર, રકંધવાર( સૈન્યના પડાવ )નું પ્રમાણુ, નગર અને ઘરનું પ્રમાણ, કંધવાર, નગર અને ઘરનું સ્થાપન, અશ્વની શિક્ષા, હાથીની શિક્ષા, તવવાદ, વિસ્તાર સહિત નીતિશાસ્ત્ર, ધનુર્વેદ, મણિવાદ, સુવર્ણવાદ, ધાતુવાદ તથા બાહુયુદ્ધ, દંડયુદ્ધ, દરિયુદ્ધ, મુણિયુદ્ધ, નિયુદ્ધ, વાયુદ્ધ, સર્ષનું, અગ્નિનું અને પાણીનું સ્તંભન તથા પત્રછેદ, વૈદક, ખેતી, વાણિજ્ય કર્મ, તથા પળિયા અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org