SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ચેાથે। પ્રસ્તાવ ઃ જ્ઞાનના ખીન્ન ભેદનું વર્ષોંન અને વાયુધ ચક્રીની દીક્ષા તથા ઉપસર્ગ. [ ૧૧૧ ] વિનથવડે ગુરુની પાસે ભણેલા પણ નિમિત્તાદિક શાસ્ત્રને વિષે જે સારા વિચારને કરનારી હાય, તે વૈયિકી બુદ્ધિ કહેવાય છે. કારીગરના અને લેખકના ઘર અને ચિત્રાદિક કરવામાં કર્મ( ક્રિયા )થી ઉત્પન્ન થયેલી જે બુદ્ધિ હાય, તે કાર્મિકી બુદ્ધિ સ્કુટ છે. પરિણામના વશથી સર્વ વસ્તુના નિશ્ચય કરવાથી પ્રતિમાધને કરનારી પારિજ઼ામિકી બુદ્ધિ થાય છે. સવ બુદ્ધિએના ઢાંતા આગમમાં અનેક કહ્યા છે, તે સર્વે ગ્રંથના ગૌરવથી અત્રે કહ્યા નથી. આ ચાર પ્રકારની બુદ્ધિ પણ અહીં મતિજ્ઞાન કહેવાય છે. આ જ્ઞાન હાવાથી પ્રાણીઓને શ્રુતજ્ઞાન પણ પ્રગટ થાય છે. જે ભણવાથી ત્રણ કાળના વિષયવાળી વસ્તુ જણાય છે, તે સિદ્ધ માતૃદા' વિગેરેને શ્રુતજ્ઞાન કહ્યું છે. જેનાવડે પ્રાણીઓના કેટલાક ભવ જણાય છે, તે સર્વ દિશાએમાં અવધિવાળુ અવધિજ્ઞાન કહ્યું છે. સજ્ઞી જીવાના મનમાં રહેલા ભાવ જેનાવડે જણાય છે, તે મન:પર્યંત્ર નામનું ચાથું જ્ઞાન કહેવાય છે. સર્વ ઠેકાણે હુ ંમેશાં કાઇ પણ પ્રકારે જેની સ્ખલના ન થાય, તે સિદ્ધિસુખને કરનારું પાંચમું કેવળજ્ઞાન છે. ” પછી તે ચક્રવર્તીએ ઊભા થઈને, જિનેશ્વરને નમીને તથા ઘેર જઈને સહસ્રાયુધ નામના પુત્રને રાજ્ય ઉપર સ્થાપન કર્યાં. ત્યાર પછી ચાર હજાર રાણીએની સંખ્યાવાળા ( ચાર હજાર ) રાજાએ તથા સાતસેા પુત્ર સહિત તેણે દીક્ષા ગ્રહણ કરી. એ પ્રકારની શિક્ષા ગ્રહણ કરીને ગીતાર્થ થયેલા તે પણ પૃથ્વી ઉપર વિહાર કરતા સિદ્ધિ પર્યંત નામના શ્રેષ્ઠ ગિરિ ઉપર ગયા. ત્યાં વૈરાચન સ્તંભ ઉપર મનેાહર શિલાતળ ઉપર એક વર્ષની પ્રતિમાએ મેરૂની જેમ નિશ્ચળ રહ્યા. હવે આ તરફ મણિકુંભ અને મણિધ્વજ નામના અશ્વગ્રીવના પુત્ર ભવમાં ભ્રમણ કરીને તે વખતે દેવપણે ઉત્પન્ન થયા. તે તે પ્રદેશમાં આવ્યા. તે ભગવાનને જોઈને ઉત્પન્ન થયેલા મસરવાળા તેમણે તે ભગવાનને આ પ્રમાણે ઉપસર્ગ કર્યો. તેમાં પ્રથમ તેમણે તીક્ષ્ણ દાઢાવડે ભયંકર મુખવાળું કે લાંબા પુછડાવાળું અને મૂકેલા શબ્દવાળું સિંહ અને વાઘનું રૂપ વિસ્તાર્યું. ત્યાર પછી એ હાથણીનુ અતિ ભયંકર રૂપ કરીને ક્રોધ પામેલા તે દાંતના ઘાત વિગેરે ઉપદ્રવ કરવા લાગ્યા. ત્યાર પછી ાના આડંબરવડે ભયંકર સાપ અને સાપણું થઇને, ત્યારપછી પિશાચ અને રાક્ષસી થઇને તેમને ઉપદ્રવ કરવા લાગ્યા. તે વખતે રભા અને તિલેાત્તમા નામની ઇંદ્રની એ અગ્રમહિષીએ તે વાયુધ મુનીશ્ર્વરને નમસ્કાર કરવા ત્યાં આવી. તેમને આવતી જોઈને તે મને તરત જ નાશી ગયા. તેમને તે અન્ને દેવીએએ ભયંકર શબ્દાવકૈ ત ના કરી. પછી વાયુધ મુનિની પાસે રંભા પાતે અંગહાર સહિત, વિલાસ સહિત તથા હાવભાવના રસવડે ઉત્તમ નૃત્ય કરવા લાગી, તિલેાત્તમા પણ પરિવાર સહિત સાત સ્વરે કરીને યુક્ત તથા ત્રણ ગ્રામે કરીને પવિત્ર શ્રેષ્ઠ ગીત ગાવા લાગી. આવા પ્રકારની ભક્તિ કરીને તથા તે મુનીશ્ર્વરને પ્રણામ કરીને રભા અને તિલેાત્તમા ૧. સ્વર, વ્યંજન વિગેરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005224
Book TitleShantinath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitprabhacharya
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy