________________
[ ૧૧૦ ]
શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર.
મેટી છે.” પછી સ્વાગતનું પૂછવું અને દ્રવ્યનું આપવું વગેરેવડ રાજાએ તેનું સન્માન કરીને વિરમય સહિત સભાને વિષે તેની પ્રશંસા કરી કે-“અહા! આ મહાપુરુષની મતિના વૈભવને જોઈને અમે માનીએ છીએ કે રૂઢીવાળું આ સુભાષિત સત્ય છે કે–અશ્વ, હાથી અને લોઢાનું, કાષ્ટ, પાષાણ અને વસ્ત્રનું તથા સ્ત્રી, પુરુષ અને પાણીનું જે આંતરું છે તે મોટું આંતરું છે. ” પછી અંગરક્ષકપણે તેને સ્થાપન કરીને રાત્રિએ રાજા શયનને વિષે સૂતે, અને મેટી બુદ્ધિવાળે રેહક પણ તેમાં સૂતે. રાત્રિના પહેલા પહેરે ક્ષય પામેલી નિદ્રાવાળા રાજાએ રોહકને બોધ કરીને કહ્યું કે-“તું સૂતે છે કે જાણે છે?” તે બે કે-“હે દેવ ! હું સૂતો નથી જ પરંતુ બકરીની લીંડીઓ આવા પ્રકારની કોણ કરે છે તે હું વિચારું છું.” રાજાએ પૂછેલા તેણે જ તેને નિર્ણય કર્યો કે-“વાયુના પ્રબળપણથી તેઓની તે લીંડીઓ તેવા પ્રકારની થાય છે.” બીજે પહોરે પણ રાજાએ પૂછેલો તે આ પ્રમાણે બોલ્યો કે “પીપળાના પાંદડાનો આદિ ભાગ મોટો છે કે અંત ભાગ મોટો છે?” તેને નિર્ણય પિતે જ કર્યો કે “તે બને ભાગ સરખા છે. ત્રીજે પહોરે ખાડિહલાના દેહનું ચિંતવન કર્યું, તેણે જ તેને નિર્ણય આ પ્રમાણે કર્યો કે તેના દેહ અને પુંછડાની સમાનતા છે, તેના શરીરમાં જેટલી વેતતા છે, તેટલી શ્યામતા પણ છે.” ચોથે પહોરે રાજાએ તેને કાંટાવડે વીંધ્યો, ત્યારે રેહક બે કે-“હે દેવ! તમારા પિતા સંબંધી મારો વિચાર છે.” ત્યારે “કેવા પ્રકારનો વિચાર છે?” એમ રાજાએ કહ્યું ત્યારે તે બે કે“રાજા, ગુહ્યક, નિજક, વીછી અને માતંગ એ પાંચ તમારા પિતા પ્રગટ છે.” રાજાએ કહ્યું કે “કેમ આવું અઘટિત બેલે છે? અથવા શી રીતે તું જાણે છે?” તે બોલ્યો કે
હે રાજા ! તમારી ચેષ્ટા વડે હું જાણું છું, જેથી કરીને તમે ન્યાયવડે પૃથ્વીનું પાલન કરે છે, તેથી રાજાના પુત્ર છે, તુષ્ટ થઈને ઘણું ધન આપે છે, તેથી ધનદના પુત્ર છો, તમે જે ગાઢ કપ કરી છે, તેથી ચંડાળના પુત્ર છે, રોષ પામેલા તમે સર્વસ્વનું હરણ કરે છે, તેથી ધોબીના પુત્ર છે, અને જેથી કંટવડે મને વચ્ચે અને હું વીંછીના ડંખની જેમ દુખ પામે, તેથી હે રાજા હું જાણું છું કે તમારા પિતા વીંછી પણ છે. આ બાબતમાં જે તમને શંકા હોય, તે પિતાની માતાને પૂછે.” ત્યારે અતિ આગ્રહથી પૂછાયેલી તે માતાએ પણ અનુમતિ આપી, કે-“હે વત્સ ! ઋતુસ્નાનવાળી મેં આ સર્વને જોઈને અભિલાષ કર્યો, તેથી આ પાંચે તારા પિતાપણાને ભજે છે (પામે છે.)” ત્યાર પછી તુષ્ટમાન થયેલા રાજાએ બીજા સર્વથી અધિક બુદ્ધિરૂપી ધનવાળા આ રોહકને પાંચસે મંત્રીઓને સ્વામી કર્યો. બીજા ગર્વિષ્ઠ રાજાઓ પણ આ રોહકની બુદ્ધિના વશથી અરિકેસરી રાજાના વંશમાં વર્તનારા થયા. હવે ક્ષેમંકર ભગવાન મતિજ્ઞાનના બીજા દે જણાવે છે.
૧.
બી. ૨, ચંડાળ, ૩. કબર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org